થાઇલેન્ડમાં એર ઇન્ડિયાનું ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ હોવાનું સામે આવ્યું છે. આ પ્લેનમાં 156 યાત્રીઓ સવાર હતા. પ્લેનમાં બોમ્બ હોવાની ધમકીને પગલે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ પ્લેન ફૂકેતથી દિલ્હી આવી રહ્યું હતું. ai-379 વિમાનમાં બોમ્બની ધમકી મળ્યા બાદ ઇમરજન્સી લેન્ડ કરાયુ. મહત્વનું છે કે પ્લેનમાં બોમ્બ હોવાની ધમકીને પગલે અગાઉ પણ અનેકવાર ઘણી ફ્લાઇટ્સનું ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યુ છે. જો કે બાદમાં પોલીસ તપાસ કરાતા આ ધમકી ફેક કોલ હોવાનું બહાર આવ્યું છે ત્યારે હવે થાઇલેન્ડની આ ફ્લાઇટમાં બોમ્બની ધમકી છે કે પછી કોઇ ફેક કોલ હતો તેને લઇને તપાસ તેજ બની છે.
મુંબઇથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પરત ફરી
આજે સવારે એર ઇન્ડિયાની મુંબઇથી લંડન જતી ફ્લાઇટ પરત ફરી હતી, આજે સવારે 5 વાગેને 20 મિનિટે મુંબઇથી લંડન જતુ પ્લેન પણ ટેક ઓફ થયાના થોડા સમય બાદ જ પરત આવ્યું હતું, ઇરાન પર ઇઝરાયલે હુમલો કર્યો. જે બાદ ઇરાનનો એરપોર્ટ વિસ્તાર બંધ થઇ ગયો હતો. આ કારણોસર એર ઇન્ડિયાની ફ્લાઇટ AIC129 આજે સવારે શિડ્યુઅલ ટાઇમ કરતા 19 મિનિટ મોડી એટલે કે 5 કલાકેને 39 મિનિટ પર મુંબઇથી લંડન માટે ઉડાન ભરી હતી. પરંતુ હવે આ ફ્લાઇટ મુંબઇ પરત ફરી રહી છે.
અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેનક્રેશ
12 જૂને શુક્રવારે અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયુ હતું. આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઇ રહી હતી. જેમાં સવાર 242 મુસાફરોમાંથી 241 મુસાફરોના મોત થયા છે. આ ફ્લાઇટ બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં ટકરાઇ હતી. જ્યાં મેસમાં જમી રહેલા રેસિડેન્ટ ડોક્ટર્સ તથા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના એટલી ભયંકર હતી કે કલ્પના કરી ન શકાય. લોકોના મૃતદેહને પણ ઓળખવા મુશ્કેલ બન્યા છે. કારણ કે પ્લેન ટકરાઇ જતા આગના ગોળે ગોળા જોવા મળ્યા હતા. આ ઘટનાને દેશ અને આખા વિશ્વને હચમચાવી મૂકી છે. ત્યારે આજના દિવસમાં જ એર ઇન્ડિયાના પ્લેનને લઇને આજે બીજી ઘટના સામે આવી.