- હરણી દુર્ઘટનાના આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી
- કોટિયા પ્રોજેક્ટના ત્રણે ભાગીદારોની સેશન્સ કોર્ટમાં અરજી
- જતીન, તેજલ અને નેહા દોશીએ જામીન અરજી કરી હતી
હરણી દુર્ઘટનાના આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી થશે. જેમાં કોટિયા પ્રોજેક્ટના ત્રણે ભાગીદારોની સેશન્સ કોર્ટમાં અરજી છે. તેમાં જતીન, તેજલ અને નેહા દોશીએ જામીન અરજી કરી હતી. ત્રણેના કસ્ટડી રિમાન્ડ પુરા થતા સેન્ટ્રલ જેલમાં મોકલાયા છે.
ત્રણ ભાગીદારોએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી
હરણી લેક ઝોન ખાતે બોટ દુર્ઘટનાના મામલે કોટિયા પ્રોજેક્ટના ત્રણ ભાગીદારોએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી છે. આજે સેશન્સ કોર્ટમાં આરોપીઓની જામીન અરજી પર સુનાવણી થશે. તથા ત્રણેય આરોપીઓના કસ્ટડી ડિમાન્ડ પુરા થતા સેન્ટ્રલ જેલમાં મોકલાયા છે. એસઆઈટીની ટીમે ત્રણેય આરોપીઓની 29 મી તારીખે ધરપકડ કરી હતી. બોટ દુર્ઘટનામાં માસ્ટરમાઈન્ડ ગોપાલ શાહ અને સૂત્રધાર પરેશ શાહ સહિત કોટિયા પ્રોજેક્ટના ભાગીદારોની ધરપકડ થઈ છે.
બોટની ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડ્યા
વડોદરા હરણી દુર્ઘટના કેસમાં FSLના રિપોર્ટમાં ખુલાસો થયો છે. બોટની ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવાના લીધે દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે. ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવાથી બોટ પલટી હોવાનું પ્રાથમિક તારણ છે. ઘટનાની જવાબદારી નક્કી કરવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે પોલીસ દ્વારા નિવેદન તથા આરોપીઓની મિલકતના સરવેની કામગીરી યથાવત્ છે.
જાણો સમગ્ર હરણી દુર્ઘટના વિશે
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા.


