- સરકારે ડાયાબિટીસ દવાની કિંમતને ફિક્સ કરી
- સરકારે નિયત કરેલી કિંમત પર વધુ પૈસા નહી લઈ શકાય
- પહેલા કરતા ઓછા પૈસામાં મળશે હવે ડાયાબિટીસની દવા
કેન્દ્ર સરકારે ડાયાબિટીસ દવાની કિંમતને લઈ નિર્ણય લીધો છે. જેમાં સરકારે ડાયાબિટીસ દવાની કિંમતને ફિક્સ કરી છે. તેમજ સરકારે નિયત કરેલી કિંમત પર વધુ પૈસા લઈ શકાશે નહિ. પહેલા કરતા ઓછા પૈસામાં હવે ડાયાબિટીસની દવા મળશે.
દવાનો ભાવ કંટ્રોલ કરવા નોટીફિકેશન બહાર પાડ્યુ
ડાયાબિટીસના દર્દીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં દવાનો ભાવ કંટ્રોલ કરવા નોટીફિકેશન બહાર પાડ્યુ છે. તેમાં 39 ફોર્મ્યુલેશન માટે સરકારે નોટીફિકેશન બહાર પાડ્યુ છે. લોહીમાં રહેલા ગ્લુકોઝને પચાવી શકવાની અક્ષમતાને કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જરૂરી સામાન્ય સ્તર કરતાં સતત ઊંચું રહે તો તેને ડાયાબિટીસ મેલિટસ કહેવાય છે. આ અક્ષમતા અપૂરતા ઇન્સ્યુલિન સ્ત્રાવ કે ઇન્સ્યુલિનના ખામીભર્યા કાર્યને કારણે થાય છે, કેટલાક કિસ્સાઓમાં બંને કારણો જવાબદાર હોય છે.
ડાયાબિટીસના મુખ્ય ત્રણ પ્રકાર છે
ડાયાબિટીસના મુખ્ય ત્રણ પ્રકાર છે. જેમાં ટાઇપ 1 ડાયાબિટીસ મેલિટસ તથા ટાઇપ 2 ડાયાબિટીસ મેલિટસ તેમજ ગર્ભાવસ્થાનો ડાયાબિટીસ. દુનિયાભરમાં અને આપણા દેશમાં જોવા મળતા ડાયાબિટીસના 90% દર્દીઓને ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે, જે મોટેભાગે વારસાગત કારણો ઉપરાંત આપણી જીવનશૈલી અને વજન વધુ હોવાના કારણે થતો હોય છે. ટાઈપ 2 ડાયાબિટીસ ઇન્સ્યુલિનની ઉણપ ઉપરાંત, કોષો દ્વારા ઇન્સ્યુલિનના પ્રતિરોધના લીધે થતો હોવાના કારણે ઇન્સ્યુલિનનો પ્રતિરોધ ઓછો કરનારી અથવા સ્વાદુપિંડ દ્વારા ઇન્સ્યુલિન બનાવનારી ગોળીઓ સારા પ્રમાણમાં કામ કરે છે. તેથી મોટાભાગના કેસમાં આ રોગની સારવારની શરૂઆત ગોળીઓથી જ કરવામાં આવે છે. પરંતુ કેટલાક કેસમાં જો શરૂઆતમાં શુગર બહુ વધારે હોય અથવા દર્દીને બીજા કોઈ જાતના કોમ્પ્લિકેશન્સ હોય તો ઇન્સ્યુલિનની સારવાર જરૂરી બને છે.


