રાજકોટમાં મહિલાઓ નેઇલ આર્ટ માં કરાવી રહ્યા છે રામ સીતાની આકૃતિ અને રામમંદિરની પ્રતિકૃતિ
નખ પર રામ શબ્દ અને મંદિર તેમજ અન્ય ફોટોગ્રાફ કરાવવા મહિલાઓ ખર્ચે છે ₹1500 થી ₹5000
તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર ખાતે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને આ એ ઘટના છે જેની દરેક ભારતીય આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અયોધ્યા રામ મંદિર ને લઈને સમગ્ર દેશમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યું છે. દેશ અને દુનિયામાંથી લોકો અયોધ્યામાં પહોંચી રહ્યા છે અને આ ઘટનાના પોતે સાક્ષી બને તે માટે તૈયારી કરી રહ્યા છે ત્યારે રાજકોટમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચશે. રાજકોટમાં પણ અયોધ્યા રામમંદિર માટે ખુશીનો માહોલ છે આ માટે મહિલાઓ નેઇલ આર્ટ માં પણ પોતાની રામ પ્રત્યેની આસ્થા દર્શાવી રહી છે.નેઇલ આર્ટ માં ભગવાન રામના વિવિધ ફોટોગ્રાફ,લખાણ વગેરે દર્શાવીને મહિલાઓ આ ઐતિહાસિક ઘટના સાથે જોડાઈ રહ્યા છે.
નેઇલ આર્ટ દ્વાર ભગવાન શ્રીરામ પ્રત્યે પોતાની ભક્તિ દર્શાવવા જેઝ નેઇલ આર્ટ સ્ટુડિયોના જાસ્મીન જણાવે છે કે 22 તારીખના રોજ રામ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને રાજકોટમાં પણ મહિલાઓ નેઇલ આર્ટ દ્વારા પોતાનો આનંદ દર્શાવી રહ્યા છે. મહિલાઓ નેઇલ આર્ટમાં શ્રીરામની પ્રતિકૃતિ તેમ જ મંદિરની આકૃતિ વગેરે કરાવી રહ્યા છે. અયોધ્યા જવા માટે મહિલાઓ ગ્રુપમાં એક સરખી ડીઝાઈન કરાવી રહ્યા છે.જેમાં રામ શબ્દ લખવો,મંદિર તેમજ રામ સીતાના ફોટોગ્રાફ વાળી ડીઝાઈન લોકો પસંદ કરી રહ્યા છે.આ નેઇલ આર્ટની ડીઝાઈન ₹1500 થી 5000માં બનાવી આપવામાં આવે છે.આ માટે ગ્રુપ બુકિંગ પણ થઈ રહ્યા છે અને હજુ 22 તારીખ ને થોડા દિવસ બાકી છે ત્યારે આ પ્રકારના નેઇલ આર્ટ કરવા માટે મહિલાઓ ખુબ જ ઉત્સાહિત છે.