By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગનું BCCI આયોજન કરે છે, તો ભારત બહાર અબુધાબીમાં કેમ થઈ રહ્યું છે IPLનું Auction
    IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગનું BCCI આયોજન કરે છે, તો ભારત બહાર અબુધાબીમાં કેમ થઈ રહ્યું છે IPLનું Auction
    20 minutes ago
    Venkatesh Iyer: IPL Auction પહેલા જ વેંકટેશ અય્યરે કર્યો ધમાકો, SMAT માં રમી શાનદાર ઇનિંગ્સ
    Venkatesh Iyer: IPL Auction પહેલા જ વેંકટેશ અય્યરે કર્યો ધમાકો, SMAT માં રમી શાનદાર ઇનિંગ્સ
    1 hour ago
    IPL Auction 2026 Live : આ 5  જાણીતા યુવા ખેલાડીઓ પર થઈ શકે છે કરોડો રૂપિયાનો વરસાદ
    IPL Auction 2026 Live : આ 5 જાણીતા યુવા ખેલાડીઓ પર થઈ શકે છે કરોડો રૂપિયાનો વરસાદ
    2 hours ago
    IPL 2026 Auction : મીની ઓક્શનને લઈને ખેલાડીઓમાં રોમાંચ, જાણો IPLની Inside Story
    IPL 2026 Auction : મીની ઓક્શનને લઈને ખેલાડીઓમાં રોમાંચ, જાણો IPLની Inside Story
    4 hours ago
    IPL 2026 મીની ઓકશનમાં 10 ટીમો 77 ખેલાડીઓ માટે લગાવશે બોલી, આ યુવા ખેલાડીઓનું ચમકશે નસીબ, જાણો ભારતના કયા ખેલાડીઓ છે સામેલ
    IPL 2026 મીની ઓકશનમાં 10 ટીમો 77 ખેલાડીઓ માટે લગાવશે બોલી, આ યુવા ખેલાડીઓનું ચમકશે નસીબ, જાણો ભારતના કયા ખેલાડીઓ છે સામેલ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં ગટરના પાણીમાંથી ક્રિકેટ સ્ટેડિયમનું મેદાન હરિયાળું રહે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વિશેષ

રાજકોટમાં ગટરના પાણીમાંથી ક્રિકેટ સ્ટેડિયમનું મેદાન હરિયાળું રહે છે

agragujaratnews
Last updated: 2024/03/22 at 9:08 PM
2 years ago
Share
રાજકોટમાં ગટરના પાણીમાંથી ક્રિકેટ સ્ટેડિયમનું મેદાન હરિયાળું રહે છે
SHARE

ઈશ્વરીયા આસપાસના ગામોમાં 60 હેકટરમાં ઊગે છે ડ્રેગન ફ્રૂટ જેવા રોકડીયા પાક

આજે તા.૨૨ માર્ચ એટલે ‘વિશ્વ જળ દિવસ’, આ એક જ દિવસ માટે નહીં પણ જીવન પર્યંન્ત સૌ કોઇએ એ સમજવુ જોઇએ કે, જળ એ જ જીવન છે, તેને બચાવશુ તો આપણી આવનાર પેઢીનું જીવન હર્યુભર્યુ રહેશે. આ સો ટચના સોના જેવી હકિકત સૌ કોઇએ સમજવી જ રહી. વેસ્ટેજ પાણીનો સદઉપયોગ કરીને પણ આ સુત્રને સાર્થક કરી શકાય છે. રાજકોટ મહાનગરપાલિકાએ આવા જ એક અભિગમ સાથે શહેરમાંથી નીકળતા ડ્રેનેજના ગંદા પાણીને પીવા સિવાયના ખેતી, ઔદ્યોગિક એકમો, બાગ-બગીચા અને અન્ય વપરાશમાં લેવા માટે એક ભગિરથ પ્રયાસ શરૂ કરેલો છે અને તેમા નોંધપાત્ર કહી શકાય તેવા સારા પરિણામ મળી રહ્યા છે. શહેરમાંથી નીકળતા ગટરના ગંદા પાણીને શુધ્ધ કરાયા બાદ નીકળતા પાણીમાંથી આજે ઇશ્વરિયા, આણંદપર સહિતના વિસ્તારોમાં ૬૦ હેકટરથી વધુ વિસ્તારમાં ખેતી લીલીછમ્મ રહે છે. એટલુ જ નહીં રાજકોટના ખંઢેરીમાં આવેલુ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના મેદાનનો નિભાવ પણ રાજકોટના ગંદા પાણીથી જ થઇ રહ્યુ છે.

Contents
ઈશ્વરીયા આસપાસના ગામોમાં 60 હેકટરમાં ઊગે છે ડ્રેગન ફ્રૂટ જેવા રોકડીયા પાક૨૦૨૫ સુધીમાં વોટર ૭૦ ટકા વેસ્ટ વોટર રીયુઝનો લક્ષ્યાંકનાકરાવાડીમાં સુએઝનું ટ્રીટ વોટર પહોંચાડવા ૧૨ કી.મી. પાઇપલાઇનનું કામ ચાલુમનપામાં અલગથી ડેડીકેટેડ વોટર મેનેજમેન્ટ યુનિટ બનશે

રાજકોટમાં વપરાશી પાણી ડ્રેનેજ સિસ્ટમ મારફત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધ કરવામાં આવે છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ થતા ટ્રીટેડ વોટરનો શક્ય તેટલા ક્ષેત્રોમાં પૂન: ઉપયોગ થાય અને તેના પરિણામે ચોખ્ખા પાણીનો શક્ય તેટલો બચાવ થાય તે માટે જ્યાં જ્યાં શક્ય છે ત્યાં ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવેલી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વચ્ચે પાણીના પુનઃ વપરાશ અંગે કરાર કરવામાં આવેલ. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના માધાપર ખાતે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને તેના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ સંકુલમાં વપરાશ માટે માસિક આશરે ૩૦ લાખ લીટર ટ્રીટેડ પાણી આપવામાં આવી રહ્યું છે, તેમ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા વોટર O & M સેલ (ડ્રેનેજ) શાખા હસ્તક હાલમાં કુલ ૭ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે, જેની દૈનિક કુલ ટ્રીટમેન્ટ ક્ષમતા ૩૩૧.૫ એમ.એલ.ડી. છે, જેમાં પ્રતિદિન ૨૬૦ એમ.એલ.ડી. સુએઝને ટ્રીટ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલઆ સીવેજ  ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ થયેલ પાણીને પુનઃ વપરાશ  માટે જેવા કે ગાર્ડન, બાંધકામ તેમજ ઔદ્યોગિક એકમોમાં ઉપયોગમાં લઇ શકાય તે અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રીયુઝ પોલીસી બનાવવામાં આવી છે, જે અન્વયે નિયત થયેલ દરે પાણીના ચાર્જ વસુલીને જળ જથ્થો આપવાની નીતિ અપનાવવામાં આવેલ છે. 

મ્યુનિ. કમિશનર આનંદ પટેલે વધુમાં માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી ઈશ્વરીયા મહાદેવ સહકારી મંડળી તેમજ આણંદપર પિયત સહકારી મંડળીને ઈરીગેશન (સિંચાઈ) હેતુ માટે આ ટ્રીટ થયેલું પાણી આપવામાં આવે છે. જેમાં ઈશ્વરીયાની મંડળીના ૩૧ સભ્યો ૪૪.૫૯ હેક્ટર ખેતીની જમીનમાં અને આણંદપરની મંડળીના ૧૩ સભ્યો ૧૬.૩૭ હેક્ટર ખેતીની જમીનમાં આ ટ્રીટ થયેલું પાણીની મદદથી કૃષિ પાક લઇ રહ્યા છે.

૨૦૨૫ સુધીમાં વોટર ૭૦ ટકા વેસ્ટ વોટર રીયુઝનો લક્ષ્યાંક

રાજકોટ મહાનગરપાલિકાને “ગુજરાત સરકાર વેસ્ટ વોટર રીયુઝ પોલીસી”ના ૨૦૨૫ સુધીમાં ૭૦% વેસ્ટ વોટર રીયુઝના લક્ષ્યાંકને મેળવવામાં સરળતા રહેશે. તેમ ઉમેરતા મ્યુનિ. કમિશન આનંદ પટેલે કહ્યુ હતુ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદાજુદા સેક્ટર જેવા કે ઉદ્યોગો, બાંધકામ, બાગાયત, વગેરેમાં સુએજ ટ્રીટેડ વોટરના પૂન: ઉપયોગ માટે અલગઅલગ સમૂદાયો સાથે બેઠકના આયોજન પ્રગતિમાં છે. ૨૦૨૫ સુધીમાં મનપાનો એવો લક્ષ્યાંક છે કે, ૭૦ ટકા વેસ્ટ વોટર રીયુઝ થાય.

નાકરાવાડીમાં સુએઝનું ટ્રીટ વોટર પહોંચાડવા ૧૨ કી.મી. પાઇપલાઇનનું કામ ચાલુ

રાજકોટ આખાનો કચરો જ્યા ઠલવાય છે એ નાકરાવાડી સ્થિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ માટે સુએજ ટ્રીટેડ વોટરની ૧૨ કી.મી.ની પાઇપલાઈન નાંખવામાં આવી રહી છે, જે પૈકી ૮ કી.મી. પાઈપલાઈન બિછાવવાનું કાર્ય પૂર્ણ થઇ ચુક્યું છે. આ પ્રોજેક્ટ માટે ૩ એમ.એલ.ડી. જળ જથ્થો આપી શકાશે. આમ સુએજ ટ્રીટેડ વોટરના પૂન: ઉપયોગ વડે રાજકોટ મહાનગરપાલિકા પીવાના શુધ્ધ પાણીનો સારી એવી માત્રામાં બચાવ કરી શકશે.

મનપામાં અલગથી ડેડીકેટેડ વોટર મેનેજમેન્ટ યુનિટ બનશે

આવનારા દિવસોમાં ટ્રીટેડ વોટરનો પીવા પાણી સિવાય અન્ય હેતુઓ માટે ઉપયોગ થાય અને જેની સામે પીવા લાયક પાણીની શહેરીજનો માટે બચત થઈ શકે તે માટે મ્યુનિસિપલ કમિશનર કક્ષાએ સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષના બજેટ મુજબ ડેડીકેટેડ વોટર મેનેજમેન્ટ યુનિટ (જળ વ્યવસ્થાપન માટે ખાસ સમર્પિત એકમ)ની રચના કરવામાં આવેલ છે, જે અંતર્ગત જળ સંચય સેલ કાર્યરત કરવામાં આવી છે.

 

You Might Also Like

Silence !!! કોર્ટ ચાલુ છે!… કલાકારો ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે

કરોડરજ્જુ તથા મગજની શ્રેષ્ઠ સારવાર આપતું સરનામું એટલે સવા આયુષ હોસ્પિટલ

કચ્છના કથાનક સાથેની ફિલ્મ ‘રણભૂમિ’ કાલે રિલીઝ

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં માનવ મહેરામણ ઉમટ્યું

આઝાદ ભારતની આજના દિવસે પ્રથમ ચૂંટણીની પ્રક્રિયા થઈ હતી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Pariksha Pe Charcha 2026 : તમારે પીએમ મોદીને પરીક્ષાના તણાવ સંબંધિત પ્રશ્ન પુછવો છે ? તો આ રીતે કરો રજીસ્ટ્રેશન
રાષ્ટ્રિય

Pariksha Pe Charcha 2026 : તમારે પીએમ મોદીને પરીક્ષાના તણાવ સંબંધિત પ્રશ્ન પુછવો છે ? તો આ રીતે કરો રજીસ્ટ્રેશન

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
Patan: જિલ્લામાં સૌથી વધુ ચણાનું 50,745 હેક્ટરમાં વાવેતર થયું
T20I સીરિઝ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો બહાર
Ahmedabad: સિંગરવામાં બાંધકામ સાઇટ પર પતિએ માથામાં પાવડો મારતા પત્નીનું મોત
IPL Mock Auction: મીની ઓક્શન પહેલા CSKએ મોટો દાવ લગાવ્યો,આ ત્રણ બોલરો પર રૂ.20 કરોડ ખર્ચ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?