By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    South Africaના કેપ્ટન ટેમ્બા બાવુમાનું નામ કોણે રાખ્યું? જાણો
    South Africaના કેપ્ટન ટેમ્બા બાવુમાનું નામ કોણે રાખ્યું? જાણો
    3 minutes ago
    Shubman Gillનું ધમાકેદાર પ્રદર્શન, ઇંગ્લેન્ડમાં ફટકારી શાનદાર ફિફ્ટી
    Shubman Gillનું ધમાકેદાર પ્રદર્શન, ઇંગ્લેન્ડમાં ફટકારી શાનદાર ફિફ્ટી
    1 hour ago
    2026 સુધી ભારતીય ક્રિકેટ ટીમ રહેશે ખુબજ વ્યસ્ત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
    2026 સુધી ભારતીય ક્રિકેટ ટીમ રહેશે ખુબજ વ્યસ્ત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
    2 hours ago
    WTC Final 2025: વિરાટ-રોહિત  ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું
    WTC Final 2025: વિરાટ-રોહિત ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું
    3 hours ago
    Cricket: IND vs NZ સીરીઝ માટે BCCIની તૈયારી, આ શહેરોમાં રમાશે મેચ
    Cricket: IND vs NZ સીરીઝ માટે BCCIની તૈયારી, આ શહેરોમાં રમાશે મેચ
    16 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ડ્રીમ લાઇનરે 290 લોકોના અગણીત ડ્રીમ રોળી નાખ્યાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ડ્રીમ લાઇનરે 290 લોકોના અગણીત ડ્રીમ રોળી નાખ્યાં

Editor
Last updated: 2025/06/13 at 6:09 PM
19 hours ago
Share
ડ્રીમ લાઇનરે 290 લોકોના અગણીત ડ્રીમ રોળી નાખ્યાં
SHARE

અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા ઉડેલી ૨૪૨ મુસાફરો અને ૨ પાયલોટ તેમજ ૧૦ ક્રૂ મેમ્બર સાથેની ફલાઇટ ટેક ઓફની માત્ર 2 મિનિટમાં જ ક્રેશ થઇ જતાં ગુજરાત સહિત દેશભરમાં હાહાકાર મચી ગયો છે. અમદાવાદના ઘોડા કેમ્પ નજીક IGB કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયાનું AI-171 પેસેન્જર પ્લેન મેઘાણીનગર વિસ્તારના રહેણાંક વિસ્તાર નજીક ક્રેશ થવાના સમાચાર મળતાં જ તેમાં સવાર મુસાફરોના પરિવારો ભારે આઘાતમાં સરી પડ્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આ વિભીષિકામાં દુઃખદ નિધન થયું હોવાના સમાચારની પુષ્ટિ થતાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે શોકનો માહોલ છવાયો છે. ગઈકાલે દુર્ઘટના બાદ તરત જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા હતા. જ્યારે આજે સવારે 8:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ક્રેશ સાઇટ ની મુલાકાત લીધી હતી. 20 મિનિટ સુધી આ સાઇટ પરના રોકાણ દરમ્યાન તેઓએ વિવિધ એજન્સીઓના અધિકારીઓ પાસેથી ઘટનાની વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ કરુણાંતિકા ને નિહાળી વડાપ્રધાન મોદી અત્યંત ખિન્ન થયા હતા.
ઘટના સ્થળેથી વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા ઘાયલોના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા. જ્યાં તમામ ઘાયલો સાથે તેઓએ વાતચીત કરી હૈયાધારણા આપી હતી. ખાસ કરીને આ દુર્ઘટનામાં બચી ગયેલા એક માત્ર પ્રવાસી વિશ્વાસ રમેશ કુમાર પાસેથી વડાપ્રધાન મોદીએ દુર્ઘટના સમયે શું થયું હતું અને ફલાઇટમાં કેવો માહોલ હતો તેની તથા કઈ રીતે તેનો બચાવ થયો એની તલસ્પર્શી વિગતો મેળવી હતી.
આ લખાય છે ત્યારે ગ્વાલિયરના એક અને ભાવનગરના બે સહિત કુલ ચાર લોકોના ડીએનએ મેચ થઇ જતાં તેઓની ઓળખ મળી હતી અને મૃતદેહ સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. રાજય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તમામ મેડિકલ ટીમને ખાસ સૂચના આપી છે કે બંને તેટલી ત્વરીત ગતિથી ડીએનએ મેચ સહિતની કાર્યવાહી પૂરી કરવામાં આવે. જેથી મૃતદેહોને તેમના પરિજનોને સોંપી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધા બાદ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ સાથે ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સહિતના અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ લખાય છે ત્યાં સુધીમાં ૨૦૪ લોકોના ડીએનએ માટેના સેમ્પલ લેવાઇ ચુકયા છે. અંજલીબેન રૂપાણીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ તેના પત્ની ઉપસ્થિત રહ્યા હતાં. મનોજ અગ્રવાલના પત્નીને નિહાળીને અંજલીબેન કારમાં બેઠા બેઠાં જ તેમને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતાં. અંજલીબેન રૂપાણી ત્યારબાદ ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાને જવા રવાના થયા હતાં.
ઉલ્લેખનીય છે કે પ્લેન ક્રેશ થયા બાદ તુરંત જ તે આગના ગોળામાં ફેરવાઇ ગયું હતું અને ભીષણ આગ લાગી હતી. લંડન જતાં પ્લેનમાં ઈંધણ ટેન્ક પૂરેપૂરી ભરેલી હોવાથી એક જ ક્ષણમાં વિસ્ફોટ સાથે પ્લેન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું અને કોઈ પેસેન્જર કશું વિચારે એ પહેલા તો બળીને ભડથું થઈ ગયા હતા. હોસ્પિટલ તરફથી જાણવા મળતી માહિતી અનુસાર 60 ટકાથી વધુ પેસેન્જરો 90 ટકાથી વધુ દાઝી ગયા હતા.
આ દૂર્ઘટનામાં અત્યાર સુધી 290 લોકોના મોતની પૃષ્ઠી થઈ છે. જેમાં પ્લેનમાં સવાર 242 પૈકી 241 તેમજ જે બિલ્ડિંગ પ્લેન ક્રેશ થયું ત્યાં અને આસપાસની સડકો પરના લોકો સહિત મૃતાંક 290 સુધી પહોંચ્યો છે. ઘાયલોની સ્થિતિ જોતા હજુ મૃતાંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
દુર્ઘટના બાદ ઘટના સ્થળ તરફ જતાં તમામ માર્ગોને બ્લોક કરી દેવામાં આવ્યા હતા અને ગ્રીન કોરીડોર જાહેર કરવામાં આવ્યો હતો. એર ઇન્ડિયાની ફલાઇટ નં.એઆઇ ૦૧૭૧ બપોરના ૧:૩૮ કલાકે ઉડાન ભરી હતી અને ૧:૪૦ મિનિટે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી. ટેક ઓફ થયાની થોડી જ ક્ષણોમાં ફલાઇટ અચાનક જ નીચેની તરફ આવવા લાગી હતી અને ફલાઇટનો પાછળનો ભાગ એક બિલ્ડિંગ સાથે ટકરાતા વિમાન આગનો ગોળો બનીને ફાટયું હતું.

You Might Also Like

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

રાજકોટના ‘વિકાસ પુરૂષ’ની અલવિદા

ક્રાઈસ્ટ કોલેજ, રાજકોટ દ્વારા રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે “SAFAL 2025” ટ્રેનિંગ કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad2
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
સ્પોર્ટ્સ

WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ

By 1 day ago
Chinaને એલર્ટ, ભારતના મિત્ર દેશે લોન્ચ કરી ખતરનાક એન્ટી શીપ મિસાઈલ
World News: કોણ ઇચ્છે છે ઇમરાન ખાન જેલની બહાર નહી આવે?
SA vs AUS: મેચ ડ્રો થઇ તો WTC 2025ની ટ્રોફી કોને મળશે?
Health Tips : જાણો જાંબુ ખાવાથી શરીરને લાભ થશે કે નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?