ભારતીય ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારાએ એક કાર્યક્રમમાં તેમની હાજરી દરમિયાન ભારતીય ટીમની એક અંદરની વાત જાહેર કરી દીધી. ભારતીય ટીમમાં ખેલાડીઓ વચ્ચે કઈ બાબતે ઘર્ષણ થતું એ બાબતનો ખુલાસો આ બંને ખેલાડીઓએ કર્યો છે.
ફિલ્ડિંગ બાબતે લડતા હતા
ભારતીય ટીમના બે મહાન ખેલાડી અને ઓપનર એટલે રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા. આ બંને ખેલાડીઓએ ક્રિકેટની પિચ પર સાથે એક લાંબો સમય વિતાવ્યો છે, અને એટલા માટેજ બંને ખેલાડીઓ એકબીજાના સાવભાવથી ઘણા પરિચિત પણ છે. એક કાર્યક્રમ દરમિયાન આ બંને ખેલાડીઓ ભેગા થાય હતા, અને જેવા બે મિત્રો ભેગા થયા તેમને એવી અમુક વાતોના ખુલાસા કરી નાખ્યા જે વાતો આજ સુધી કોઈ જાણતું ન હતું. મેદાન પર આ બંને ખેલાડીઓ ફિલ્ડિંગ બાબતે લડતા હતા.
શોર્ટ લેગ પર કોણ કરશે ફિલ્ડિંગ
કાર્યક્રમ હતો ચેતેશ્વર પૂજારાની પત્નીના એક બુક લોન્ચનો. ચેતેશ્વર પૂજારાની પત્નીએ “ધ ડાયરી ઓફ ક્રિકેટર વાઈફ” આ નામથી એક પુસ્તક લખ્યું છે, અને આ પુસ્તકના બુક લોન્ચ વખતે રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારાએ અમુક એવા રમૂજી ખુલાસા કર્યા જે ખુબજ મજેદાર છે. રોહિત શર્માએ હસતાં કહ્યું, કે “અમે એકબીજા સાથે લડત હતા કે કોણ શોર્ટ લેગ પર ઊભું રહેશે? અને પૂજારા હમેશા એવું કહેતો કે હું 3 નંબર પર રમવા આવું છે એટલે મને વધારે આરામની જરૂર છે તમે ત્યાં ઊભા રહો”. રોહિત શર્માએ કહ્યું એ વખતે તેઓ નંબર 5 અથવા 6 પર બેટિંગ કરતાં હતા.
રોહિત ઓપનર બનતા બધુ બદલાઈ ગયું
રોહિત શર્મા જ્યારે આ વાત પર ખુલાસો કરી રહ્યા હતા, ત્યારે પૂજારાએ રોહિત શર્માને રમૂજી અંદાજમાં વચ્ચેથી રોકીને કહ્યું, કે “પછી સમય જતાં રોહિત ઓપનર બેટ્સમેન બની ગયા અને બધુંજ બદલાઈ ગયું. રોહિત મને કહેતા કે હવે હું ઓપનર છું , હવે તું શોર્ટ લેગ પર ઊભો રે! મારી પાસે કોઈ જવાબ ત્યારે ન હતો, હું બસ ત્યાં જતો રહેતો હતો. રોહિત શર્માએ પૂજરાના વખાણ કરતાં કહ્યું કે તેમને પગમાં સતત ઇજાઓ રહેતી હતી તો પણ તેઓ 100થી વધારે ટેસ્ટ મેચ રમ્યા છે.