By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 week ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 weeks ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 weeks ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખજુરાહોના પરિસરમાં આવેલું ઐતિહાસિક કન્દારિયા મહાદેવ મંદિર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ખજુરાહોના પરિસરમાં આવેલું ઐતિહાસિક કન્દારિયા મહાદેવ મંદિર

agragujaratnews
Last updated: 2024/04/02 at 6:31 PM
1 year ago
Share
ખજુરાહોના પરિસરમાં આવેલું ઐતિહાસિક કન્દારિયા મહાદેવ મંદિર
SHARE

ભારતભરમાં ભગવાન શંકરનાં એવાં ઘણાં મંદિરો છે જે ખૂબ જ પ્રાચીન છે. આ પ્રાચીન મંદિરોનું પણ અનેરું માહાત્મ્ય છે. તેમજ આ દરેક મંદિરનો ભવ્ય ઇતિહાસ છે. અલબત્ત, આ પૈકીનાં ઘણાં મંદિરોનું વર્ણન વેદ-પુરાણો અને શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. મધ્ય પ્રદેશમાં એવાં ઘણાં પ્રાચીન મંદિરો છે જે ભવ્યાતિભવ્ય ઇતિહાસ ધરાવે છે. મધ્ય પ્રદેશમાં આવેલા ખજુરાહોના પરિસરમાં અઢળક પ્રસિદ્ધ મંદિરો જોવા મળે છે. આ પરિસરમાં આવેલું કન્દારિયા મહાદેવનું અનેરું ધાર્મિક મહત્ત્વ છે. આ મંદિરને અંગે એવી ધાર્મિક માન્યતા છે કે, અહીં જે કોઈ પણ ભક્ત સાચા મનથી મહાદેવનાં દર્શન કરવા આવે છે તેમની મનની ઇચ્છાઓ સત્વરે પૂરી થાય છે.

કન્દારિયા મહાદેવ મંદિરનો ઇતિહાસ

મધ્યકાલીન સમયમાં સૌથી આકર્ષક મંદિરોમાં કન્દારિયા મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિર ખજુરાહોના પરિસરમાં આવેલા સૌથી મોટા કહેવાતા મંદિર પૈકીનું એક મંદિર છે. આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1025-1050માં ચંદેલ વંશના રાજા વિદ્યાધર દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ મંદિર ખજુરાહોનું સૌથી મોટું અને વધુ ઊંચાઈ ધરાવતું ઉપરાંત સૌથી આકર્ષક કલાત્મક મંદિર છે જેને `ચતુર્ભુજ મંદિર’ તરીકે વિશેષ ઓળખવામાં આવે છે. નોંધનીય છે કે વર્ષ 1986માં આ મંદિરની વાસ્તુકલા અને અન્ય આકર્ષણ કોતરણીઓને ધ્યાનમાં લઇને તેની નોંધ યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં પણ લેવામાં આવી હતી.

કન્દારિયા મહાદેવ મંદિરની સંરચના

  • ખજુરાહોના પરિસરમાં આવેલા આ કન્દારિયા મંદિરની ઊંચાઈ અંદાજે 31 મીટર સુધીની છે. આ મંદિર ત્યાં આવેલાં મંદિરોમાં સૌથી મોટું મંદિર છે.
  • આ મંદિરનું પરિસર પણ ખૂબ વિશાળ છે.
  • આ મંદિરના પરિસરમાં કન્દારિયા મતંગેશ્વર અને વિશ્વનાથ મંદિર પણ આવેલું છે.
  • આ મંદિરની વાસ્તુકલાની નોંધ વિશ્વભરમાં લેવાય છે.
  • આ મંદિરમાં જે શિવલિંગ છે તે આરસપહાણનું બનેલું છે.
  • ખજુરાહોના પરિસરમાં આવેલું આ મંદિર સૌથી પહેલાં નજરે ચડે છે, કારણ કે તેને 13 ફૂટ ઊંચા પ્લેટફોર્મ (ઓટલા) પર બનાવવામાં આવ્યું છે.
  • કન્દારિયા મહાદેવના મંદિરનું નિર્માણ રાજપૂતોના વશંજો ચંદેલો દ્વારા કરવામાં આવ્યું હતું.

મંદિરમાં ઉત્સવોની પરંપરા

આ મંદિરમાં મહાશિવરાત્રી ઉત્સવ ખૂબ જ ધૂમધામથી અને સંપૂર્ણ ધાર્મિક રીતે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીના થોડા દિવસ પહેલેથી જ મંદિરમાં ભક્તજનોની ભીડ ધીમે ધીમે વધતી જાય છે તેમજ મંદિરને પણ વિશેષ રીતે ફૂલ-હાર દ્વારા અને પાંદડાંઓથી સજાવવામાં આવે છે. જ્યારે શિવરાત્રીના દિવસે અહીં અસંખ્ય માનવમેદની ઉમટે છે. મંદિરના દર્શનાર્થે આવતા મોટાભાગના ભક્તો મહાશિવરાત્રીનો ઉપવાસ કરે છે અને ભગવાન શંકરનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

હિન્દુ ધર્મના અન્ય કેટલાક તહેવારોમાં પણ ભક્તજનો પૂરી શ્રદ્ધાથી અહીં ભગવાન શિવનાં ચરણોમાં પોતાનું મસ્તક નમાવે છે. હોળી-ધુળેટી, દશેરા અને દિવાળીમાં પણ અહીં ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ ભોળાનાથનાં દર્શન કરવા આવે છે જ્યારે બીજી તરફ અહીં ખજુરાહો ડાન્સ ફેસ્ટિવલ પણ ઉજવાય છે. જેમાં દુનિયાભરમાંથી પ્રસિદ્ધ નર્તકો ભાગ લે છે. અહીં યોજાતા ડાન્સ ફેસ્ટિવલમાં કથક, ભરતનાટ્યમ, ઓડિસી, મણિપુરી જેવાં ભારતીય નૃત્યોનો સમાવેશ થાય છે. જેને જોવા વિશ્વભરમાંથી લોકો આવે છે.

કન્દારિયા મહાદેવ મંદિરની આસપાસનાં મંદિરો

માતા લક્ષ્મી અને વરાહ મંદિર

કન્દારિયા મહાદેવ મંદિરની આજુબાજુમાં ઘણાં મંદિરો આવેલાં છે. આ મંદિરોમાં માતા લક્ષ્મી અને વરાહના મંદિરનો સમાવેશ થાય છે. મૂળ આ બંને નાનાં મંદિરો છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે.

લક્ષ્મણ મંદિર

આ મંદિરની બીજી તરફ લક્ષ્મણ મંદિર પણ આવેલું છે. ભારતભરનાં મંદિરોમાં આ લક્ષ્મણ મંદિરનું સૌથી અલગ મહત્ત્વ છે, કારણ કે આ મંદિરમાં જે પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પથ્થરો ખૂબ જ જૂનાપુરાણા છે.

ભગવાન બ્રહ્મા અને હનુમાનજીનું મંદિર

જે ભક્તજનો પ્રાચીન મંદિરોની યાત્રા કરતા હોય છે તેમના માટે આ પરિસરમાં આવેલાં મંદિરો ખૂબ જ માહાત્મ્ય ધરાવે છે, કારણ કે અહીં આવેલું ભગવાન બ્રહ્મા અને હનુમાનજીનું મંદિર સૌથી જૂનામાં જૂનું મંદિર માનવામાં આવે છે.

વિશ્વનાથ અને નંદી મંદિર

આ મંદિરની સરખામણી કન્દારિયા મંદિર સાથે કરવામાં આવે છે. આ મંદિર પણ ભગવાન શિવને જ સમર્પિત છે. આ મંદિરની રચના અને વાસ્તુકલા અદ્ભુત છે.

પાર્શ્વનાથ મંદિર

ખજુરાહોમાં સૌથી વધુ પ્રભાવશાળી મંદિરોમાં પાર્શ્વનાથ મંદિરનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ 10મી શતાબ્દીની મધ્યમાં ધનદેવના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ મંદિરની કલાત્મક રચના અને કોતરણીઓ જોવા માટે માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વભરના પર્યટકો પણ આવે છે.

દર્શન કરવાનો શ્રેષ્ઠ સમય

આમ તો કન્દારિયા મંદિરે તમે કોઈ પણ સમયે દર્શન કરવા જઇ શકો છો, પરંતુ ઓક્ટોબરથી લઇ ફેબ્રુઆરી મહિના સુધીનો સમય અહીં શ્રેષ્ઠ ગણાય છે. મૂળ અહીં શિયાળામાં આવવાનું વધારે અનુકૂળ ગણાય છે, કારણ કે ગરમીની ઋતુમાં અહીં ખૂબ જ ગરમી પડે છે તેથી ગરમી કરતાં ઠંડીની ઋતુમાં અહીં દર્શનાર્થે આવવું હિતાવહ ગણાય છે.

કેવી રીતે પહોંચશો?

ખજુરાહો સડકમાર્ગ અને હવાઈમાર્ગ દેશનાં મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. ખજુરાહોમાં ખજુરાહો નામે જ રેલવે સ્ટેશન છે જ્યાં મુખ્ય શહેરોથી મોટાભાગની ટ્રેન આવે છે. જ્યારે અહીં નજીકનું એરપોર્ટ ખજુરાહો એરપોર્ટ છે જે દેશનાં મુખ્ય શહેરો નવી દિલ્હી, ભોપાલ અને અન્ય રાજ્યોનાં નામી શહેરો સાથે જોડાયેલું છે. જો તમે ટ્રેન માર્ગે અહીં આવવા માંગતો હો તો ખજુરાહો રેલવે સ્ટેશન અંદાજે પાંચ કિમી. જ દૂર છે. તો બીજી તરફ સડકમાર્ગથી આવવા માટે પણ ભારતનાં મોટાં શહેરોની બસ અહીં સુધી આવે છે. અલબત્ત, મંદિરથી સડકમાર્ગ, રેલવે કે એરપોર્ટ ખૂબ જ નજીવા અંતરે છે જેથી તમે સરળતાથી મંદિર સુધી પહોંચી શકો છો.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
World News : 'ભારત પર વધારે ટેરિફ લગાવીશ' રશિયા પાસેથી ક્રુડઓઈલ ખરીદવા પર ભડ્કયા ડોનાલ્ડ ટ્રમ્પ
રાષ્ટ્રિય

World News : 'ભારત પર વધારે ટેરિફ લગાવીશ' રશિયા પાસેથી ક્રુડઓઈલ ખરીદવા પર ભડ્કયા ડોનાલ્ડ ટ્રમ્પ

By 6 days ago
Health Tips : ચોમાસામાં સોયાબીન ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, મહિલાઓ માટે ઉપયોગી, જાણો તેનું સેવન કેટલું ગુણકારી
Health News : માઇક્રોવેવનો ખોરાક કેન્સરનું કારણ, જાણો ડોક્ટરનો અભિપ્રાય
શરીરમાં થાક અને સુસ્તી દૂર કરવા આ એનર્જી ડ્રિંકસ ફાયદાકારક, ગરમ સ્વભાવના આ ફ્રૂટના સેવનથી સ્ફૂર્તિ આવશે
Kitchen Tips : વરસાદી સિઝનમાં થોડી બેદરકારી અને ઉતાવળ પડશો બીમાર, આ રીતે કરો ફળો અને શાકભાજીની સાચવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?