By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    11 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધર્મની રક્ષા કરનાર શ્રીહરિ વિષ્ણુનો કૂર્મ અવતાર તથા મોહિની રૂપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ધર્મની રક્ષા કરનાર શ્રીહરિ વિષ્ણુનો કૂર્મ અવતાર તથા મોહિની રૂપ

agragujaratnews
Last updated: 2024/05/23 at 5:50 AM
2 years ago
Share
ધર્મની રક્ષા કરનાર શ્રીહરિ વિષ્ણુનો કૂર્મ અવતાર તથા મોહિની રૂપ
SHARE

રૈવત મન્વંતરની કથામાં શ્રીહરિ વિષ્ણુ ભગવાનનો પરિચય જોવા મળે છે. પાંચમા મનુનું નામ રૈવત. તેઓ ચોથા મનુ તામસના સગા ભાઈ થાય. રૈવત મન્વંતરના સમયમાં ઘણા સપ્તર્ષિઓ હતા. એમાંના એક શુભ્ર ઋષિ.

શુભ્ર ઋષિનાં પત્નીનું નામ વિકુંઠા હતું તેમના જ ગર્ભથી વૈકુંઠ નામના શ્રેષ્ઠ દેવો સહિત ભગવાનની માયાથી વૈકુંઠ નામનો અવતાર ધારણ કર્યો. આ વૈકુંઠે લક્ષ્મી દેવીની પ્રાર્થનાથી તેમને પ્રસન્ન કરવા માટે વૈકુંઠધામની રચના કરી હતી. આ વૈકુંઠધામ સમસ્ત લોકોમાં શ્રેષ્ઠ છે.

આ વૈકુંઠનાથ ભગવાન એટલે સાક્ષાત્ શ્રી હરિ વિષ્ણુ ભગવાન જ છે. છઠ્ઠા મન્વંતરમાં છઠ્ઠા મનુના પુત્ર હતા સાક્ષુષ. આ સમયમાં પણ જગતના સ્વામીએ વૈરાજની પત્ની સંભૂતિના ગર્ભથી અજિત નામે અંશાવતાર લીધો હતો. એ જ ભગવાને એક સમયે સમુદ્રમંથન કરીને દેવોને અમૃત પિવડાવ્યું હતું. તેમણે જ કચ્છપ (કૂર્મ) કાચબાનું રૂપ ધારણ કર્યું હતું અને તે જ સમયે તેઓ મોહિની રૂપે પણ અવતર્યા હતા. ખૂબ જ સુંદર કથા છે આ.

ભારતવર્ષમાં વૈશાખી પૂર્ણિમા કૂર્મ જયંતી રૂપે પ્રચલિત છે. શા માટે પ્રભુએ કૂર્મ અવતાર (કાચબાનો અવતાર) લીધો એ જ સમયે મોહિની રૂપ શા માટે ધારણ કર્યું?

પુરાતનકાળની આ વાત છે. અસુરોએ પોતાની માયાવી શક્તિથી અને તીક્ષ્ણ શસ્ત્રોથી દેવોને પરાજિત કરી દીધા હતા. યુદ્ધમાં ઘણા દેવતાઓના પ્રાણ પણ ગયા હતા. દેવતાનું તેજ દુર્વાસા મુનિના શાપથી ક્ષીણ થઈ ગયું. ત્રણેય લોક અને સ્વયં ઈન્દ્ર પણ શ્રીહીન થઈ ગયા. લક્ષ્મીજીની કૃપાથી દૂર થઈ ગયા. યજ્ઞાદિ કર્મ, ધર્મ, કર્મ સર્વનો લોપ થઈ ગયો. સમગ્ર સૃષ્ટિની દુર્દશા થઈ ગઈ. આ સમયે તમામ દેવતાઓ સુમેરુ પર્વત ઉપર બ્રહ્માજીની સભામાં ગયા અને નમ્રપણે ઘટનાની જાણ કરી. બ્રહ્માજી પણ મૂંઝાયા. તેઓ સર્વ દેવતાઓને લઈને ભગવાન અજિતના નિજ વૈકુંઠધામમાં વૈકુંઠનાથ ભગવાન (શ્રીહરિ વિષ્ણુ) પાસે ગયા. આ વૈકુંઠધામ તમોમયી પ્રકૃતિથી પર છે. બ્રહ્માજીએ સઘળી હકીકત પ્રભુને જણાવી. આ સમયે શ્રીહરિ બ્રહ્માજી તથા દેવોની મુશ્કેલીનું નિવારણ બતાવે છે.

ભગવાન વિષ્ણુએ તમામ દેવતાઓને દાનવો સાથે મિત્રતા કરી લેવા જણાવ્યું. સર્વને જ્ઞાન આપ્યું કે દેવો તથા દાનવો ભેગા થઈ સમુદ્રનું મંથન કરો તેમાંથી અમૃત નીકળશે. તેનું તમને હું પાન કરાવીશ જેથી તમે સહુ અજરઅમર બની જશો. તમારું કાર્ય પૂર્ણ થાય એટલે તમે દાનવો સાથે સર્પ-મૂષક ન્યાયે વર્તી શકો છો.

આ રીતે દેવરાજ ઈન્દ્રએ દૈત્યરાજ બલી સાથે મિત્રતા કરી અને શ્રીહરિની આજ્ઞા અને સૂચન પ્રમાણે સમુદ્રમંથનની વાત કરી.

દૈત્યરાજ બલીએ તમામ દાનવોને સંધિ કરવા આદેશ કર્યો. અસુરના સેનાપતિ શંબર અને અરિષ્ટનેમિ તેમજ ત્રિપુરવાસી સહુએ બલીરાજની વાત સ્વીકારી લીધી.

ભગવાન શ્રીહરિની આજ્ઞાથી અને તેની સૂચનાથી મંદરાચલ પર્વતને સમુદ્રમાં લાવવા કોશિશ કરી. દેવો તથા દાનવો-શક્તિવીરો અસહાય બન્યા ત્યારે શ્રીહરિએ ગરુડજી દ્વારા મંદરાચલ પર્વતને સમુદ્રમાં લાવીને મૂક્યો. ઘટના બની કે મંદરાચલ પર્વત સ્થિર રહી શકતો નહીં. તેથી પ્રભુને ફરી પ્રાર્થના કરી. એ સમયે ભગવાને વચન આપ્યા મુજબ કૂર્મનો અવતાર લીધો. વિશાળ કાચબા સ્વરૂપે સમુદ્રમાં પધાર્યા. તેની પીઠ ઉપર મંદરાચલને બેસાડ્યો. ભગવાન કૂર્મ રૂપે મંદરાચલ પર્વતના આધાર બન્યા. ભગવાને અગાઉ સૂચન કર્યું તે મુજબ તમામ પ્રકારની ઔષધી-વનસ્પતિ વગેરે સમુદ્રમાં પધરાવ્યાં. વાસુકી નાગનું દોરડું બનાવ્યું અને વલોણાંની માફક વાસુકી નાગને મંદરાચલની ફરતે વીંટાળ્યો. એક તરફ વાસુકી નાગનું મુખ અને બીજી તરફ પૂંછ. દેવોએ દાનવોને પૂંછ તરફ રહેવા કહ્યું, પરંતુ પૂંછ તરફ રહેવું અપશુકન કહેવાય એટલે દાનવોએ મુખ તરફ રહેવા સ્વીકાર્યું અને દેવતાઓ નાગની પૂંછડી તરફ રહ્યા. દેવો તથા દાનવોએ સમુદ્રને મંદરાચલ પર્વતથી મંથન કરવાનું શરૂ કર્યું.

ભગવાન કૂર્મ તેની પીઠ ઉપર અતિશય ભાર અને કષ્ટ સહન કરતાં રહ્યાં. સહુ પ્રથમ કાલકુટ હલાહલ વિષ નીકળ્યું. આ ઝેર સૃષ્ટિનો નાશ કરનાર હતું. સહુ મૂંઝાયા. સહુએ સદાશિવને વિનંતી કરી. સૃષ્ટિના તારણહાર કાલકુટ વિષ પોતાના કંઠમાં પી ગયા. તેનો કંઠ નીલો ઝેરી બની ગયો. ત્યારથી સદાશિવ નીલકંઠ નામે પ્રખ્યાત થયા. ત્યારબાદ એક પછી એક એમ વિવિધ રત્નો નીકળ્યાં જેમાં ઉચ્ચેશ્રવા ઘોડો, ઐરાવત હાથી, કૌસ્તુભ મણિ, કામધેનુ ગાય, કલ્પ વૃક્ષ, દેવી લક્ષ્મીજી, અપ્સરા રંભા, પારિજાત વૃક્ષ, વારુણી દેવી, શંખ, ચંદ્ર અને અમૃત કુંભ લઈને અંતમાં સંસારના મહાન વૈદ્ય ધન્વંતરિ પ્રગટ થયા. અમૃત કળશ જોઈને દાનવો અને દેવો તેને લૂંટવા દોડ્યા. ઝપાઝપી થઈ ગઈ તે સમયે શ્રીહરિ વિષ્ણુ સનાતન ધર્મની રક્ષા કરવા અને દેવોએ જે મહેનત કરી તેને યોગ્ય ન્યાય અને ફળ આપવા માટે ખૂબ જ સુંદર માયાવી-મોહિની સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. અતિ સુંદર મનમોહક રૂપ, સુંદર નવયૌવન, લાંબા સુગંધીદાર વાળ, પાતળી કમર, મલ્લિકા પુષ્પની સુગંધી માળા ધારણ કરી હતી. તેણે અમૃત કુંભ લઈ લીધો. બંનેને દેવો-દાનવોને અલગ અલગ હરોળમાં બેસાડી દીધા. અતિ મોહક રૂપથી દાનવો તેમાં મોહિત થઈ ગયા અને શાંતિથી બેસી ગયા. દેવોને અમૃતપાન કરાવવા લાગ્યા. દેવોની હારમાળામાં રાહુ આવીને છાનોમાનો બેસી ગયો. જે સૂર્ય અને ચંદ્રએ તેને છતો કરી દીધો. એ સમયે શ્રીહરિએ ચક્ર વડે રાહુનું માથું ધડથી અલગ કરી નાખ્યું. માથું જમીન ઉપર પડ્યું. માથું અમર બની ગયું. બ્રહ્માજીએ રાહુને ગ્રહ બનાવી દીધો. ગ્રહ થયા પછી રાહુ પર્વના દિવસે યાને કે અમાસે અને પૂર્ણિમાએ બદલો લેવા સૂર્ય અને ચંદ્રની ઉપર આક્રમણ કરતો રહે છે. જે ઘટનાથી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે.

કહેવાય છે કે અમૃતની લાલચમાં દેવો અને દાનવો વચ્ચે કુંભની ઝપાઝપી થઈ તે વખતે અમૃતનાં ટીપાં- અમૃતબિંદુઓ ચોક્કસ જગ્યાએ પડ્યાં. એ સમયે ચંદ્રએ કળશને વધુ પડતો છલકવાથી બચાવ્યો. સૂર્યએ અમૃત કળશને તૂટતા બચાવ્યો. દેવગુરુ બૃહસ્પતિએ તેની રક્ષા કરી. જેથી જે ચાર સ્થાનમાં અમૃતનાં બિંદુ પડ્યાં તે સ્થાન નાસિક, ઉજ્જૈન-હરિદ્વાર અને પ્રયાગમાં સૂર્ય,ચંદ્ર, ગુરુ આ ત્રણ ગ્રહોની વિશિષ્ટ કાલસ્થિતિમાં કુંભપર્વ યોજાય છે.

આ રીતે જગતના નાથ વૈકુંઠનાથે કૂર્મ અવતાર અને તેની સાથે સાથે મોહિની સ્વરૂપ ધારણ કરીને દેવતાનું અમૃતપાન કરાવી તેનું તેજ કાયમ રખાવી અમરત્વ પ્રદાન કરીને સનાતન ધર્મની રક્ષા કરી છે.

કૂર્મ અવતાર રૂપ શ્રી હરિએ સમુદ્રમંથન દરમિયાન અનમોલ રત્ન ઉત્પન્ન કરી સૃષ્ટિનો અને ત્રણેય લોકનો વૈભવ વધાર્યો. દેવોને અમરત્વનું પ્રદાન કર્યું. એક જ સમયે એક સાથે બે સ્વરૂપ ધારણ કર્યાં. `કૂર્મ રૂપ’ અને `મોહિની રૂપ.’

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
રાજકોટ

 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું

Editor By Editor 6 days ago
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?