- શિખકોની ભરતીને ળયાની સીએમ નીતિશ કુમારનું દર્દ છલકાયું
- બિહાર પાવર હોલ્ડિંગના કાર્યક્રમમાં પહોંચ્યા નીતિશ કુમાર
- આરજેડી અને તેજસ્વી યાદવને નીતિશ કુમારે આપી સલાહ
બિહારના રાજકારણમાં ગરમાગરમી કોઈ નવી વાત નથી. એવામાં એકવાર ફરી રાજ્યના રાજકીય વર્તુળોમાં હલચલ જોવા મળી રહી છે. આ વખતે શિક્ષકોની ભરતીને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. વાસ્તવમાં, શિખકોની ભરતીનું ક્રેડિટ લેવાને લઈને મુખ્યમંત્રી નીતિશ કુમારનું હૃદય છલકાયું છે. સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે બિહારની ગઠબંધન સરકારમાં બધુ સારું નથી ચાલી રહ્યું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના સહયોગી પક્ષો RJD અને અન્ય પક્ષોના મંત્રીઓને સલાહ આપી દીધી. જણાવી દઈએ કે BPSC શિક્ષક ભરતીને મંજૂરી બાદ આરજેડી અને જેડીયું વચ્ચે સમગ્ર મામલે શ્રેય લેવાની રેસ લાગી. કદાચ આ જ કારણ છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરમાં કહેવું પડ્યું કે તેઓ કોઈ એક જ પાર્ટીને ક્રેડિટ ન આપે. એમ કહો કે આ રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિઓ કરવામાં આવી છે.
સીએમ નીતિશ કુમાર બિહાર પાવર હોલ્ડિંગના 11માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન, મંચ પર હાજર આરજેડી ક્વોટા મંત્રી આલોક મહેતાને સલાહ આપતાં તેમણે કહ્યું કે જે પણ કામ થઈ રહ્યું છે તેના માટે તમે પોતાને અને તમારી પાર્ટીને શ્રેય આપવામાં વ્યસ્ત ન થાઓ.
નીતિશકુમારે આરજેડીને આપી સલાહ
સંબોધનમાં નીતિશકુમારે કહ્યું કે જે કઈ કરી રહી છે તે રાજ્ય સરકાર કરી રહી છે. અમે ક્યારેય કરેલા કામ માટે વ્યક્તિગત ક્રેડિટ લેતા નથી. તમારી અને તમારી પાર્ટીનો શ્રેય લેવાને બદલે કહો કે રાજ્ય સરકારે નિમણૂક કરી છે. હકીકતમાં, સત્તામાં આવતા પહેલા ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે બિહારના 10 લાખ લોકોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેબિનેટની પ્રથમ બેઠકમાં તેઓ પ્રથમ પગલાથી 10 લાખ યુવાનોને નોકરી આપવા પર કામ કરશે.
તેજસ્વીને શ્રેય આપવાની તૈયારી
જ્યારે તેજસ્વી બિહારના ડેપ્યુટી સીએમ બન્યા ત્યારે આરજેડી અને તેના નેતાઓએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી નિમણૂકોને તેજસ્વીના વચનની અસર ગણાવીને શ્રેય લેવાનું શરૂ કર્યું. આરજેડી સતત કહેતી રહી છે કે તેજસ્વી યાદવ દ્વારા કરવામાં જે વચનો આપવામાં આવેલા તે વચનો પૂરા થઈ રહ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ અંગે આરજેડીને સલાહ આપી છે. RJD અને તેના નેતાઓ રાજ્યમાં એક લાખથી વધુ શિક્ષકોને પુનઃસ્થાપિત કરવાનો શ્રેય પણ લઈ રહ્યા છે.
તેજસ્વીએ આપ્યું હતું 10 લાખ નોકરીઓનું વચન
રાજ્યમાં જે શિક્ષકોની ભરતી કરવામાં આવી તેને તેજસ્વીના 10 લાખ નોકરીઓના વચન સાથે જોડી રહ્યા છે. આ અંગે આજે જ્યારે સીએમ નીતિશ કુમાર ઉર્જા વિભાગના કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે કાર્યક્રમને સંબોધિત કરતા સીએમ નીતિશ કુમારે આના પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે જે પણ નિમણૂકો કરવામાં આવે છે તે સરકાર દ્વારા કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈ પક્ષ દ્વારા નહીં.