- 22 જાન્યુ.એ અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં થશે બિરાજમાન
- રામ મંદિરનો 5.5 ટનનો ધ્વજ દંડ રાજકોટમાં બનાવાયો
- 161 ફૂટ ઊંચા રામલલ્લા મંદિર પર લાગશે 45 ફૂટનો ધ્વજ દંડ
અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રાજકોટમાં બનેલો ધ્વજ દંડ લગાવવામાં આવશે. જેમાં 22 જાન્યુ.એ અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં બિરાજમાન થશે. મંદિરમાં રાજકોટમાં બનેલો ધ્વજ દંડ લગાવવામાં આવશે. રામ મંદિરનો 5.5 ટનનો ધ્વજ દંડ રાજકોટમાં બનાવાયો છે.
161 ફૂટ ઊંચા રામલલ્લા મંદિર પર 45 ફૂટનો ધ્વજ દંડ લાગશે
161 ફૂટ ઊંચા રામલલ્લા મંદિર પર 45 ફૂટનો ધ્વજ દંડ લાગશે. સેન્ટ્રીફ્યુગલ ડાયકાસ્ટિંગનો ઉપયોગ કરી ધ્વજ દંડ બનાવાયો છે. ધ્વજ દંડ ઉપરાંત 21 ફૂટના છ નાના દંડ બનાવવામાં આવ્યા છે. અયોધ્યા રામ મંદિરનો 5.5 ટન વજનનો ધ્વજ દંડ રાજકોટમાં બન્યો છે. 1200 આરપીએમ પર ફરતા મશીનમાં કાસ્ટિંગ કરવામાં આવ્યુ છે. રાજકોટ નજીક આવેલા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝમાં રેન્ક વન એલોઇ નામની ફેક્ટરીમાં ધ્વજ દંડ બનાવવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારના મિશ્રણ વગર કોપર અને ઝીંકનો ઉપયોગ કરી મુખ્ય ધ્વજ દંડ ઉપરાંત 21 ફૂટના છ નાના દંડ બનાવવામાં આવ્યા છે. રાજકોટના સાપર વેરાવળમાં રેન્ક વન એલોય નામનીકંપનીના માલિક રાજેશભાઈ મણવરને ઓર્ડર આપવામાં આવ્યો હતો.
500 વર્ષ બાદ ફરી એકવાર રામલલા પોતાના ગૃહ મંદિરમાં પ્રવેશ કરશે
આગામી 22 જાન્યુઆરીએ ભારતમાં ફરી એકવાર અયોધ્યામાં મોટો તહેવાર મનાવાશે. 500 વર્ષ બાદ ફરી એકવાર રામલલા પોતાના ગૃહ મંદિરમાં પ્રવેશ કરશે. અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠાની ભવ્ય તૈયારીઓ દેશભરમાં ચાલી રહી છે. ઠેર ઠેરથી જુદીજુદી વસ્તુઓ બનીને અયોધ્યા પહોંચી રહી છે. ત્યારે રાજકોટમાંથી પણ એક ભવ્ય ધ્વજ દંડ બનીને અયોધ્યા રામ મંદિર માટે તૈયાર થઇ રહ્યો છે. હાલમાં સમાચાર છે કે, રાજકોટની રેન્ક વન એલૉય કંપનીમાં બનેલો ભવ્ય ધ્વજ દંડ રામ મંદિર માટે 22મી જાન્યુઆરીએ પહોંચશે.


