By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 Auction : IPL ઓક્શનમાં કેમરન ગ્રીનનો દબદબો, મુંબઈ, રાજસ્થાન અને ચેન્નાઈને પછાડી KKR એ 25.50 કરોડમાં ખરીદ્યો
    IPL 2026 Auction : IPL ઓક્શનમાં કેમરન ગ્રીનનો દબદબો, મુંબઈ, રાજસ્થાન અને ચેન્નાઈને પછાડી KKR એ 25.50 કરોડમાં ખરીદ્યો
    32 minutes ago
    IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગનું BCCI આયોજન કરે છે, તો ભારત બહાર અબુધાબીમાં કેમ થઈ રહ્યું છે IPLનું Auction
    IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગનું BCCI આયોજન કરે છે, તો ભારત બહાર અબુધાબીમાં કેમ થઈ રહ્યું છે IPLનું Auction
    2 hours ago
    Venkatesh Iyer: IPL Auction પહેલા જ વેંકટેશ અય્યરે કર્યો ધમાકો, SMAT માં રમી શાનદાર ઇનિંગ્સ
    Venkatesh Iyer: IPL Auction પહેલા જ વેંકટેશ અય્યરે કર્યો ધમાકો, SMAT માં રમી શાનદાર ઇનિંગ્સ
    3 hours ago
    IPL Auction 2026 Live : આ 5  જાણીતા યુવા ખેલાડીઓ પર થઈ શકે છે કરોડો રૂપિયાનો વરસાદ
    IPL Auction 2026 Live : આ 5 જાણીતા યુવા ખેલાડીઓ પર થઈ શકે છે કરોડો રૂપિયાનો વરસાદ
    4 hours ago
    IPL 2026 Auction : મીની ઓક્શનને લઈને ખેલાડીઓમાં રોમાંચ, જાણો IPLની Inside Story
    IPL 2026 Auction : મીની ઓક્શનને લઈને ખેલાડીઓમાં રોમાંચ, જાણો IPLની Inside Story
    6 hours ago
  • EpaperEpaperEpaper
Reading: પૂજનમાં ધૂપની વિધિ અને મહત્ત્વ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પૂજનમાં ધૂપની વિધિ અને મહત્ત્વ

AgraGujarat Rajkot
Last updated: 2025/11/06 at 4:32 AM
1 month ago
Share
પૂજનમાં ધૂપની વિધિ અને મહત્ત્વ
SHARE

 જાપાઠમાં જે રીતે ફળ, ફૂલ, નૈવેદ્ય, કંકુ, ચોખા, ઘી, ગોળ, પંચામૃત, ચંદન, દીપ, હવન, કપૂર, શંખ વગેરેનું મહત્ત્વ છે એવી જ રીતે ધૂપનું પણ વિશેષ મહત્ત્વ છે.

ધૂપની સુગંધ તીવ્ર હોય છે. આ સુગંધથી વિશિષ્ટ દેવતાનું તત્ત્વ કાર્યરત થઈને તે ધૂપના ધુમાડાના માધ્યમથી સૂક્ષ્મ-શસ્ત્રો બનીને વાતાવરણમાં રજ-તમસ તત્ત્વો સામે લડે છે, જેનાથી વાતાવરણમાં સત્ત્વ ગુણની પ્રબળતા વધી જાય છે. આ રીતે વાતાવરણ તથા વાસ્તુની શુદ્ધિ થાય છે. આ જ હેતુથી પૂજા-આરતી કરતા પહેલાં ધૂપ કરવાની પરંપરા આપણે ત્યાં જોવા મળે છે.

દેવી-દેવતાઓની પૂજા ધૂપ, અગરબત્તીના ઉપયોગ વિના અધૂરી ગણવામાં આવે છે. વિશ્વના કેટલાય એવા ધર્મો છે જેમાં ધૂપનો ઉપયોગ દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. તંત્રાસાર મુજબ ધૂપના સોળ જેટલા પ્રકાર છે. જેમ કે, અગર, તગર, કુષ્ઠ, શૈલજ, શર્કરા, નાગરમાથા, ચંદન, એલાયચી, તજ, નખનખી, મુશીર, જટામાસી, કપૂર, તાલી, સદલન, ગૂગળ વગેરે. આ પ્રકારના ધૂપને `ષોળશાંગ ધૂપ’ કહેવામાં આવે છે.

મદરત્ન અનુસાર ચંદન, કુષ્ઠ, નખલ, રાલ, ગોળ, શર્કરા, નખગંધ, જટામાસી, લઘુ અને ક્ષૌદ્રને સરખા ભાગમાં ભેળવીને સળગાવવામાં આવે તો શ્રેષ્ઠ ધૂપ થાય છે. આ પ્રકારના ધૂપને `દશાંગ ધૂપ’ કહેવામાં આવે છે. આ સિવાય અન્ય પ્રકારના પણ ધૂપ કરવામાં આવે છે જેમાં છ ભાગ કુષ્ઠ, બે ભાગ ગોળ, ત્રણ ભાગ લાક્ષા, પાંચ ભાગ નખલા, હરીતકી, રાલ, એક ભાગ દપૈ, નાગરમાથા ચાર ભાગ, ગૂગળ એક ભાગ લેવાથી ઉત્તમ ધૂપ બને છે.

ધૂપ કેવી રીતે આપવો?

હિન્દુ ધર્મમાં પૂજાપાઠ અને દીપ પ્રગટાવવાની સાથે સાથે ધૂપનું પણ વિશેષ મહત્ત્વ છે. સામાન્ય રીતે ધૂપ બે રીતે અપાય છે. એક ગૂગળ-કપૂર દ્વારા અને બીજો ગોળ તથા ઘી દ્વારા સળગતા અંગારા ઉપર મૂકીને. ધૂપ આપવા અંગે એવી માન્યતા છે કે જો ધૂપ દેવી-દેવતાઓને આપવાનો હોય તો આંગળીઓ દ્વારા અને પિતૃઓને આપવાનો હોય તો અંગૂઠા દ્વારા આપવો જોઈએ. જ્યારે દેવતાઓને ધૂપ આપતા હો ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું ધ્યાન કરવું જોઈએ અને પિતૃઓને ધૂપ આપતા હો ત્યારે બધા જ પિતૃઓનું ધ્યાન કરી સુખ-શાંતિની પ્રાર્થના કરવી જોઈએ.

ધૂપ આપવાની વિધિ

ઘરમાં ધૂપ કરવાથી સુખ-શાંતિમાં વૃદ્ધિ થાય છે. ગામમાં હવન હોય કે ઉજાણી હોય કે પછી કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે ધૂપ કરવામાં આવે છે. મોટાભાગના લોકો ધૂપ કેવી રીતે આપવો તે જાણે છે. છતાંય વિધિવત્ રીતે ધૂપ કેવી રીતે આપવો તે જાણીએ. ગોળ અને ઘી વડે આપવામાં આવેલા ધૂપનું વિશેષ મહત્ત્વ છે. ગોળ અને ઘીનો ધૂપ કરવામાં એક છાણું સળગાવી લો. જ્યારે તેમાંથી અંગારા નીકળવાના બંધ થઈ જાય ત્યારે તેમાં ગોળ અને ઘી સરખા પ્રમાણમાં ભેળવીને અંગારા ઉપર મૂકી તેની આજુબાજુ આંગળીથી પાણી સમર્પિત કરો.

ધૂપ આપવાના લાભ

ધૂપ આપવાથી ઘરમાં સુખ-શાંતિની સ્થપાય છે.

રોગ અને શોક દૂર થાય છે.

ઘરમાં ક્લેશ અને આકસ્મિક દુર્ઘટનાઓથી રક્ષણ થાય છે.

ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. ઘરના વાસ્તુદોષ દૂર થાય છે.

ગ્રહો-નક્ષત્રો દ્વારા થતી તમામ તકલીફો દૂર થાય છે.

શ્રાદ્ધ પક્ષમાં સોળ દિવસ સુધી ધૂપ આપવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમને મુક્તિ મળે છે તેમજ પિતૃદોષનું સમાધાન થઈ પિતૃયજ્ઞ પૂર્ણ થાય છે.

ધૂપ આપવાના નિયમો

કોઈ પણ કાર્ય જો નીતિનિયમ દ્વારા કરવામાં આવે તો જ તેનું સાચું ફળ પ્રાપ્ત થાય છે. પછી તે પૂજાપાઠ જ કેમ ન હોય. હિંદુ ધર્મમાં ધૂપ-દીપ આપવાના પણ નિયમો બતાવવામાં આવ્યા છે. જો તમે દરરોજ ધૂપ ન આપી શકતા હો તો તેરસ, ચૌદશ, અમાસ અને પૂનમના રોજ સવાર-સાંજ ધૂપ ચોક્કસપણે આપવો જોઈએ. સવારે અપાતો ધૂપ દેવતાઓ માટે અને સાંજે અપાતો ધૂપ પિતૃઓ માટે હોય છે તેમજ ધૂપ આપતા પહેલાં ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. પવિત્ર તન-મન સાથે ઈશાન ખૂણામાં જ ધૂપ આપવો જોઈએ. આ સિવાય ઘરના દરેક રૂમમાં ધૂપ આપવો જોઈએ અને ધૂપની અસર અથવા સુગંધ જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું સંગીત ન વગાડવું જોઈએ.

You Might Also Like

પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી

સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત

દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!

એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું

ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Junagadh News: માનવીય વસવાટમાં વન્યજીવોના આવાગમનથી પશુઓ-લોકોમાં નવીન રોગો ઉદભવે છે : નિષ્ણાંતો
ગુજરાત

Junagadh News: માનવીય વસવાટમાં વન્યજીવોના આવાગમનથી પશુઓ-લોકોમાં નવીન રોગો ઉદભવે છે : નિષ્ણાંતો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
Smriti Mandhana : લગ્ન રદ થયા પછી સ્મૃતિ મંધાનાએ તોડ્યું મૌન, પોતાના પ્રેમને લઈને કર્યો ખુલાસો
ICC વન-ડે રેન્કિંગમાં થયો મોટો ફેરફાર, વિરાટ કોહલી પહોંચ્યો બીજા સ્થાને
લો બોલો હવે આ યુદ્ધનો પણ શ્રેય લેવા ઉતાવળા થયા Donald Trump, કહ્યુઃ મારે માત્ર એક ફોન જ કરવો પડશે….
Lionel Messi On GOAT India Tour : ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવશે ફૂટબોલ સ્ટાર Lionel Messi, જાણી લો શિડ્યૂલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?