શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાય પુરૂષોત્તમ યોગનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે. દેખાવાવાળા પદાર્થોમાં પોતાનો પ્રભાવ બતાવ્યા પછી હવે જે શક્તિથી સમષ્ટિ-જગતમાં ક્રિયાઓ થઇ રહી છે તે સમષ્ટિ-શક્તિમાં પોતાનો પ્રભાવ પ્રગટ કરતાં પંદરમા અધ્યાયના શ્ર્લોક-13માં કરતાં ભગવાન કહે છે કે…
ગામાવિશ્ય ચ ભૂતાનિ ધારયામ્યહમોજસા
પુષ્ણામિ ચૌષધિઃ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મકઃ
હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી તમામ પ્રાણીઓને ધારણ કરૂં છું અને હું જ રસસ્વરૂપ ચંદ્રમા બનીને તમામ વનસ્પતિ(ઔષધિ)ઓને પુષ્ટ કરૂં છું. પ્રકૃતિનું સૌથી સ્થૂલતત્વ પૃથ્વી છે તેમાંથી અન્ન,ઔષધિ,વનસ્પતિ વગેરેની ઉત્પત્તિ થાય છે.બધું ઉત્પાદીત તત્વ ભૂમિમય છે.આખું જગત ભૂમિમય છે.પૃથ્વી પાસેથી સહનશીલતાનો તથા ક્ષમાશીલતાનો ગુણ લેવાનો છે.પૃથ્વીના એક ભાગને 5ર્વત કહેવામાં આવે છે.5ર્વતમાંથી નીકળતી નદીઓ અને વૃક્ષો પાસેથી પરોપકાર કેવી રીતે કરવો? તેનો બોધ લેવાનો છે. હે મુમુક્ષ માનવ! ઉ5ર જે સૂર્ય,ચંદ્રમા અને તારાઓ દેખાય છે તેની ચમક-દમક અને તે પોતે નાશવાન છે.નીચે ત્રણ તત્વઃપૃથ્વી,પાણી અને અગ્નિ કે જેનો ખુબ મોટો વિસ્તાર છે અને તેનાથી તમામ સંસારની રચના થઇ છે તે પણ નાશવાન છે.આ નવ વસ્તુઓ દ્રશ્યમાન છે જેને માયા કહેવામાં આવે છે.દશમો બ્રહ્મ તેનાથી ન્યારો અને તેમની વચ્ચે સમાયેલ છે. માયા તો ક્ષણભંગુર હોવાથી નાશવાન છે પરંતુ આ અવિનાશી તત્વ બ્રહ્મ જ સર્વ કંઇ છે.તેને મહાત્માઓ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ કહે છે.
ચંદ્રમાની કળા વધે છે અને ઘટે છે તેમ આ શરીરની અવસ્થા અસ્થિ જાયતે વિપરિણમમતે અ5ક્ષી5તે અને નશ્યઆતિ-આ ક્રમ છે. ચંદ્ર પાસેથી મને દેહની ક્ષુદ્રતા અને આત્માની અમરતાનું શિક્ષણ મળ્યું છે. મારે ક્યાં અને ક્યારે મરવાનું તે ખબર નથી એટલે જ્યાંસુધી આ શરીર છે ત્યાંસુધી પ્રભુનું કાર્ય કરી લેવું, સત્કર્મ કરવું હોય તો આજે જ કરી લો,આવતી કાલ ઉપર ના છોડવું.શુકલપક્ષમાં બધા ચંદ્ર તરફ જુવે છે 5રંતુ કૃષ્ણ પક્ષમાં એના તરફ કોઇ જોતું નથી છતાં તે એટલો જ શાંત-સ્વસ્થ અને સમાધાની છે. આ5ણા જીવનમાં 5ણ એક દિવસ એવો આવશે કે જયારે આ5ણી કોઇને જરૂર નહી હોય,કોઇ આ5ણને પુછશે પણ નહી,આપણા અસ્તિસત્વની કોઇ નોંધ પણ નહી લે તેમછતાં તે વખતે તેવી જ શાંત અને સમાધાની વૃત્તિથી જીવવાનું શિક્ષણ ચંદ્ર પાસેથી લેવાનું છે. તે પરમ પદને સૂર્ય,ચંદ્રમા કે અગ્નિ પણ પ્રકાશિત કરી શકતા નથી અને જે પરમ પદને પામીને મનુષ્યો પાછા સંસારમાં આવતા નથી તે જ મારૂં પરમધામ છે.જ્યાં પ્રભુ 5રમાત્મા સ્વરૂપતઃ સ્થિત છે ત્યાં નથી દિવસ કે રાત..ત્યાં નથી સૂર્ય કે ચંદ્ર..ત્યાં તારા નથી કે નથી ધરતી આકાશ પવન પાણી એટલું જ નહી ત્યાં તો કાળની સત્તા પણ પહોંચતી નથી.ત્યાં ધૂ5 છાંવ પણ નથી, તેને તે જ જાણી શકે છે જેની ત્યાં દ્દષ્ટિ 5હોંચે છે.તે સ્વરૂ5 સર્વથી ભિન્ન છે અદ્રિતિય છે.મનના માલિક દેવ ચંદ્ર છે અને બુદ્ધિના માલિક સૂર્યદેવ છે.આ બંનેની આરાધના કરે તેની બુદ્ધિગત વાસનાનો વિનાશ થાય.બંને વાસનાઓના સંપૂર્ણ વિનાશ વગર “મોહ”નો વિનાશ થતો નથી અને મોહનો વિનાશ ન થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી.
– વિનોદ માછી `નિરંકારી’