By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    7 days ago
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    1 week ago
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    1 week ago
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    1 week ago
    આપણે દરરોજ પ્રાર્થના શા માટે કરવી જોઈએ?
    આપણે દરરોજ પ્રાર્થના શા માટે કરવી જોઈએ?
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 weeks ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 weeks ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 weeks ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 weeks ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 weeks ago
  • EpaperEpaperEpaper
Reading: દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર

Last updated: 2025/06/19 at 7:33 AM
1 week ago
Share
દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
SHARE

ઉત્તરાખંડને દેવભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. જો તમારે સાચે જ સ્વર્ગની અનુભૂતિ કરવી હોય તો ઉત્તરાખંડ સૌથી સુંદર જગ્યા છે. ઉત્તરાખંડને દેવોની ભૂમિ એટલા માટે કહેવામાં આવે છે કે, અહીં હિન્દુ દેવ-દેવીઓનાં અનેક મંદિર આવેલાં છે.

પુરાણો અને અન્ય શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે દેવભૂમિ એટલે કે, ઉત્તરાખંડનું નિર્માણ દેવતાઓ દ્વારા જ કરવામાં આવ્યું છે. અહીં મોટાભાગનાં દેવી-દેવતાઓનાં પ્રાચીન-અર્વાચીન મંદિરો તમને ચોક્કસથી જોવા મળશે. આશ્ચર્યની વાત એ છે કે, અહીં ભગવાન કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુરુગન)નું મંદિર પણ અહીં જોવા મળે છે. સામાન્ય રીતે ભગવાન કાર્તિકેયનાં ઘણાં મંદિર દક્ષિણ ભારતમાં જોવા મળે છે, પરંતુ ઉત્તરાખંડમાં ભગવાન કાર્તિકેય (કાર્તિક સ્વામી)નું પણ મંદિર છે અને તેમના દર્શનાર્થે માત્ર ભારતમાંથી જ નહીં, પરંતુ દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ તેમની અપાર શ્રદ્ધા સાથે આવે છે.

કાર્તિક સ્વામી મંદિર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે, જે રુદ્રપ્રયાગ-પોખરી રોડ પર કનકચોરી ગામની પાસે અંદાજિત ૩050 મીટરની ઊંચાઇ પર ક્રૌંચ નામના પહાડ પર આવેલું છે. આ મંદિર ભગવાન શિવજીના મોટા પુત્ર કાર્તિકેયને સમર્પિત છે. આ મંદિરને લઇને આશ્ચર્યની વાત એ છે કે, ઉત્તર ભારતનું આ એકમાત્ર કાર્તિકેય મંદિર છે, જેમાં ભગવાન કાર્તિકેય બાળ સ્વરૂપમાં બિરાજમાન છે. અહીં કાર્તિકેયના બાળ સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ મંદિર બસ્સો વર્ષ કરતાં પણ જૂનું હોવાનું માનવામાં આવે છે.

ભગવાન કાર્તિકેયની હાર થઇ હતી

હિન્દુ ધાર્મિક શાસ્ત્રો અને પૌરાણિક શાસ્ત્રોમાં જણાવેલી એક કથા પ્રમાણે એકવાર ભગવાન શિવજી પોતાના બંને પુત્ર કાર્તિકેય અને ગણેશજીની પરીક્ષા લેવાનું વિચારે છે. તેઓ તેમને બંનેને પોતાની પાસે બોલાવે છે. ભગવાન શિવજી કાર્તિકેય અને ગણેશજીને કહે છે કે, તમારા બંનેમાંથી જે સૌથી પહેલાં સમગ્ર બ્રહ્માંડનું ચક્કર લગાવીને મારી પાસે આવશે તેની પૂજા સમસ્ત દેવી-દેવતાઓમાં સૌથી પહેલાં કરવામાં આવશે.

પિતાજીની વાત સાંભળીને કાર્તિકેય અને ગણેશજી તેમને પ્રણામ કરીને ચક્કર લગાવવા નીકળી પડે છે. કાર્તિકેય તો સમગ્ર બ્રહ્માંડનું ચક્કર લગાવવા નીકળી પડે છે, પરંતુ ગણેશજી ત્યાં જ ઊભા રહે છે અને માતા પાર્વતી અને પિતા શિવજીની ફરતે ચક્કર લગાવવાનું શરૂ કરી દે છે. આ જોઇને માતા પાર્વતી અને ભગવાન શિવજીના ચહેરા પર હળવું સ્મિત આવી જાય છે. ત્યારબાદ ગણેશજી તેમનાં માતા-પિતાને પ્રણામ કરીને કહે છે કે, તમે જ મારું સમગ્ર બ્રહ્માંડ છો, તેથી મેં તમારી જ ફરતે પ્રદક્ષિણા કરી લીધી. ગણેશજીના આ જવાબથી માતા પાર્વતી અને ભગવાન શિવજી પ્રસન્ન થાય છે અને તેમને વરદાન આપે છે કે કોઇ પણ શુભ કાર્ય કરતા પહેલાં દેવી-દેવતાઓ સૌથી પહેલાં ગણેશજીની પૂજા-અર્ચના કરશે.

હવે જ્યારે કાર્તિકેયને પોતે હારી ગયા છે એવો ભાસ થવા લાગે છે ત્યારે તેઓ ક્રોધિત થાય છે અને પોતાના શરીરનું માંસ માતા-પિતાનાં ચરણોમાં સમર્પિત કરીને માત્ર હાડકાંઓ લઇને ક્રૌંચ પર્વત પર ચાલ્યા જાય છે. પૌરાણિક માન્યતા પ્રમાણે ભગવાન કાર્તિકેયનાં અસ્થિઓ આજે પણ આ મંદિરમાં જોવા મળે છે, જેની પૂજા લાખો શ્રદ્ધાળુઓ કરે છે. ભગવાન કાર્તિકેયે તાડકાસુરનો વધ કર્યો હતો. દક્ષિણ ભારતમાં ભગવાન કાર્તિકેયની મુખ્ય ભગવાનના રૂપમાં પૂજા કરવામાં આવે છે.

મંદિરમાં ઉજવાતા તહેવારો

અહીં હિન્દુ ધર્મના તમામ તહેવારો ઊજવવામાં આવે છે, પરંતુ ખાસ કરીને કારતક મહિનાની પૂનમે વિશેષ ધાર્મિક અનુષ્ઠાન યોજવામાં આવે છે. જે માટે આસપાસનાં રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. અહીં જૂન મહિનામાં મોટો યજ્ઞ પણ કરવામાં આવે છે તેમજ વૈકુંઠ ચતુર્દશી પર બે દિવસનો મોટો મેળો પણ યોજવામાં આવે છે. કારતક પૂનમના દિવસે અહીં શ્રદ્ધાળુઓ અને દંપતીઓ સંતાન માટે દીપદાન પણ કરે છે.

કાર્તિક સ્વામી મંદિરની માન્યતા

આ મંદિર વિશે એવી લોકમાન્યતા છે કે, જે શ્રદ્ધાળુઓ આ મંદિરમાં ઘંટડી બાધે છે તેની ઈચ્છા પૂર્ણ થાય છે. આ મંદિરમાં દર્શન કરવા જતા દૂરથી જ તમને અલગ અલગ આકારની ઘંટડીઓ જોવા મળે છે. મુખ્ય સડકથી મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચવા માટે પગથિયાં ચડવાં પડે છે. આ મંદિરની સંધ્યા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે.

કેવી રીતે પહોંચશો?

કાર્તિક સ્વામી મંદિર પહોંચવા માટે ટ્રેન, બસ અને ફ્લાઇટ ત્રણેય સેવાઓ ઉપલબ્ધ છે. જોકે, આ ત્રણેય સેવામાં બસ અને ટ્રેનની સેવા ઉત્તમ સાબિત થાય છે. આ મંદિર રુદ્રપ્રયાગ જિલ્લાથી અંદાજિત ૩8થી 40 કિમીના અંતરે કનકચોરી ગામમાં આવેલું છે, જે માટે બસસેવાઓ ઉપસ્થિત છે. આ માટે તમારે રુદ્રપ્રયાગથી પોખરી માર્ગ સુધી જતી બસ લેવી પડે છે, જે કનકચોરી ગામમાં પહોંચાડે છે. કનકચોરી ગામથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે કાર્તિક સ્વામી મંદિર આવે છે. જો તમે ફ્લાઇટ મારફતે અહીં આવવા માંગતા હોવ તો રુદ્રપ્રયાગથી નજીકનું એરપોર્ટ દહેરાદૂનનું જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે, જે મંદિરથી અંદાજિત 155થી 160 કિમીના અંતરે આવેલું છે. એરપોર્ટથી ખાનગી કે સરકારી વાહનો દ્વારા તમે કાર્તિક સ્વામી મંદિર પહોંચી શકો છો. તેમજ રુદ્રપ્રયાગની નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ છે, જે રુદ્રપ્રયાગથી અંદાજિત 140 કિમીના અંતરે આવેલું છે. અહીંથી તમે ખાનગી કે સરકારી વાહનો દ્વારા મંદિર સુધી પહોંચી શકો છો.

You Might Also Like

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે

રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ

મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?

આપણે દરરોજ પ્રાર્થના શા માટે કરવી જોઈએ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
International Yoga Day : CM ભૂપેન્દ્ર પટેલ વડનગરમાં સામૂહિક યોગ કાર્યક્રમમાં જોડાયા
આંતરરાષ્ટ્રીય

International Yoga Day : CM ભૂપેન્દ્ર પટેલ વડનગરમાં સામૂહિક યોગ કાર્યક્રમમાં જોડાયા

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Raja Raghuvanshi Murder Case: ઈન્દોર પહોંચેલી શિલોંગ પોલીસને મળ્યો નવો પુરાવો
Iran Israel War: ઈરાન વિરુદ્ધ યુએસના Operation Midnight Hammerની સંપૂર્ણ કહાની
Health : કિડની માટે આ ખોરાક વધુ હાનિકારક, જાણો આરોગ્ય નિષ્ણાતનો અભિપ્રાય
Iran-ઈઝરાયલ એકસમયે હતા પાક્કા મિત્રો, જાણો કેવી રીતે બન્યા દુશ્મન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?