- હાઇકોર્ટે એક ચુકાદામાં કૂતરાંનાં બચકાં માટે રાજ્ય સરકારોને વળતર ચૂકવવા જવાબદાર ગણાવી
- અદાલતે પ્રથમ વખત રખડતાં કૂતરાંના હુમલાની નાણાકીય કિંમતને માન્યતા આપી હતી
- કેટલાક હિન્દુઓ શ્વાનને મૃત્યુના દેવતા યમરાજ સાથે જોડે છે
ગયા મહિને એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં એક ભારતીય અદાલતે પ્રથમ વખત રખડતાં કૂતરાઓના હુમલાની નાણાકીય કિંમતને માન્યતા આપી હતી. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે જે લોકો રખડતા કૂતરાના કરડવાથી ઇજાગ્રસ્ત થાય છે તેમને વળતર આપવા રાજ્ય સરકારો જવાબદાર છે. અદાલતે જણાવ્યું હતું કે સત્તાવાળાઓએ ભોગ બનેલાઓને બચકાંના ઘા માટે ઓછામાં ઓછા રૂ. 10,000 ચૂકવવા જોઇએ. જો બચકાંથી ચામડીમાંથી માંસ બહાર આવી ગયું હોય તો ઓછામાં ઓછા રૂ. 20,000 ચૂકવવા જોઇએ અને પછી કેટલું માંસ નીકળ્યું તેને આધારે ચુકવણી થવી જોઇએ. કોર્ટે એવો પણ ચુકાદો આપ્યો હતો કે રાજ્ય સરકારોએ ઘાની તપાસ કરવા અને ચુકવણી નક્કી કરવા માટે એક સમિતિની પણ રચના કરવી જોઇએ. એક પ્રાણી ઇકોલોજિસ્ટ અને સંશોધન સંસ્થા અશોકા ટ્રસ્ટ ફોર રિસર્ચ ઇન ઇકોલોજી એન્ડ ધી એન્વાયરોન્મેન્ટના ડિરેક્ટર અબી વણકેએ જણાવ્યું હતું કે મને લાગે છે કે હવે ગુસ્સો વધ્યો છે. વધુ સલામતી માટેની જાહેર માંગ સંપૂર્ણપણે વાજબી છે.
કેટલાક હિન્દુઓ કૂતરાને પૂજનીય ગણે છે
ઐતિહાસિક રીતે ભારતીય સંસ્કૃતિમાં શ્વાન તેમની શિકાર અને રક્ષણાત્મક શક્તિઓના કારણે આદરણીય છે. કેટલાક હિન્દુઓ શ્વાનને મૃત્યુના દેવતા યમરાજ સાથે જોડે છે અને ઘણાં ધાર્મિક રિવાજો અનુસાર તેની પૂજા કરે છે. પ્રાચીન ભારતીય વૈદિક ગ્રંથોમાં પણ કૂતરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ જ્યારથી શ્વાન શેરીઓમાં રખડતા થયાં છે ત્યારથી શહેરોમાં તેમની વસતી ઝડપથી વધી રહી છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એનિમલ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશનના વરિષ્ઠ મેનેજર સિર્જના નિજ્જર કહે છે કે સમુદાયના કૂતરા હંમેશા ભારતીય સંસ્કૃતિનો એક ભાગ રહ્યા છે.
કૂતરાને સાચવનારા અને વિરોધ કરનારાઓ વચ્ચે સંઘર્ષ
2021ના એક અભ્યાસ અનુસાર શહેરી વિસ્તારોમાં જ્યાં કૂતરાની સંખ્યા ઝડપથી વધી રહી છે તે રહેણાંક વિસ્તારો છે, જેઓ કચરાના ઢગલા સહિત ખોરાકના સતત સ્ત્રોત પૂરા પાડે છે. ઘણા ભારતીયો કરુણાના કારણે રખડતાં કૂતરાને ખવડાવે છે. જેઓ પ્રાણીઓનું રક્ષણ કરવા માંગે છે તેઓ અને જે લોકો રખડતાં કૂતરાં સામે પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે તેમની વચ્ચેનો સંઘર્ષ તીવ્ર થઇ રહ્યો છે.
મનાઇ છતાં રખડતાં કૂતરાને રિલોકેટ કરાય છે
જો કે આ કાયદા છતાં સત્તાવાળાઓએ ભૂતકાળમાં રખડતા કૂતરાઓને રિલોકેટ કર્યા છે. ઓક્ટોબરમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે બન્ને રાજ્યના પાટનગર ચંડીગઢ જિલ્લામાંથી રખડતાં કૂતરાંને દૂર કરવા આદેશ કર્યો હતોે. નોંધનીય છે કે જી20 સમિટની યજમાની કરનારા દિલ્હીએ પણ આ વર્ષે તમામ શેરીઓને કૂતરાંમુક્ત કરી દીધી હતી. રેસિડેન્ટ વેલ્ફેર ગ્રૂપ અને અર્બન સ્લમ્સ પણ ઘણીવાર તેમના હાઉસિંગ કોમ્પ્લેક્સીસમાંથી રખડતા કૂતરાઓને દૂર કરવા દબાણ કરતાં હોય છે. જો કે પેટા ઈન્ડિયા સાથે કામ કરતાં એનિમલ રાઇટ લોયર મીત આશર કહે છે કે આ એક બિનઅસરકારક સોલ્યુશન છે.


