By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાધુ થવાની નહિ, પણ સરળ થવાની જરૂર છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સાધુ થવાની નહિ, પણ સરળ થવાની જરૂર છે

Last updated: 2025/02/27 at 10:11 AM
1 year ago
Share
સાધુ થવાની નહિ, પણ સરળ થવાની જરૂર છે
SHARE

લાલો ઊભો હોય તો પણ વાંકો, તેથી તેને બાંકે બિહારી કહે છે. શ્રીકૃષ્ણ વાંકા સાથે વાંકા છે, યોગી સાથે યોગી, ભોગી સાથે ભોગી, બાળક સાથેે બાળક અને સંન્યાસી સાથે સંન્યાસી છે.

શ્રીકૃષ્ણે જગત અસત્ય છે એમ ત્યારે કહ્યું છે જ્યારે સોનાની દ્વારકા ડૂબતી હતી. શુકદેવજી કે જેની લંગોટી પણ છૂટી ગઈ છે તેવા મહાત્મા પણ શ્રીકૃષ્ણ લીલામાં પાગલ બને છે. શ્રીકૃષ્ણની બાળલીલા એવી દિવ્ય છે કે શુકદેવજી જેવા પણ તેનું વર્ણન કરતા રડે છે, તેમાં પાગલ બને છે. મહાયોગીઓ હસતા નથી એટલે એમને રડવાનો પ્રસંગ આવતો નથી. મહાયોગીઓને પણ કૃષ્ણલીલામાં આનંદ આવે છે. શ્રીકૃષ્ણ ભોગી નથી, યોગી છે.

ભક્તિમાં દુરાગ્રહ ન રાખો. શ્રીરામમાં એ કળા ઓછી છે એમ ન માનશો. બંને અવતારો પરિપૂર્ણ છે. શ્રીકૃષ્ણ પુષ્ટિનો-પ્રેમનો આનંદ બતાવે છે.

રામચંદ્રજીની બાળલીલા ઓછી છે. શ્રીરામ વસિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા ગયા. સંસાર એ માયા છે. આ માયામાં આવ્યા પછી ઈશ્વરને પણ ગુરુની જરૂર પડે છે. કોઈ સદ્ગુરુનો અનુગ્રહ ન થાય ત્યાં સુધી મન કાયમ માટે પવિત્ર થતું નથી. સંસારમાં આવ્યા પછી સ્વરૂપ વિસ્મરણ થાય છે. સંસારમાં આવ્યા પછી પરમાત્માને પણ ગુરુની જરૂર પડી છે. શ્રીરામ એ પરમાત્મા છે. તેમને માયાનો સ્પર્શ થાય નહીં, છતાં જગતને આદર્શ બતાવવા ગુરુ પાસે વિદ્યાભ્યાસ કરવા ગયા અને ગુરુજીની સેવા કરી.

શ્રીરામ સોળ વર્ષની ઉંમરે જાત્રા કરવા નીકળેલા. જાત્રા કરીને આવ્યા પછી તેમને વૈરાગ્ય થયો. તે વૈરાગ્ય દૂર કરવા માટે વસિષ્ઠજીએ યોગવાસિષ્ઠ મહારામાયણમાં આપેલો ઉપદેશ કહ્યો. યોગવાસિષ્ઠ રામાયણનું પહેલું પ્રકરણ વૈરાગ્યનું છે. તે તો દરેકે ત્રણ-ચાર વખત વાંચવું જ જોઈએ. ભલે બીજું ન વાંચો. વસિષ્ઠજી ઉપદેશ આપે છે. વૈરાગ્ય અંદર રાખજે. પ્રારબ્ધ ભોગવવું, પણ નવું પ્રારબ્ધ ઊભું ન થાય તેની કાળજી રાખવી. વનમાં જશો તો ત્યાં પણ સંસાર સાથે આવવાનો. ઘર બાધક થતું નથી, પણ ઘરની એક એક વસ્તુમાં રહેલ આસક્તિ બાધક બને છે.

રામ, મહેલ છોડો તો પણ ઝૂંપડીની જરૂર પડશે. સારાં કપડાં પહેરવાનાં છોડી દો, તો પણ લંગોટીની જરૂર પડશે. સારું ખાવાનું છોડી દો, તો પણ કંદમૂળ તો ખાવાં પડશેને, માટે રાજ્ય છોડવાની જરૂર નથી. કામ, ક્રોધ, લોભ, આસક્તિ વગેરે છોડવાનાં છે.

વૈરાગ્ય અંદર હોવો જોઈએ, જગતને બતાવવા માટે નહીં. સાધુ થવાની જરૂર નથી, સરળ થવાની જરૂર છે.

ભજન માટે ભોજન છે એમ માને તો ભોજન તેનું સાધન છે. કેવળ ભોજન માટે ભોજન બાધક છે.

સુખી થવું હોય તો આ ચાર ક્રિયાપદો યાદ રાખજો, ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. પ્રભુ મને જે સ્થિતિમાં રાખશે તે ચાલશે અને ફાવશે. થાળીમાં જે આવશે તે ભાવશે. પ્રભુ જે આપશે તે ગમશે.

જ્ઞાની પુરુષો પણ પ્રારબ્ધ ભોગવે છે. રામચંદ્રજીનો વૈરાગ્ય દૂર થયો ત્યારે તેઓ સોળ વર્ષના હતા.

તે વખતે વિશ્વામિત્ર યજ્ઞ કરતા હતા. તેમના યજ્ઞમાં મારીચ, સુબાહુ વગેરે રાક્ષસો વિઘ્ન નાખતા હતા. વિશ્વામિત્રે વિચાર્યું, રાક્ષસોનો નાશ શ્રીરામ કરી શકશે. અયોધ્યા જઈ રામ અને લક્ષ્મણને લઈ આવીશ. દર્શન કરી કૃતાર્થ થઈશ. ભાગવતમાં રામચરિત્રનો આરંભ આ પ્રસંગથી કરવામાં આવ્યો છે. વિશ્વામિત્ર અયોધ્યા આવ્યા. સરયૂ ગંગામાં સ્નાન કર્યું. તે પછી મહારાજ દશરથના દરબારમાં આવ્યા. દશરથજી તેમને જોઈને ઊભા થયા, વંદન કર્યું અને મુનિનું પૂજન કર્યું. દશરથ રાજાએ કહ્યું, વડીલોના પુણ્યે તમારા જેવા ઋષિ મારા ઘરે પધાર્યા છે. હું આપની શું સેવા કરું? દશરથજીએ આ પ્રમાણે પ્રાર્થના કરી. વિશ્વામિત્રે આશીર્વાદ આપ્યા પછી કહ્યું, `રાક્ષસો મારા યજ્ઞમાં વિઘ્ન કરે છે, તેથી રામ અને લક્ષ્મણને મારા યજ્ઞનું રક્ષણ કરવા મોકલો. વિશ્વામિત્રે શ્રીરામની માગણી કરી તેથી દશરથજી ગભરાઈ જાય છે. તેઓ વિચારવા લાગ્યા કે વિશ્વામિત્ર મારા રામને લઈ જશે.’

દશરથજીએ કહ્યું, `આપે આ શું માંગ્યું! આ બાળકો મને વૃદ્ધાવસ્થામાં મળ્યાં છે. મને આશા ન હતી, પણ તમારા બધાના આશીર્વાદથી ચાર બાળકો થયાં છે. બાળકો મને પ્રિય છે, પણ ચારે બાળકોમાં મારો રામ અને અતિશય પ્રિય છે. રામ વગર મને ચેન પડતું નથી. તેને મારી આંખથી દૂર ન કરો. ગુરુજી તમને શું કહું? રામ મને નિત્ય બેવાર સાષ્ટાંગ પ્રણામ કરે છે. મારી આજ્ઞાનું પાલન કરે છે. વધુ શુંકહું? રામ જેવો પુત્ર થયો નથી અને થવાનો નથી. નાના ભાઈઓ ઉપર તેનો અલૌકિક પ્રેમ છે. બહુ ભોળો છે. ખૂબ મર્યાદા પાલન કરે છે.

રામનાં વખાણ કરતાં હૃદય ભરાયું. જળ વિના માછલી કદાચ જીવે, પણ રામ વિના આ દશરથ નહીં જીવે. ગુરુજી તમને સાચું કહું, મારો શ્રીરામ મારાથી દૂર જશે તો મારા પ્રાણ શરીરમાં ટકશે નહીં. ગુરુજી તમે માંગો તો મારું રાજ્ય આપું, મારા પ્રાણ આપું. રામ સિવાય તમને ગમે તે આપવા તૈયાર છું, પણ

રામ દેત નહીં બનઈ ગુંસાઈ॥

મારા રામ વગર હું એક ક્ષણ પણ જીવી નહીં શકું. દશરથ પ્રાણ આપી શકે પણ રામ ન આપી શકે.

દેહ પ્રાણ તેં પ્રિય કછુ નાહીં। સોઉં મુનિ દેઉ નિમિષ એક માહીં॥

જગતમાં રામ જેવો પુત્ર થયો નથી, દશરથ જેવા પિતા થયા નથી. જ્યારે રામ વનમાં ગયા ત્યારે દશરથજીએ છેલ્લા શ્વાસ સુધી શ્રીરામનું સ્મરણ કર્યું. દશરથજી વારંવાર કૌશલ્યાને પૂછે, મારો રામ ક્યાં છે? મારો રામ ક્યાં છે? કોઈ મને મારા રામ પાસે લઈ જાવ, રામ વગર હું જીવી શકીશ નહીં.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
રાજકોટ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Editor By Editor 5 days ago
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?