By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    15 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભગવાનથી પર અને શ્રેષ્ઠ જગતમાં બીજું કોઈ જ નથી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભગવાનથી પર અને શ્રેષ્ઠ જગતમાં બીજું કોઈ જ નથી

agragujaratnews
Last updated: 2024/07/18 at 10:13 AM
2 years ago
Share
ભગવાનથી પર અને શ્રેષ્ઠ જગતમાં બીજું કોઈ જ નથી
SHARE

મત્ત: પરતરં નાન્યત્કિંચિંદસ્તિ ધનંજય ।

મયિ સર્વમિદં પ્રોતં સૂત્રે મણિ ગણા ઇવ ॥ 7-7 ॥

અર્થ : હે ધનંજય, મારાથી પર અને શ્રેષ્ઠ બીજું કોઇ જ નથી. દોરામાં જેમ મણકા પરોવાયેલા હોય છે તેમ આ સર્વ જગત મારામાં ઓતપ્રોત થતું પરોવાયેલું છે.

શ્રી કૃષ્ણે અહીંયાં આખું જગત તેમની સાથે ઓતપ્રોત થયેલું છે અથવા તેમના થકી જ આખું જગત રહેલું છે તે બાબત સ્પષ્ટ કરી છે. તેમના સિવાય બીજું કોઇ જગતમાં છે જ નહીં તેમ જણાવીને તે આગળ અગિયારમા અધ્યાયમાં જે વિશ્વરૂપદર્શન અર્જુનને કરાવવાનાં છે તેનો પણ જાણે કે સંકેત આપતા હોય તેવું લાગે છે. બ્રહ્માંડના ગ્રહો, ઉપગ્રહો, તારલા, ધરતી પર આવેલાં પર્વતો, નદીઓ, સાગરો, જંગલો, ઝરણાં, મેદાનો, મનુષ્યો, પ્રાણીઓ, સર્વ જીવો, સજીવ કે નિર્જીવ તે બધા જ ભગવાનના કહ્યા મુજબ તેમના થકી છે અથવા એમની અંદર સમાવિષ્ટ છે, તેમનાથી શ્રેષ્ઠ બીજું કોઈ છે જ નહીં. વધુમાં આ વિધાનનો બીજો અર્થ એવો પણ નીકળી શકે છે. ભગવાનના અસ્તિત્વમાં જ સમગ્ર જગતનું અસ્તિત્વ સમાયેલું છે. આ શ્લોકમાં એક એવો ગૂઢ અર્થ પણ જોવા મળે છે કે સમગ્ર જગત ઈશ્વરનું છે. તેમાં જે કાંઈ પણ છે તે ઈશ્વરી શક્તિથી પ્રગટેલું છે અને ઈશ્વરી શક્તિ માટે જ છે. આપણે સૌએ આપણી આસપાસ પ્રભુના અસ્તિત્વનો સતત અહેસાસ કરતા રહી ઈશ્વરી શક્તિના ચિંતનમાં વ્યસ્ત રહેવું એ જ ઇષ્ટ જણાય છે અને સમગ્રપણે ભગવાનને દોરારૂપ ગણીને આપણી જાતને તેમનામાં સમાવિષ્ટ માની ધન્યતા અનુભવવી જોઈએ.

રસ: અહં અપ્સુ કૌંતેય પ્રભા શશિસૂર્યયો: II

પ્રણવ: સર્વ: વિદેષુ શબ્દ: ખે પૌરુષમ નૃષુ II 7/8 II

અર્થ : હે કૌન્તેય, પાણીમાં હું રસ છું, ચંદ્ર અને સૂર્યનો પ્રકાશ હું છું, સર્વ વેદોમાં પ્રણવ એટલે કે ઓમકાર હું છું. આકાશમાં શબ્દ હું છું અને પુરુષોમાં પુરુષત્વ પણ હું છું.

આપણે અપરા પ્રકૃતિમાં જોયું કે પૃથ્વી, આકાશ, વાયુ, પ્રકાશ અને અગ્નિ એ ભગવાને જ ઉત્પન્ન કરેલી પ્રકૃતિના ભાગ છે. તે સંદર્ભમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે હે અર્જુન, હે કુંતીપુત્ર, હું જળમાં રસ છું. પ્રશ્ન થાય કે જળમાં રસ કેવો હશે? આપણે રસ શબ્દનો અર્થ ખટાશ, ખારાશ, ગળપણ, તૂરાશ કે મીઠા વગરનું પાણી હોય તો આપણે તેને મોળું અથવા ફિક્કું પાણી કહીએ છીએ. ભગવાન કહે છે કે પાણીમાં રહેલા આ દરેક રસમાં કે સ્વાદમાં તે પોતે સમાવિષ્ટ છે. જુદાં જુદાં સ્થળે જે પ્રકારનું પાણી પ્રાપ્ત થાય છે તેનો સ્વાદ ઈશ્વરદત્ત છે. એમાં ઈશ્વર પોતે સમાયેલા છે. ભગવાન કહે છે ચંદ્ર અને સૂર્યનો પ્રકાશ કે તેમનું તેજ હું જ છું. બધા વેદોમાં જે ઓમકારનું તત્ત્વ છે તેમાં ભગાવાન પોતે સાક્ષાત્ સમાયેલા છે. ઓમકાર એટલે બ્રહ્મને બોલાવવાનો પુકાર. યોગના અભ્યાસુઓ દ્વારા જણાવાતું હોય છે કે ઓમનો ઉચ્ચાર ધ્યાનસ્થ થઇને કરવામાં આવે છે ત્યારે તે છેક નાભિ સુધી પહોંચે છે. એટલે ઓમકારના ઉચ્ચારણની સાથે આપણને પ્રભુના સહઅસ્તિત્વનો પણ અનુભવ થાય છે. આકાશમાં ભગવાન શબ્દ સ્વરૂપે છે. આપણે ઉચ્ચારણ કરેલા શબ્દો કે મંત્રો આકાશમાં જતા રહે છે. સાચા હૃદયથી કરેલા પોકાર કે પ્રાર્થનાના શબ્દો આકાશમાં સતત પડઘાતા રહે છે. પ્રભુ આવા શબ્દોને ધારણ કરી લે છે. પુરુષોમાં રહેલું પુરુષાતન કે તાકાત પણ હું જ છું એમ જણાવીને ભગવાને તેમના સર્વત્રપણાની ખાતરી કરાવી છે.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
રાજકોટ

 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી

Editor By Editor 7 days ago
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?