- સાંચોરથી મોજડી ખરીદી કરી પાછા થરાદ ફરતાં મેસરા ગામ પાસે રોડ ઉપર બાઈક પલટી ખાતા અકસ્માત નડયો
- થરાદના ભોરડુંમાં મંડપ બંધાઈ ગયા, પત્રિકાઓ વહેંચાઈ ગઈ
- પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થતાં નાઈ પરિવાર પર આભ ફટયું
થરાદ સાચોર હાઇવે ઉપર મેસરા પાટીયા પાસે રાત્રે 8:00 વાગે ને સુમારે મોટરસાયકલ બાવળના ઠોઠા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ભોરડુ ગામના યુવકનું મોત નિપજ્યું હતું અને ભોરલ ગામના યુવક ને થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.જેમાં થરાદ તાલુકાના ભોરડુ ગામના રાણાભાઇ નાઈના પુત્ર વિપુલના લગ્ન સમાજના રિત રિવાજ મુજબ પાંચ દિવસ પછી થરાદના વાઘાસણ ગામે થવાના હતા જેમાં બંને પક્ષ દ્વારા લગ્નની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી.
જેમાં મંડપ પણ બંધાઈ ગયા હતા પત્રિકાઓ પણ વિતરણ થઈ ગઈ હતી જેમાં ભોરડુ ગામનો યુવક જેનાં લગ્ન થવાના હતા તે વડોદરા ખાતે કેટેકર્સ નું કામ કરતો હતો જેના લગ્ન હોવાથી તે શનિવારના રોજ તે પોતાની નોકરી ઉપરથી રજા મૂકી અને તેના વતન ભોરડું ખાતે આવ્યો હતો આખો દિવસ લગ્નની તૈયારી કર્યા બાદ સાંજે પાંચ વાગ્યના સુમારે તે રાજસ્થાનના સાચોર ગામે તેના મિત્ર સાથે પોતાના લગ્ન માટે પગની મોજડી ખરીદવા માટે નીકળ્યો હતો જે સાચોર થી મોજડી ખરીદી સાંજે 07:00 વાગ્યાને સુમારે થરાદ તરફ્ આવી રહ્યો હતો ત્યારે મેસરા ગામના પાટીયા પાસે રાત્રી દરમિયાન રોડ ઉપર એક બાવળનું ઠોઠું પડેલું હતું જે તેને ન દેખાતા તે ઠોઠા સાથે તે મોટરસાયકલ અથડાતો તે બને યુવકો પડી ગયા હતા અને ભોરડુ ના વિપુલ નાઈનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું અને બીજો ઘાયલ થયો હતો. જેમાં 108 દ્રારા આવી અને બંનેને સારવાર હેઠળ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જેમાં સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા વિપુલ નાઈને મૃત્યુ જાહેર કરાયું હતું જેનાથી સમગ્ર થરાદ પંથકમાં અને ભોરડુ ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો જે યુવકના પાંચ દિવસ પછી લગ્ન હતા તે જ યુવકનું મોત થતાં થરાદના ભોરડું અને વાઘાસણ બંને ગામોમાં ચકચાર મચવા પામ્યો હતો અને જે મંડપમાં લગ્ન ની શરણાઈ ઓ વાગવાની હતી ત્યાં ચિચકારીઓ ગુંજી ઊઠી હતી.પાંચ દિવસ પછી યુવાનના લગ્ન હતા અને તે મોજડી ખરીદવા સાંચોર ગયો હતો ભોરડુ ગામના રાણાભાઇ નાઈના 22 વર્ષીય પુત્ર ના લગ્ન પાંચ દિવસ પછી હતા લગ્નની તમામ તૈયારીઓ બંને પક્ષ દ્વારા થઈ ગઈ હતી અને જે પોતાના લગ્ન માટે સાંચોર મોજડી ખરીદવા ગયો હતો અને સાંજે 8:00 વાગ્યે ના સુમારે મેસરા ગામના પાટીયા પાસે તેને અકસ્માત નડતા તેનું ઘટના સ્થળે મૃત્યુ પામતા બંને પક્ષમાં સનાટો છવાઈ ગયો હતો.થરાદ વનવિભાગની ઘોર બેદરકારીના લીધે 22 વર્ષેના યુવાનનું મૃત્યુથરાદ થી ખોડા તરફ્ જતા મેઈન હાઇવે ઉપર છેલ્લા ત્રણ દિવસથી રોડ ઉપર એક બાવળનું ઠોઠું આડું પડેલું હતું જેમાં વારંવાર વાહન ચાલકો હેરાન પરેશાન થતા હતા તેમજ થરાદ વન વિભાગને સ્થાનીક રહીશો દ્વારા જાણ પણ કરવામાં આવી હતી પરંતુ વન વિભાગ દ્વારા તે બાવળનું ઠોઠું હટાવવામાં ન આવતા શનિવારની રાત્રે ભોરડુ ગામના એક 22 વર્ષેના યુવાનનું તે બાવળા ઠોઠા સાથે મોટરસાયકલ અથડાતાં તેનું સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યું હતું આથી વન વિભાગ ની ઘોર બેદરકારી સામે જોવા મળી હતી.


