- અયોધ્યામાં આજનો દિવસ ઈતિહાસમાં સ્વર્ણિમ અક્ષરોમાં કોતરાશે
- અમેરિકાના ટાઈમ્સ સ્કવેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ થશે
- રામ મંદિરની સ્થાપનાની ઠેરઠેર ઉજવણી અને મોટા પડદા પર પ્રસારણ દર્શાવાશે
અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ની તારીખ ઈતિહાસમાં સ્વર્ણિમ અક્ષરોમાં કોતરાઈ જશે. આજે રામલલા પોતાના સ્થાયી મંદિરમાં વિરાજમાન થશે. મૂર્તિ પહેલાંથી ગર્ભગૃહમાં પહોંચી ગઈ છે. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખાસ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદેશોમાં વસતા ભારતીયો પણ પોતાના પ્રભુ શ્રીરામ ભવ્ય મંદિરમાં વિરાજમાન થવાના ઐતિહાસિક પળના સાક્ષી બનશે. રામજન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અમેરિકાના ન્યૂયોર્ક શહેરના જાણીતા ટાઈમ સ્કવેર પર દર્શાવાશે. અમેરિકાના દરેક શહેરમાં રામ મંદિર ઉદઘાટન કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરાશે.
અમેરિકામાં રામ મંદિર કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ
મળતી માહિતી પ્રમાણે ન્યૂયોર્કના મેનહટનમાં ઠેક-ઠેકાણે મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે. અહીં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. અમેરિકામાં ભારતીય સમુદાયની મોટી વસ્તી રહે છે. અમેરિકા જ નહીં પરંતુ નેપાળ, કેનેડા સહિત દુનિયાના અન્ય દેશ જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. ત્યાં રામ મંદિર કાર્યક્રમનું ટેલિકાસ્ટ દેખાડાશે.
અમેરિકાના ટેક્સાસમાં શ્રી સીતારામ ફાઉન્ડેશન અનુસાર છેલ્લા 500 વર્ષની પ્રતીક્ષા બાદ અયોધ્યા ધામમાં ભગવાન રામના મંદિરનું નિર્માણ દુનિયાભરના હિંદુઓ માટે આસ્થા અને ઉત્સવનો એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. હ્યુસ્ટનમાં શ્રીસીતારામ ફાઉન્ડેશને શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કર્યું છે. તેઓએ જણાવ્યું કે ઉત્સવની યાત્રા અને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવશે.
પાકિસ્તાની અમેરિકી પણ કાર્યક્રમમાં જોડાશે
અયોધ્યા ધામમાંથી મંગાવેલા પ્રસાદ અને માટીનું પણ વિતરણ કરવું અમારી માટે સન્માનની વાત છે. જેને વિશેષ કરીને અમારા કાર્યક્રમ માટે અહીં લાવવામાં આવી રહી છે. મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરે શનિવારે વોશિંગ્ટનના એક પરામાં રામ મંદિર ઉત્સવ કાર્યક્રમાં ભાગ લેવાના છે. કેટલાક પાકિસ્તાની અમેરિકી પણ ગ્રેટર વોશિંગ્ટન ક્ષેત્રમાં યોજાનારા ઉત્સવમાં સામેલ થશે.
આ ઉપરાંત આખા અમેરિકામાં આશરે એક ડઝન કાર્યક્રમનું આયોજન થયું છે. આમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવનું ન્યૂયોર્ક ટાઈમ્સ સ્કવૅથી સમગ્ર રસ્તે ઉજવણી કરાશે. બોસ્ટન, વોશિંગ્ટન ડીસી એલએ, સેન ફ્રેન્સિસ્કોમાં પણ કાર્યક્રમ નક્કી છે. જે ઠીક ભારતમાં સમારોહ સમય પ્રમાણે થશે.
મોરેશિયસમાં પણ રામલલાનું સ્વાગત
મોરેશિયસ સરકારે રામ મંદિર સમારોહનું મહત્ત્વ જોતા 22 જાન્યુઆરીએ એટલે કે આજે જાહેર સેવામાં જોડાયેલા હિંદુ અધિકારીઓને બે કલાક માટે વિશેષ રજા જાહેર કરાઈ છે. આ પગલાનો હેતુ અયોધ્યામાં શ્રીરામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે થતા સ્થાનિક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ શકે છે.
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનૌથની આગેવાનીમાં મોરેશિયસ કેબિનેટે એક સત્તાવાર નિવેદન પ્રસિદ્ધ કરતા લખ્યું કે કેબિનેટે સોમવારે બે કલાકની વિશેષ રજા આપવા સહમતી થયા છે. ભારતમાં અયોધ્યામાં રામમંદિરના ઉદઘાટનને લઈ હિંદુ આસ્થાના અધિકારીઓને રજા મળશે. જે એક ઐતિહાસિક ઘટના છે. કારણ કે આ અયોધ્યામાં ભગવાન રામના પુનરાગમનનું પ્રતીક છે.


