- પીએમ મોદી પહોંચ્યા તિરુવનંતપુરમ
- વિક્રમ સારા ભાઇ સ્પેસ સેન્ટરની લીધી મુલાકાત
- કર્ણાટકના સીએમ અને ઇસરો ચીફ રહ્યા ઉપસ્થિત
પીએમ મોદી 27મી ફેબ્રુઆરી એટલે કે આજથી કેરળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુના પ્રવાસે જઈ રહ્યા છે. સૌથી પહેલા મોદી કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા છે.. ત્યાં તેઓ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની મુલાકાત લઇ રહ્યા છે.
ગગનયાનના અવકાશયાત્રીઓના નામ કરશે જાહેર
ISROના બહુપ્રતીક્ષિત અવકાશ મિશન ગગનયાનની તૈયારીઓની પણ પીએમ મોદી સમીક્ષા કરી રહ્યા છે. પીએમ મોદી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ની ત્રણ નવી સુવિધાઓ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ઉપરાંત પીએમ મોદી ગગનયાન મિશનના અવકાશયાત્રીઓના નામ પણ જાહેર કરશે. જેમાં એક અવકાશયાત્રી કેરળનો છે.
ગગનયાન મિશનની તૈયારીઓની સમીક્ષા
અહેવાલો અનુસાર પીએમ મોદી ગગનયાન કાર્યક્રમના અવકાશયાત્રીઓના નામ પણ જાહેર કરે તેવી અપેક્ષા છે, જેમાંથી એક કેરળનો હોવાનું કહેવાય છે. ગગનયાન મિશન 2025માં શરૂ થવાની ધારણા છે. તેનો ઉદ્દેશ્ય અવકાશયાત્રીઓને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલીને અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવીને ભારતની માનવસહિત અવકાશ ઉડાન ક્ષમતાનું પ્રદર્શન કરવાનો છે.
આ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન
પીએમ મોદી લગભગ 1800 કરોડ રૂપિયાના ત્રણ મહત્વપૂર્ણ સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરવાના છે. જેમાં શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં PSLV ઈન્ટિગ્રેશન ફેસિલિટી, સેમી-ક્રાયોજેનિક ઈન્ટિગ્રેટેડ એન્જિન અને મહેન્દ્રગિરિમાં ઈસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી અને VSSC ખાતે ટ્રાઈસોનિક વિન્ડ ટનલનો સમાવેશ થાય છે. PSLV ઈન્ટિગ્રેશન ફેસિલિટી દ્વારા દર વર્ષે લોન્ચ થનારા 6 PSLV રોકેટની ક્ષમતા વધારીને 15 કરવામાં આવશે.


