સોલ પેઇન્ટિંગ બનાવનાર હાઈકી દર વર્ષે આધ્યાત્મિક યાત્રા માટે ભારત આવે છે.
હાઈકી ભારત સહિત જર્મની અને બીજા દેશોમાં સોલ પેઇન્ટિંગના વર્ક શોપ લે છે.
“સોલ પેઇન્ટિંગ બનાવનાર અને જોનાર બંનેના મનમાં એક પ્રકારની સકારાત્મક એનર્જી ઉત્પન્ન કરે છે. જાતજાતના વિચારો થી છલકાતા માનવીના મગજમાં નિર્વિચારીતા ની પરિસ્થિતિ ઊભી કરી શૂન્યની સ્થિતિ પેદા કરે છે.સોલ પેઇન્ટિંગ તેના નામ પ્રમાણે જ તમને આત્માની નજીક લઈ જાય છે. આત્માને આનંદ આવે એ પ્રકારની પ્રવૃત્તિ છે સોલ પેઇન્ટિંગ”. આ શબ્દો છે જર્મનીના ગ્લારા એટલે કે હાઇકીના. સોલ પેઇન્ટિંગ શબ્દ નવો છે પણ તે શરીર અને આત્માને એક અલગ અનુભૂતિ કરાવે છે.
વેસ્ટ જર્મની ફ્રેન્કફ્રન્ટમાં 1966માં જન્મેલ હાઈકી એટલે કે ગ્લારાને નાનપણથી જ ક્રિએટિવિટીમાં રસ હતો. પેઇન્ટિંગ અને મ્યુઝિકનો ગાંડો શોખ ધરાવનાર હાઈકીએ માતા પિતાની ઈચ્છા થી ઇકોનોમિક્સ ભણી બેંકમાં નોકરી સ્વીકારી. આ સમય દરમિયાન પણ પેઇન્ટિંગ અને મ્યુઝિક ની પ્રવૃત્તિ ચાલુ જ રહી. 2009માં સમર્પણમાં જોડાયા બાદ સમર્પણ ધ્યાન યોગ ના પ્રણેતા પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી ની 2014માં જર્મનીની મુલાકાત દરમિયાન હાઈકીએ પોતાના બાપદાદાનું મકાન સમર્પણ ધ્યાન યોગ પ્રવૃતિ માટે આપ્યું. પૂજ્ય સ્વામીજી ની મુલાકાત દરમિયાન તેના પેઇન્ટિંગના શોખની પણ વાત થઈ અને પૂજ્ય સ્વામીજીએ તેણીને પેન્ટિંગમાં આગળ વધવા કહ્યું અને આગામી ગોવામાં થનારી ઇન્ટરનેશનલ રિટ્રીટમાં એક્ઝિબિશન કરવા સૂચન કર્યું.ગ્લારાને તો ભાવતું હતું ને વૈદે બતાવ્યા જેવો ઘાટ થયો. ગુરુદેવના સૂચનના કારણે ગુરુદેવ પ્રત્યે પૂર્ણ સમર્પિત થઈને કોઈપણ અપેક્ષા વગર શૂન્યની સ્થિતિમાં રહી 20 પેઇન્ટિંગ બનાવ્યા જે અદભૂત બન્યા. એનર્જીથી સફર આ પેઈન્ટિંગ ને ગોવા રિટ્રીટમાં ખુબ સુંદર પ્રતિભાવ મળ્યો ત્યારબાદ ગુરુપૂર્ણિમા અને ચૈતન્ય મહોત્સવ માં પણ તેણે ફુલ ફૂલ પાન અને નેચર સંબંધિત પેઇન્ટિંગ બનાવ્યા જેની લોકો એ ખૂબ સરાહના કરી ત્યારબાદ તેણે સોલ પેઇન્ટીંગ વર્કશોપ લેવાના શરૂ કર્યા અને તેને જેમાં લોકોને પણ ખુબ સુંદર અનુભવ થયા. ગ્લારાને પતિ યુહાનસ પણ તેની આ પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરે છે. સોલ પેઇન્ટિંગ વિશે ગ્લારાએ જણાવ્યું કે તે મેડીટેશન કરી સંપૂર્ણપણે કુદરતને સમર્પિત થઈ પ્રાર્થના કરે છે કે મારા હાથ વડે જે કરાવવું હોય તે કરાવી લો. મારી આંખ,મારુ મગજ,મારું સંપૂર્ણ શરીર નો જે ઉપયોગ કરવો હોય તે કરાવો અને આ રીતે પેન્ટિંગ બનાવતા અલગ જ પ્રકારનો અનુભવ થાય છે. કુદરતની નજીક હોવાથી નિર્વિચાર સ્થિતિ અને શાંતિનો અનુભવ લોકો કરી શકે છે. હાલ જર્મનીમાં પણ સોલ પેઇન્ટીંગ વર્કશોપ માટે લોકો ખૂબ ઉત્સાહિત છે.