MIDC પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઉષા કોંડલકરે અત્યાર સુધીમાં અનેક બાળકો, મહિલાઓ અને પુરૂષોને શોધીને તેમના પરિવાર સુધી પહોંચાડ્યા છે.
આપણે અવારનવાર એવા સમાચાર સાંભળતા હોઈએ છીએ કે વ્યક્તિ ઘર છોડીને ચાલ્યા ગયા છે અથવા તો ગુમ થઈ ગયા છે. જ્યારે સ્વજન કે પરિવારજન ઘર છોડીને જાગ્યો જાય ત્યારે પરિવાર પર આફત આવી પડે છે.ચિંતા અને અજંપામાં દિવસો પસાર કરવાના હોય છે આવા નિરાશાના સમયમાં આશાનું કિરણ પોલીસ તથા મીડિયા હોય છે.ઘણી વખત પોલીસ આવા વ્યક્તિઓને શોધી કાઢતી હોય છે.આવા અનજાન ગુમ થયેલા લોકોને શોધી કાઢી તેણીએ અત્યાર સુધીમાં અનેક વ્યક્તિઓને શોધીને સ્વજન સાથે મેળાપ કરાવ્યો છે.આ મહિલા છે MIDC પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઉષા કોંડલકરની
1991માં નાગપુર પોલીસ ફોર્સમાં ઉષા કોંડલકરની ભરતી થઈ હતી. દેશમાં ખોવાયેલા લોકોની વધતી સંખ્યા ચિંતાજનક છે. ઘણા લોકો ગુસ્સમાં આવીને ઘર છોડીને જતા રહે છે.આવા લોકોને ઉષા કોંડલકર પોતાના સંપર્કો અને ટેક્નોલોજીના જ્ઞાનની મદદથી શોધી કાઢે છે. MIDC પોલીસ સ્ટેશનના મિસિંગ સ્ક્વોડમાં કાર્યરત ઉષા કોંડલકરે 2021થી અત્યાર સુધીમાં 575 જેટલા બાળકો, મહિલાઓ અને પુરૂષો પૈકી 536 લોકોને શોધીને તેમના પરિવાર સુધી પહોંચાડ્યા છે. તત્કાલિન પોલીસ નિરીક્ષક બેસરકર, ભીમા નારકે અને વર્તમાન પોલીસ નિરીક્ષક પ્રવીણ કાલેના માર્ગદર્શનમાં તથા સહાયક પોલીસ નિરીક્ષક પ્રશાંત સાબલેના નેતૃત્ત્વમાં તેમણે આ સફળતા મેળવી છે.
તેઓ દેશના જુદા જુદા રાજ્યો અને જિલ્લાઓમાં ખોવાયેલા વ્યક્તિઓને શોધખોળ કરવા માટે જરૂરી સંપર્કો અને તકનિકી વિશ્લેષણ, CCTV ફુટેજ, શોધ પત્ર, CCTNS, સોશિયલ મીડિયા વગેરેનો કુશળતાપૂર્વક ઉપયોગ કરે છે. આ અગાઉ તેઓ પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 150 ખોલાયેલા લોકોને શોધી ચૂક્યા છે.
ઉષા કોંડલકરના મત મુજબ ઘરેથી ભાગી ગયેલા લોકોને શોધવા થોડા મુશ્કેલ હોય છે. કારણ કે તેઓ પોતાના ફોન નંબર બંધ કરી દે છે. તેથી તેઓ ક્યાં પહોંચ્યા હશે, તે જાણવું મુશ્કેલ બની જાય છે. જોકે, તેઓને ટ્રેક કરીને તેઓની દીશા સમજાય છે. જેથી અમે તેઓની એ દીશામાં શોધ કરીએ છીએ. અંતે તેઓ અમને મળી જાય છે.