By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 hours ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    4 hours ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    5 hours ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    6 hours ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    7 hours ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    1 month ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    1 month ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    1 month ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    1 month ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: વર્ષાન્તે વિચારો કે સંબંધોની પોસ્ટમાં શું પ્રગટે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રનિંગ કોમેન્ટ્રી - દિલીપ ગોહિલ

વર્ષાન્તે વિચારો કે સંબંધોની પોસ્ટમાં શું પ્રગટે?

agragujaratnews
Last updated: 2023/12/30 at 8:13 PM
2 years ago
Share
વર્ષાન્તે વિચારો કે સંબંધોની પોસ્ટમાં શું પ્રગટે?
SHARE

સોશ્યલ મીડિયામાં વારંવાર, રોજેરોજ, નાનામાં નાની ગતિવિધિની તસવીરો મૂક્યા કરતા કપલ અને પ્રેમીઓ વચ્ચેના સંબંધો કૈંક સૂચવી રહ્યા છે એવું અભ્યાસોમાંથી પ્રગટી રહ્યું છે

એક અભ્યાસ આ વર્ષની શરૂઆતમાં આવેલો, પણ વર્ષાન્તે પણ તેને યાદ કરવા જેવો છે. સોશ્યલ મીડિયામાં વારંવાર પોતાની સજોડે તસવીરો મૂકનારા દંપતિઓ, (પ્રેમીઓ કે બે વ્યક્તિઓ) વચ્ચેના સંબંધો તસવીરમાં દેખાતા હોય છે એટલા પ્રગાઢ નથી હોતા. આવું તારણ અમેરિકાની કેન્સસ યુનિવર્સિટીના એક અભ્યાસમાંથી નીકળ્યું હતું. 300 કપલનો સર્વે કરીને તારણ કાઢવામાં આવેલું કે જેમની બહુ ઓછી સજોડે તસવીરો મૂકાતી હોય તેમના સંબંધો વધારે ગાઢ, સ્થિર, અડગ અને અડિખમ હોય છે. આ દંપતિઓને તેઓ સોશ્યલ મીડિયામાં કેટલા સક્રિય રહે છે અને તેમના અંગત સંબંધો કેવા છે તેના વિશે સવાલો પૂછાયા હતા.
સરવાળે એવું નીકળ્યું કે વધારે તસવીરો મૂકનારા વચ્ચે વધારે પ્રેમ કે સમજણ હોય એવું જરૂરી નથી. ઉલટાનું સંબંધોની સમજણ કેળવાઈ ગઈ હોય ત્યાર પછી તેને વારંવાર પ્રગટ કરવાની જરૂર પડતી હોતી નથી. માત્ર 300 લોકો સાથે સંવાદ કરીને કંઈ નક્કી ના કરી શકાય. અમેરિકાના જીવન કરતાં આપણું જીવન પણ જરા જુદું છે એટલે આ જ વાત સાચી છે એવું માની લેવાની પણ જરૂર નથી. રોજ સાથે ચા પીતા હોય તેની તસવીરો મૂકનારા દંપતિ તેમના જીવનને પોતાની રીતે માણી રહ્યા છે એવું પણ બને. એટલે સાધારણીકરણ કર્યા વિના એવું કહી શકીએ કે જે થતું હોય તે સમજપૂર્વક થવું જોઈએ. પણ સોશ્યલ મીડિયામાં ઘણું બધું અજાણપણે થાય છે. અજાણપણે આપણી માનસિકતાને આ માધ્યમ અસર કરી રહ્યું છે. સારા સોશ્યલ મીડિયાના માધ્યમો, મેઇન સ્ટ્રીમમાં હોય તે મીડિયાના એકાઉન્ટ્સ અને પ્લેટફોર્મ, રજિસ્ટ્રેશન સાથે, ભૌતિક સરનારા સાથે કામ કરનારી કંપનીઓના એકાઉન્ટ અને સેલિબ્રિટી બન્યા પછી સભાન થઈને સક્રિય રહેનારા સુપ્રસિદ્ધ લોકોના પ્લેટફોર્મ્સ સુધી બહુ વાંધો નથી હોતો. પરંતુ આજે એવું થયું કે અલ્ગોરિધમને કારણે સોશ્યલ મીડિયા અમુકતમુક રીતે કામ કરે છે. તેના પર એડ મળી જાય અને કમાણી થઈ જાય અને થોડા વખત પછી એકાઉન્ટને બંધ કરી દેવામાં આવે. તરત બીજું એકાઉન્ટ ખૂલી જાય અને ખેલ ફરી શરૂ થઈ જાય. નોકરી ધંધો કરવાના બદલે આ રીતે માત્ર કમાણી કરનારા એકાઉન્ટ બનાવનારાને કારણે સોશ્યલ મીડિયામાં ભેદ કરવો મુશ્કેલ બન્યો છે. ડાન્સ મૂવ કરતો વીડિયો મૂકવો જ પડે તેવું પ્રેશર ટીનેજર્સ પર અજાણપણે આવી રહ્યું છે. નૃત્ય બહુ સારી બાબત છે, પણ રીલ બનાવવા પૂરતા જ ઠૂમકા મારવાના હોય કે નૃત્યને સમજીને, તન-મન-આત્માને એકાકાર કરનારી અંગભંગીમાને સમજવાની હોય?
સંબંધો દર્શાવવાનું પણ એક પ્રેશર ઊભું થયું છે. આના વિશે વારંવાર અભ્યાસો આવ્યા છે, ચેતવણીઓ આવી છે અને સલાહો પણ ઉપલબ્ધ છે. પણ તે ક્યાંક ખૂણે જતી રહે ત્યારે કપલને એમ થાય કે સૌ મૂકે છે તો આપણે પણ મૂકીએ. દર મહિને મૂકીએ, બને તો દર અઠવાડિયે અને રોજ એક મૂકી દઈએ તો પણ શું વાંધો! વાંધો કશો નથી, આનંદની પ્રાપ્તિ થતી હોય ત્યાં સુધી કરવું જોઈએ. પણ તેના કારણે સમજાય નહીં તેવું ટેન્શન થાય છે ખરું? અન્ય લોકોએ મૂકેલી તસવીરો, જાણીતા લોકોએ મૂકેલી તસવીરો, સગાઓએ મૂકેલી તસવીરો જોઈને પછી એના જેવું કશુંક કરવું પડશે એવું થાય છે. એવું થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ આપણે તસવીરો નથી મૂકી શકતા તો શું થતું હશે, શું વિચારાતું હશે તે દિશામાં વિચારો વળી જતા હોય તો સંભાળવું. તમને શું મન થાય છે? બસ, એટલું જ અગત્યનું છે. બીજાનું છોડોને…
સંશોધનમાં પણ એ જ વાત બહાર આવી હતી કે વારંવાર પોતાના સંબંધોની તસવીરો મૂકનારા બીજા લોકોની એવી જ તસવીરો અને પોસ્ટ સાથે સરખામણી કર્યા કરે છે. તેમના સંબંધો કેવા હશે તેની કલ્પના કરે છે અને પછી પોતાના સંબંધોની વાસ્તવિકતા સાથે તેની સરખામણી કરે છે. અન્ય લોકોની ખુશખુશાલ તસવીરો જોઈને, સરસ રીતે ગોઠવાઈને લેવાયેલી તસવીરો જોઈને ખુશી મળવા કરતાં ઇર્ષા વધારે આવે છે. એક પ્રકારની ચિંતા થાય છે કે શું આપણા સંબંધો એટલા ગાઢ નહીં હોય કે આટલી સહજતાથી આપણે કેમ આવી તસવીરો નથી લઈ શકતા તેવી સરખામણી થાય એટલે ચિંતા પ્રગટે. ચિંતા કોરી ખાવા લાગે ત્યારે શું થાય એ તમે સોશ્યલ મીડિયામાં કથાકારની રીલમાં સાંભળ્યું જ હશે.
તેની સામે આવી પળોજણમાં ના પડનારા લોકો બીજાની તસવીરો જોઈને પોતાના સંબંધોની સરખામણી તેમની સાથે કરતા નથી. તસવીર સામે પોતાની તસવીર ના મૂકી હોય એટલે આપોઆપ સરખામણી કરવાનું થતું નથી. તસવીરો મૂકી હોય ત્યારે સરખામણી થઈ જાય છે અને ના મૂકી હોય ત્યારે તેની તક ઓછી રહે છે. તેથી જ ઓછી તસવીરો મૂકનારા વધારે સુખી અને સંતોષી જણાયા હતા. સરખામણી શબ્દને જરાક ખેંચો એટલે તેનો અર્થ નીકળે દેખાદેખી. દેખાદેખીથી કેવું દુખ આવે તેની રીલ પણ સાંભળી છેને. ના સાંભળી હોય તો સાંભળી લો. સાંભળી લો. સાંભળી લો. નો પ્રોબ્લેમ, આટલો ટાઇમ વેસ્ટ કર્યો છે નકામી બાબતોમાં તો થોડો સદુપયોગ કરી લો અને દેખાદેખી ના કરો. પેલું ગીત જ સાંભળી લો… મેરા ગમ કિતના કમ હૈ. આ બહુ સારું છે. બીજા જુઓને કેવા સુખી સુખી છે તેવું તારણ સોશ્યલ મીડિયામાંથી કાઢવાના બદલે, જુઓને બીજા લોકોને કેટલા દુખ છે, તેનાથી તો આપણે ઘણું સારું છે. ખરેખર, બીજાથી આપણને ઘણું જ સારું છે.

You Might Also Like

ભારતમાં ક્રિપ્ટોનો ધંધો 90 ટકા ઘટ્યો

હૂતીઓના ભૂમિ પરના અડ્ડા પર હુમલો

કેનેડા નહીં તો ક્યાંય પણ ચાલશે!

જાપાનમાં અર્થક્વેક અને અમદાવાદ-સુરતનું હવામાન

2024ના વર્ષમાં અર્થતંત્રની અપેક્ષાઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
ધર્મ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 hours ago
Junk Food Addiction: આ મીઠી અને ખારી વસ્તુઓનું વ્યસન દારૂથી ઓછું નથી, નવા સંશોધનમાં થયો ખુલાસો
ઘરમાં એકલા છો અને હાર્ટની તકલીફ થઇ, શું કરશો ?
રક્ષાબંધન : રેશમની દોરીમાં સ્નેહના તાંતણા
Health : માત્ર ખાંડ નહીં આ વસ્તુઓ પણ ડાયાબિટીના દર્દીઓ માટે છે ઝેર સમાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?