By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    43 minutes ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    2 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    3 hours ago
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    4 hours ago
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: શિવ-પાર્વતીજીની કૃપા મેળવવા કરો ફૂલકાજળી વ્રત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

શિવ-પાર્વતીજીની કૃપા મેળવવા કરો ફૂલકાજળી વ્રત

agragujaratnews
Last updated: 2023/10/07 at 8:52 PM
2 years ago
Share
શિવ-પાર્વતીજીની કૃપા મેળવવા કરો ફૂલકાજળી વ્રત
SHARE

  • માતા પાર્વતીએ શિવજીને પામવા માટે ખૂબ આકરી તપસ્યા કરી હતી. અનેક પ્રકારનાં વ્રતો કર્યાં
  • અનેક પ્રકારનાં અનુષ્ઠાનો કર્યાં અને તેના ફળસ્વરૂપમાં તેમણે સદાશિવને પતિ તરીકે મેળવ્યા

સારો ભાવિ ભરથાર મળે તો દાંપત્યજીવન સુખમય બની જાય અને સુખમય દાંપત્યજીવન આખી જિંદગી સુધારી નાખે છે. શિવ-પાર્વતીજી આદર્શ દાંપત્યનાં પ્રતીક છે. તેથી દરેક વ્રતોમાં મોટાભાગે તેમનું પૂજન થાય છે. આપણે ત્યાં સ્ત્રીઓ અનેક વ્રતો કરે છે જેમાંથી મોટાભાગનાં વ્રતો સારો વર, અખંડ સૌભાગ્ય અને બાળકોના સારાં સ્વાસ્થ્ય માટે કરતી હોય છે.

ગોરમાના વ્રતથી લઈને જયા-પાર્વતી વ્રત સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે કરવામાં આવતાં વ્રતો છે. આવું જ એક વ્રત છે ફૂલકાજળી. આપણાં શાસ્ત્રોમાં મનોકામના પૂર્ણ કરવા માટે અને મનોવાંછિત ફળ મેળવવા માટે અનેકાનેક વ્રતો કરવાનું વિધાન છે. સૌ જાણે છે કે માતા પાર્વતી મનોમન સદાશિવને વરી ચૂક્યાં હતાં. શિવને પામવા માટે ખૂબ આકરી તપસ્યા કરી હતી. અનેક પ્રકારનાં વ્રતો કર્યાં, અનેક પ્રકારનાં અનુષ્ઠાનો કર્યાં અને તેના ફળસ્વરૂપમાં પાર્વતીએ સદાશિવને પતિ તરીકે મેળવ્યા.

આ પ્રસંગ ઉપરથી આપણા સમાજની કુંવારી કન્યાઓ તેના કોડ પૂરા કરવા, મનનો માણિગર મેળવવા અને જીવનનો ભરથાર મેળવવા માતા પાર્વતીની જેમ વ્રત કરીને સદાશિવને પ્રસન્ન કરે છે. જેના ફળસ્વરૂપ આપણી સંસ્કૃતિમાં અનેકાનેક વ્રતોનો જન્મ થયો. અનેક વ્રતો પૈકી આજે આપણે અહીં ફૂલકાજળી વ્રત વિશે જાણીએ.

વ્રતનું ઉજવણું

પાંચ વર્ષ સુધી આ મુજબ વ્રત કરવું. પાંચ વર્ષે વ્રતનું ઉજવણું કરવા સમયે ઘરે શિવ-પાર્વતીનું સ્થાપન કરી તેમાં ચાંદીનું ફૂલ પધરાવવું. પાંચ ગોરણીને જમાડીને યથાશક્તિ દાન-દક્ષિણા આપી સંતુષ્ટ કરવાં. આ રીતે વ્રતનું ઉજવણું કરવાથી વ્રતની પરિપૂર્ણતા થાય છે.

પૌરાણિક કથા

એક ગામમાં બાહ્મણ દંપતી રહેતું હતું. ભગવાનની કૃપાથી ઘણા સમયે એક દીકરીનો જન્મ થયો. કન્યાના જન્માક્ષરમાં વિવાહયોગ ન હતો તેથી બાહ્મણ દંપતી ખૂબ ચિંતા કરવા લાગ્યું. કન્યા મોટી ઉંમરની થઈ. એક વખત માતા-પિતા ગામના મંદિરે દર્શન કરવા ગયાં ત્યાં કુંવારી કન્યાઓને સોળે શણગાર સજી વ્રત-પૂજા કરતી જોઈ. તેથી ઈંતેજારીપૂર્વક પૂછ્યું, `દીકરીઓ, તમે આ શેનું વ્રત કરી રહ્યાં છો.’ ત્યારે દીકરીએ કહ્યું, `અમે શ્રાવણ સુદ ત્રીજનું ફૂલકાજળી વ્રત કરીએ છીએ જેનાથી મનનો માણીગર, સારો પતિ પ્રાપ્ત થાય અને દાંપત્યજીવન સુખી બને.’

આટલું સાંભળી દંપતીએ પોતાની કન્યાને આ વ્રત કરવા માટે જણાવ્યું. પછીના વર્ષે બાહ્મણ દેવતાની આ કન્યાએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક શ્રાવણ સુદ ત્રીજે ફૂલકાજળી વ્રત કર્યું. આસ્થાભેર પૂજા કરી આમ પાંચ વર્ષ સુધી વ્રત કરી અંતમાં ઉજવણું કર્યું.

વ્રતના ફળસ્વરૂપે આ કન્યાના જન્માક્ષરમાં વિવાહયોગ નહીં હોવા છતાં સદાશિવ અને માતા પાર્વતીના આ વ્રત સ્વરૂપે તેનાં માંગાં આવવાં લાગ્યાં. સારું ઘર પસંદ કરી સુશીલ અને વ્યવહારુ દીકરો પસંદ કરી તેની સાથે લગ્ન થયાં. ખૂબ જ સરસ રીતે તે બંનેનું દાંપત્યજીવન વીતવા લાગ્યું. આ રીતે વ્રતના ફળસ્વરૂપ શિવ-પાર્વતીની કૃપા પ્રાપ્ત થઈ.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો
સ્પોર્ટ્સ

WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો

By 2 days ago
Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
Dubai મરીનામાં 67 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 3800થી વધુ લોકોનું રેસ્ક્યુ
Ahmedabad Plane Crash દુર્ઘટના અંગે BCCI-ECBએ લીધો મોટો નિર્ણય, જાણો કારણ
BCCIનો મોટો નિર્ણય, બદલાઈ ગઈ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની આખી સિસ્ટમ!
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?