રૂ.૨૦૯.3૨ કરોડનાં પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂ.પ૪3.૮૯ કરોડનાં ૪૦ વિકાસ પ્રકલ્પોનાં ખાતમુર્હૂત
રેલનગરમાં ૧૦૧૦ પરિવારોને ઘરનું ઘર મળશે : ઘંટેશ્વર, રૈયાધાર ખાતે નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના વિકાસને વધુ વેગ આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.૨૮ને શનિવારના રોજ બપોરે ૩:૦૦ કલાકે, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાનાર છે. શહેરના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પાણી વ્યવસ્થાપન મજબૂત બનાવવા, ડ્રેનેજ સુવિધા વિસ્તૃત કરવા, માર્ગ અને પ્રકાશ વ્યવસ્થા સુધારવા તેમજ નાગરિક સુવિધાઓ વધારવા માટે કુલ રૂ. ૭૫૧.૧૯ કરોડના ૪૫ વિવિધ પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા પૂર્ણ થયેલા વિકાસકાર્યોનું લોકાર્પણ તથા નવા વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો અમલમાં આવતા શહેરના અનેક વિસ્તારોમાં સુવિધાઓનો વ્યાપ વધશે અને નાગરિકોને ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ બનશે.
આ કાર્યક્રમમાં મંત્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, પ્રોટોકોલ, ગુજરાત સરકાર તથા રાજકોટ જીલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષા મંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ગુજરાત સરકારના દર્શનાબેન વાઘેલા, રાજકોટના સંસદસભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ઉપસ્થિતિ રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કુલ રૂ.૨૦૭.૩૧ કરોડના ૫ મહત્વપૂર્ણ, આવાસ, પાણી અને સુએજ વ્યવસ્થાપન સંબંધિત પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્લોટમાં રેલનગર વિસ્તારમાં રૂ. ૧૧૯.૦૫ કરોડના ખર્ચે કુલ ૨૫૦૭૧.૧૫ ચો.મી. ક્ષેત્રફળના બે પ્લોટમાં EWS- II પ્રકારના ૧૦૧૦ આવાસો તથા ૪૭ દુકાનોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવેલ છે.
આ આવાસ યોજનામાં વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આવાસ યોજના થકી ૧૦૧૦ પરિવારોને ઘરનું ઘર મળશે.
વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. ૩૩.૩૦ કરોડના ખર્ચે રૈયાધાર ખાતે હાલના ૫૬ MLD STP પાસે ૨૩ MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ પ્રકલ્પમાં ૫ વર્ષ માટે કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. ૩૦.૮૫ કરોડના ખર્ચે ઘંટેશ્વર વિસ્તાર માટે ૧૫ MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. સાથે ૫ વર્ષ માટે કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. ૧૫.૮૧ કરોડના ખર્ચે ઘંટેશ્વર વિસ્તારમાં સીવેજ પમ્પીંગ સ્ટેશન-૧ અને સીવેજ પમ્પીંગ સ્ટેશન-૨ બનાવવામાં આવ્યા છે. સાથે રાઈઝીંગ મેઈન પાઈપલાઈન નાખવાની કામગીરી, પમ્પીંગ મશીનરી SITC તેમજ પમ્પીંગ સ્ટેશન માટે ૨ વર્ષના કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો સમાવેશ થાય છે. આ પ્રકલ્પથી વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થા વધુ અસરકારક બનશે.
ખાતમુહૂર્ત થનાર પ્રકલ્પો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નવા વિકાસકાર્યો હાથ ધરવા માટે કુલ રૂ. ૫૪૩.૮૯ કરોડના ૪૦ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો વિવિધ વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવશે.
બાંધકામ વિભાગ
બાંધકામ વિભાગ દ્વારા શહેરના માર્ગો, નગર સુવિધાઓ, જાહેર ઈમારતો તથા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે રૂ. ૩૬૮.૦૧ કરોડના કુલ ૨૯ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામો પૂર્ણ થતા શહેરના માર્ગ નેટવર્કમાં સુધારો થશે તથા નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે.
વોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગ
વોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગ દ્વારા પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા રૂ. ૧૭૩.૧૭ કરોડના ૭ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો પૂર્ણ થતા નવા વિસ્તારોમાં પાણી પુરવઠો સુધરશે તથા હાલની વ્યવસ્થામાં ક્ષમતા વધારો થશે.
ડ્રેનેજ વિભાગ
ડ્રેનેજ વિભાગ દ્વારા રૂ. ૧.૯૬ કરોડના ૩ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સુવિધા વધુ મજબૂત બનશે અને વરસાદી પાણી તથા ગટર વ્યવસ્થામાં સુધારો થશે.
રોશની વિભાગ
રોશની વિભાગ દ્વારા રૂ. ૭૫ લાખના ૧ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પથી શહેરના માર્ગો તથા જાહેર સ્થળોએ પ્રકાશ વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે.
આ તમામ પ્રકલ્પો પૂર્ણ થતા શહેરમાં પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનશે, સુએજ ટ્રીટમેન્ટ ક્ષમતા વધશે, ડ્રેનેજ નેટવર્ક વિસ્તરશે, માર્ગ સુવિધાઓમાં સુધારો થશે તેમજ નાગરિકોને આધુનિક નગર સુવિધાઓ ઉપલબ્ધ બનશે. ઉપરાંત શહેરના વિસ્તરતા વિસ્તારોમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થશે જે ભવિષ્યના આયોજન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા આ વિકાસપ્રકલ્પો શહેરને સ્વચ્છ, સુવ્યવસ્થિત, આધુનિક અને સુવિધાસભર શહેર બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આજે તા.૨૮/૩/૨૦૨૬ના રોજ કુલ રૂ. ૭૫૧.૧૯ કરોડના ૪૫ વિવિધ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ માટે ઐતિહાસિક માઈલસ્ટોન સાબિત થશે.


