- ટ્રુડોએ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો
- ભારત વિરૂદ્ધ ઝેર ઓકવામાંથી ઉંચા નથી આવી રહ્યા ટ્રુડો
- અમે અમારી ઊંડી ચિંતા વ્યક્ત કરી અને લોકોની સુરક્ષા વિશે ચર્ચા કરી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંયુક્ત આરબ અમીરાતના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વાત કરી છે. ટ્રુડોએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી
ટ્રુડોએ આ પોસ્ટ કરી
ટ્રુડોએ લખ્યું હતું કે, ‘આજે ફોન પર મહામહિમ મોહમ્મદ બિન જાયદ અને મેં ઈઝરાયેલની વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરી હતી. અમે અમારી ઊંડી ચિંતા વ્યક્ત કરી અને લોકોની સુરક્ષા વિશે ચર્ચા કરી હતી. અમે ભારત અને કાયદાના શાસનને જાળવી રાખવા અને આદર આપવાના મહત્વ વિશે પણ વાત કરી હતી. હકીકતમાં ટ્રુડો સરકારે કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો છે ત્યાર બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે.
બ્રિટિશ PMએ આ વાતચીત કરી
રવિવારે યુકેના પીએમ ઋષિ સુનકે તેમના કેનેડિયન સમકક્ષ જસ્ટિન ટ્રુડો સાથે વાત કરતા ભારત-કેનેડા વિવાદને ઘટાડવાની હાકલ કરી હતી. તેમણે (ઋષિ સુનક) પરિસ્થિતિમાં ઘટાડો જોવાની આશા વ્યક્ત કરી હતી. નિવેદનમાં અને આગામી પગલાં સુધી વડાપ્રધાન ટ્રુડો સાથે સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તંગ
તમને જણાવી દઈએ કે કેનેડાના આરોપો બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. ટ્રુડોએ 18 જૂને બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની ‘સંભવિત’ સંડોવણીનો આરોપ મૂક્યો છે જેના કારણે કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી વિવાદ સર્જાયો હતો. ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.
થોડા દિવસો પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારતની સરખામણીમાં કેનેડા પાસે નવી દિલ્હીમાં ઘણા વધુ રાજદ્વારીઓ છે. આ ઘટાડવાની જરૂર છે. અગાઉ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતે કેનેડાને 10 ઓક્ટોબર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે અને તેને તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું છે. રિપોર્ટ અનુસાર, ભારતે આકરા સ્વરમાં કહ્યું છે કે જો આ રાજદ્વારીઓ નિર્ધારિત સમય પછી પણ ભારતમાં રહેશે તો તેમની તમામ પ્રતિરક્ષા હટાવી દેવામાં આવશે.