By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 week ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 weeks ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 weeks ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 weeks ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: અસમર્થને સમર્થ બનાવે તે જ ખરું દાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

અસમર્થને સમર્થ બનાવે તે જ ખરું દાન

agragujaratnews
Last updated: 2024/04/25 at 2:13 AM
1 year ago
Share
અસમર્થને સમર્થ બનાવે તે જ ખરું દાન
SHARE

  • જો દાન કરનાર બદલામાં કામના રાખે તો તેનું દાન ક્યારેય સફળ થતું નથી

એક નગરમાં ધનવાન શેઠ રહેતા હતા. નગરના લોકો તેમને ભક્તિભાવવાળા અને મહાન દાનવીર માનતા હતા. શેઠ નગરમાં આવેલા એક મંદિરમાં દરરોજ પૂજન કરવા જતા અને બહાર નીકળીને ગરીબોને દાન કરતા. એક દિવસ શેઠ હંમેશની જેમ એક કલાકની પૂજા કર્યા પછી મંદિરની બહાર આવ્યા. તેમની ચાલમાં અમીરોવાળો રુઆબ અને ચહેરા પર પોતે મહાન દાનકર્તા હોવાનો ગર્વ જોવા મળી રહ્યો હતો. તેમને જોઈને એવું લાગતું હતું કે સાક્ષાત્ ભગવાન લોકોનાં દુ:ખ દૂર કરવા માટે ધરતી ઉપર ઊતરી આવ્યા હોય. મંદિરની બહાર ભિક્ષુકોની લાંબી લાઈન લાગી હતી. તે બધા જ બહુ આશાભરી નજરે શેઠજી તરફ જોઈ રહ્યા હતા. જોકે આ લાઈનમાં એક વ્યક્તિ એવી ઊભી હતી જે ભિક્ષુક નહોતી લાગતી. તેની આંખોમાં આત્મવિશ્વાસ અને સ્વાભિમાન જોવા મળતાં હતાં.

શેઠની સાથે ઘણાં વર્ષોથી હિસાબકિતાબ રાખતા મુનીમજી પણ હતા. તેમના હાથમાં પચાસની નોટોનું બંડલ હતું. ઘરડા મુનીમે ઊભાઊભા ગણતરી કરી દીધી હતી કે આશરે સો ભિક્ષુકો હશે. તે હિસાબે શેઠ પાંચ હજાર રૂપિયા તો દર અઠવાડિયે વહેંચી જ દે છે, તેથી આટલામાં કામ થઈ જશે. મનમાં જ આવો હિસાબ લગાવીને મુનીમજી બહુ ખુશ થયા. તેઓ હંમેશની જેમ શેઠની પાછળ પાછળ રહેતા અને શેઠજીને એક-એક પચાસ રૂપિયાની નોટ હાથમાં આપતા, જે શેઠ ગરીબ ભિક્ષુકોને આપતા. તેઓ બદલામાં તેમના આશીર્વાદ મેળવીને અભિભૂત થઈ રહ્યા હતા.

ધીરેધીરે શેઠ પેલી અલગ લાગતી વ્યક્તિ પાસે પહોંચ્યા. જ્યારે તેમણે તે વ્યક્તિને પચાસ રૂપિયાની નોટ આપવા હાથ આગળ કર્યો ત્યારે તે વ્યક્તિએ પોતાના હાથ પાછળ કરી દીધા અને કહ્યું, `શેઠજી, માટે ભીખ નથી જોઈતી. મને થોડા પૈસા ઉધાર આપો. માત્ર પાંચ હજાર રૂપિયામાં મારું કામ થઈ જશે. મારા ઉપર આટલો ઉપકાર કરો.’ ઉધારનું નામ સાંભળતાંની સાથે જ શેઠના ચહેરાના ભાવ બદલાઈ ગયા. તેમના ચહેરા પરથી ધર્માત્મા અને દાનવીર હોવાનો ડોળ દૂર થઈ ગયો. હવે તેઓ સંપૂર્ણ શેઠ બની ગયા અને કહ્યું, `તારે પૈસા ઉધાર જોઈએ છે? પાછા કેવી રીતે આપીશ?’

આ સાંભળી પેલી વ્યક્તિએ કહ્યું, `માલિક, મહેનત કરીશ, સાઇકલ લઈશ, ગામડાંમાંથી શાકભાજી લાવીને નગરમાં વેચીશ. તેમાંથી હું પરિવારનું ભરણપોષણ કરીશ અને થોડા જ મહિનાઓમાં તમારા પૈસા પાછા આપી દઈશ.’

શેઠ તેને ધુત્કારતા આગળ વધ્યા, પરંતુ મુનીમજી ત્યાં જ અટકી ગયા. તેમની અનુભવી નજરોએ તે યુવકની આંખોમાં સત્ય જોયું હતું. શેઠની સાથે ગાડીમાં બેસીને બહુ હિંમતથી તેઓ બોલ્યા, `શેઠજી, પેલી વ્યક્તિને પૈસા આપી દેવા હતાને!’ `મુનીમજી, ગાંડા થઈ ગયા છો કે શું? તે પૈસા લઈને ભાગી જાય અને ફરી પાછા ન આપે તો!’ શેઠે કહ્યું.

મુનીમે બહુ ધીરેથી કહ્યું, `શેઠજી, એ વ્યક્તિ એવી લાગતી નહોતી અને જો તે પૈસા ન આપે તો સમજી લેજો કે એક અઠવાડિયું આપણે દાન નથી કર્યું અને એક જ ભિક્ષુકને આપણે પૈસા આપ્યા છે. તેનું ભલું કરીને આપણને પુણ્ય મળતું. બિચારો મહેનત કરવાની જ વાત કરતો હતો. આ મંદિરની બહાર ઊભા રહેતાં ભિક્ષુકો તો વર્ષોથી તમારા જેવા શેઠના પૈસે એશોઆરામ કરે છે, કોઈ કામ કે મહેનત કરતા નથી. તમે તેમને રાત્રે જોયા છે? તેઓ આ જ પૈસાથી રાત્રે નશો કરીને પડ્યા રહે છે.’

મુનીમજીની વાત સાંભળીને શેઠને બહુ ગુસ્સો આવ્યો. તેમણે કહ્યું, `મુનીમજી, તમે ખરેખર હિસાબકિતાબમાં કાચા છો. આ જ ગરીબોના આશીર્વાદથી જ તો આપણા પુણ્યનો હિસાબ બરાબર થાય છે. જો આપણે આ રીતે કોઈની મદદ કરતા રહીશું તો આ મંદિરની બહાર ભીડ કેવી રીતે થશે? આપણને આશીર્વાદ કોણ આપશે? પાંચ હજાર રૂપિયામાં હજારો આશીર્વાદ અને તે પણ દર અઠવાડિયે મળે છે.’

આ સાંભળી મુનીમજીએ કહ્યું, `શેઠજી, જો દાન કરનાર બદલામાં આશીર્વાદ કે અન્ય કોઈ કામના રાખે તો તેનું દાન ક્યારેય સફળ થતું નથી. તમે તે મહેનત કરનાર વ્યક્તિની મદદ કરી હોત તો તમારું દાન સફળ થતું. અસમર્થને સમર્થ બનાવવું એ જ ખરું દાન અને પુણ્યનું કામ છે.’

શેઠને મુનીમની વાત સારી રીતે સમજાઈ ગઈ. તેમણે તે વ્યક્તિને પાંચ હજાર રૂપિયા ઉધાર આપ્યા અને થોડા જ સમયમાં તે વ્યક્તિએ શેઠને તે પૈસા પાછા પણ આપી દીધા.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શરીરમાં થાક અને સુસ્તી દૂર કરવા આ એનર્જી ડ્રિંકસ ફાયદાકારક, ગરમ સ્વભાવના આ ફ્રૂટના સેવનથી સ્ફૂર્તિ આવશે
હેલ્થ

શરીરમાં થાક અને સુસ્તી દૂર કરવા આ એનર્જી ડ્રિંકસ ફાયદાકારક, ગરમ સ્વભાવના આ ફ્રૂટના સેવનથી સ્ફૂર્તિ આવશે

By 7 days ago
Health : માત્ર 3 મિનિટ મલાસન કરવાથી 4 મોટી સમસ્યા થશે દૂર
Health Tips : વરસાદી સિઝનમાં બાળકોમાં ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધિત સામાન્ય ફરિયાદ ના કરો નજરઅંદાજ
શું તમને વારંવાર થઇ જાય છે ગેસ? તમારા ડાયટમાં આ વસ્તુ તો નથી ને?
Health Tips : ચોમાસામાં સોયાબીન ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, મહિલાઓ માટે ઉપયોગી, જાણો તેનું સેવન કેટલું ગુણકારી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?