સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
કયારેક તાળા ન તૂટે તો પણ તાળો તો મળી જ જાય છે!
અયોધ્યામાં દર્પણ છે પણ દર્પ નથી, લંકામાં દર્પ ખૂબ છે પણ દર્પણ નથી!
સભી સયાને એક મત ન હોય પણ સભી સયાને એક સત જરૂર હોય
ધીંગીધરા કચ્છની માધાપરની ધરતી પર પ્રવાહિત થતી રામકથા ‘માનસ મુકુરાષ્ટક’ના ગઇકાલે ચોથા દિવસે મંગળવારના કથા પ્રેમસંવાદને આગળ ધપાવતા બાપુએ કહ્યું હતું કે આજે યમુના મહારાણીજીનો દિવસ છે. સૌ વૈષ્ણવો માટે ધન્યતાનો પાઠ કરવો. ઘણા લોકો પૂછે છે કે બાપુ, અમે તો રોજ પાઠ કરીએ છીએ પણ અમારો સ્વભાવ સુધરતો નથી! યમુનાષ્ટક કે અન્ય પાઠ કરવાથી સ્વભાવ સુધરે કે ન સુધરે પણ બગડશે તો નહીં જ! તમે રોજ પાઠ કરો છો એ જ બતાવે છે કે તમારો સ્વભાવ પાઠ કરવા લાગ્યો એ જ પુરતું છે. દર્શન કરવા હોય એણે દરેક વસ્તુમાં દર્પણ દેખાય છે. ગોવિંદ એટલે ‘ગો’ એટલે ઇન્દ્રિયો. જે સર્વ ઇન્દ્રિયોને જાણે છે કે ગોવિંદ અને ગોપાલ એટલે જે તમામ ઇન્દ્રિયોનું પાલન કરે તે ગોપાલ.
શ્રીમદ ભાગવદજીમાં, માનસમાં અને અન્ય શાસ્ત્રોમાં પણ કથાકોને કહેવી અને કથા કોને ન કહેવી એની વાત કહેવાઇ છે. ભાગવદના એકાદશ સ્કંધના ભગવદ ધર્મમાં ઉધ્ધવ-કૃષ્ણ સંવાદમાં આ વાત કહેવામાં આવી છે. એમાં કહ્યું છે કે અભકત હોય, નાસ્તિક હોય, પરદોહ કરે પરદ્વેષ કરે એને કથા ન કહેવી. તો કથા કોને કહેવી? બ્રાહ્મણ એટલે અહીં વર્ણની વાત નથી પણ બ્રાહ્મણ એટલે ભકત-પરમભકતને કથા કહેવી, જેનું ચરિત્ર પવિત્ર હોય એને કથા કહેવી અને કોઇ સાધુ પુરૂષ મળી જાય એને કથા કહેવી. મારી દ્રષ્ટિએ સાધુ એ શબ્દબ્રહ્મ છે. ઇશ્વર કરતાંય સાધુ શબ્દ મોટો છે. માનસમાં ભગવાન રામે પણ સાધુ શબ્દનો મહિમા આગળ કર્યો છે. તલગાજરડી દ્રષ્ટિએ અગ્નિને ધૂમાડો આવૃત કરે એ તમોગુણ છે. અરિસા ઉપર રજ ચડિએ રજોગુણનું પ્રતિક છે અને ગર્ભને આવૃત કરે અને પછી કોઇ ચેતના પ્રગટ થાય એ સતગુણ છે. તમે જુઓ આપણે ત્યાં કહેવાયું કે સભી સયાને એક મત પણ અઆમ જોવા જાવ ત્યારે સભ સયાને એક મત નથી! કેટકેટલા મહાપુરૂષો-બૃધ્ધપુરૂષો જુદા-જુદા મતો ધરાવે છે. એને બદલે મારે કચ્છની ધરતી પર આ કથામાં કહેવું છે કે સભી સયાને એક મત હોય કે ન હોય પણ સભી સયાને એકસ ત એ તો છે. બધાનાં મતમાં સત તો પ્રગટેલું જ છે. તો હવેથી સભી સયાને એક મતને બદલે સભી સયાને એક સત એમ કહેવું યોગ્ય ગણાશે. એટલે કે મત જુદા હોવાના પણ સત એક હોવાના અમે હોય છે. બૃધ્ધ પુરૂષ એટલે વિધ્વાન, જ્ઞાની વગેરે બુધ્ધપુરૂષ એ જ હોજનું પાણી છે જયારે બુધ પુરૂષ એ કૂવો છે.
અયોધ્યામાં દર્પણ છે પણ દર્પ (અભિમાન) નથી. દર્પ ન અને લંકામાં દર્પ (અહમ-અભિમાન) ખૂબ છે પણ દર્પણ નથી. રાવણ પાસે અરિસો જ નથી. જો એની પાસે અરિસો હોત તો એ દસ માથા કાપી નાખી! પણ બિચારા પાસે અરિસો જ ન્હોતો! આ દર્પણને આપણા મનરૂપી દર્પણને શુધ્ધ કોણ કરશે! તો એ માટે હું એક શ્લોક લાવ્યો છું…
ગુરોરવિતા વૈદ વિધ્યહ:
પિયુષપાણી કુશલ: કિયાષુ
ગતસ્પૃહો ધૈર્ય ધરો દયાલુ : શુધ્ધોધિકારી
એટલે કે આવા ગુરૂની ચરણ રજ આપણા મનના મેલરૂપી દર્પણને શુધ્ધ કરે છે. ગુરૂકૃપા શું ન કરે! શાસ્ત્રો વાંચવા કે ભણવાથી આ રહસ્યો નથી ઉકેલાતા પણ કોઇ ગુરૂ કૃપા-બુધ્ધપુરૂષની ચરણ રજથી એ રહસ્યો આપણને ખબર ન પડે એ રીતે ઉકેલાય છે.
કથા રત્નો
(૧) ગાતો હોય એ ઇશ્વર હોય, રોતો હોય એ જીવ હોય
(૨) ગુરૂ આપણી વૃતિ અને આકૃતિ બદલી નાખે છે
(3) બૃધ્ધ પુરૂષ એ હોજનું પાણી છે, બુધ્ધ પુરૂષ કૂવો છે!
(૪) અમારે વિધાન નહીં ઓધાન હોય છે, બુધ્ધ પુરૂષ સગર્ભા હોય છે!
(૫) દર્શન કરવા હોય એને દરેક વસ્તુમાં દર્પણ દેખાય છે


