By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    23 hours ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    24 hours ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 day ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 day ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 day ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉત્તરાખંડની ટનલઃ બેદરકારીનો વરવો નમૂનો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રનિંગ કોમેન્ટ્રી - દિલીપ ગોહિલ

ઉત્તરાખંડની ટનલઃ બેદરકારીનો વરવો નમૂનો

agragujaratnews
Last updated: 2023/11/22 at 5:51 PM
2 years ago
Share
ઉત્તરાખંડની ટનલઃ બેદરકારીનો વરવો નમૂનો
SHARE

હિમાલયના પહાડો ખડકથી બનેલા મજબૂત નથી ત્યારે તેમાં કોઈ પણ ખોદકામ કરતાં પહેલાં લેવાવી જોઈએ તેવી કોઈ કાળજી સિલક્યારા ટનલ ખોદતી વખતે લેવાઈ નથી

ઉત્તરકાશીથી યમુનોત્રી જવા માટે પહાડી રસ્તો છે તેને સીધો કરવા માટે અને ટનલ દ્વારા ઊંચા પહાડોની નીચે રસ્તો કાઢવાની મહત્ત્વાકાંક્ષી યોજના પૂરી થશે ત્યારે બહુ ઉપયોગી થશે. 26 કિમી જેટલું અંતર ઘટી જશે અને શિયાળામાં પહાડો પર બરફ હશે ત્યારે પણ નીચે ભોંયરામાંથી સિલક્યારાથી બડકોટ સુધી જઈ શકાશે. પરંતુ યોજના પૂરી થાય તે પહેલાં મોટું વિઘન આવ્યું અને આગળ કામ ચાલતું હતું ત્યારે પાછળ થઈ ગયેલા ભોંયરામાંથી ઉપરનો ભાગ બેસી ગયો. અંદર 41 લોકો ફસાયેલા છે. અત્યારે તેઓ ક્ષેમકુશળ છે અને તેમની સુધી ભોજન પહોંચાડી શકાય તેવી અડધા ઈંચની પાઈપલાઈન પણ નાખી દેવાઈ છે. અગાઉ નાની પાઈપથી અંદર ઓક્સિજન પહોંચતું રહ્યું છે એટલે તેઓ આજે 11 દિવસે પણ સલામત છે.
હવે ઉપરથી નીચે ટનલના ભાગ સુધી બોરિંગ થઈ રહ્યું છે. અઢી ફૂટ જેટલું બોગદું ઉપરથી નીચેની તરફ ખોદાશે અને તેમાંથી સૌને બહાર કઢાશે. અગાઉ અમેરિકન ઓગર મશીનથી પેરેલલ અઢી ફૂટનો પાઇપ નાખવાનું કામ આગળ વધ્યું હતું, પણ 25 મીટરથી વધારે આગળ વધ્યા પછી, પાંચમો પાઈપ નાખતા હતા ત્યારે ફરીથી કડાકો બોલ્યો. કામ અટકાવી દેવું પડ્યું કે વધારે પડતું દબાણ કરવાથી ભોયરાનો વધારોનો ભાગ પણ બેસી જાય તો મુશ્કેલી વધે.
આ જ કારણ છે કે હિમાલયમાં બોગદું બનાવવાનું કામ સહેલું નથી. બોગદું બનાવવાનું કામ ક્યારેય સહેલું હોતું નથી, પણ નક્કર પથ્થર અને ખડકથી બનેલી પહાડીમાં ખાણકામ સહેલું નહીં, પણ ઓછું જોખમી બને છે. તમે ધીમે ધીમે પથ્થર કાપીને ભોંયરું બનાવતા જાવ ત્યારે ઉપરથી જમીન બેસી જાય તેવી શક્યતા થોડી ઓછી રહે છે. હિમાલયના પહાડોની રચના એવી છે કે ઉપરથી જમીન ઝડપથી બેસી શકે છે. મોટા ખડકો કે નક્કર પથ્થરોથી નહીં, પણ માટી અને કાંકરાની બનેલી પહાડીઓ છે. હિમાલય સૌથી યુવાન પર્વતમાળા છે. થોડા કરોડ વર્ષો પહેલાં તેનો જન્મ થયો છે અને મૂળ તો જમીન ઊંચેને ઊંચે ચડતી ગઈ છે. હજીય દર વર્ષે અમુક સેમી તે ઉપરની તરફ ચડે છે. તમે શાળામાં હિમાલયની રચના વિશે વાંચ્યું હશે એટલે તેને યાદ કરી લો.
આપણે અહીં એ કહેવાનું થાય છે કે હિમાયલના પહાડોની આ પ્રકૃત્તિની જાણ હોવા છતાં બેફામ રીતે ત્યાં બાંધકામ થઈ રહ્યું છે. તેમાં તદ્દન બેદરકારી રાખવામાં આવી રહી છે. આવી રીતે કાળજી લીધા વિના બોગદા બનાવો તેના કારણે જમીન અસ્થિર થઈ જાય છે. જોષીમઠમાં કેટલી મોટી આપદા આવી હતી તે યાદ હશે. 700થી વધુ મકાનોમાં તિરાડો પડી ગઈ, કેમ કે આસપાસની જમીન અસ્થિર થવા લાગી હતી. એવી જ સમસ્યા યમુનોત્રી જવા માટેના રસ્તે બની રહેલી આ ટનલમાં થઈ છે.
ચૂંટણી પહેલાં દાખડો કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામમાં નાહકની ઉતાવળ કરાવાય છે અને તેના કારણે કોન્ટ્રેક્ટરો કોમ્પ્રોમાઇઝ કરવા લાગે છે. ગુજરાતમાં એક પછી એક બ્રીજ તૂટી પડ્યાના દાખલા છે. પેલો ભ્રષ્ટાચાર તો ખરો જ… કટકીની ટકાવારી વધી છે તેના કારણે પણ નબળા બાંધકામ થાય છે, પણ તે મુદ્દો અહીં નથી.
અહીં નેશનલ હાઇવે એટલે કે ચારધામ યાત્રા માટેના હાઇવેનું કામ ચાલી રહ્યું છે એટલે તેમાં થોડી વધારે કાળજી લેવાઈ હોય, પણ તોય માનવીય બેદરકારી આખરે છતી થઈ ગઈ. જાણકાર એન્જિનિયર્સ કહે છે કે હિમાલયમાં ભોંયરું જેમ જેમ આગળ વધતું જાય તેમ તરત જ તેની છત અને પડખાને પાકા કરી લેવા પડે. માત્ર સીમેન્ટ મારીને પ્લાસ્ટર જેવું કરી દેવાથી કામ ચાલે નહીં. તે એટલું મજબૂત ના થાય કે ઉપરથી દબાણ આવે ત્યારે ઝીંક ઝીલી શકે. દર થોડા મીટર પછીના બોગદા પછી તેને નક્કર કરી દેવું પડે તેમ જાણકારો કહે છે. કેમ કે કદાવર મશીનોથી આગળ બોગદું બનાવવાનું કામ ચાલતું હોય ત્યારે ઉપરના ભાગે ભારે ધ્રૂજારી થતી હોય છે. તેના થડકાને કારણે નબળો હિસ્સો હોય તે ધસી પડે તેવું જોખમ હોય છે. એક શક્યતા એ વ્યક્ત થઈ છે કે અંદર એક મોટું ટેન્કર કાબૂ બહાર જતા અથડાયું હતું. તેના કારણે મોટો થડકો લાગ્યો હતો તેના કારણે ઉપરનો હિસ્સો નીચે ખાબક્યો હતો. જે હોય તે, કાળજી લેવાઈ નહોતી તે સ્પષ્ટ થયું છે. જાણકારો કહે છે કે અહીં ફાઇલાઇટ પ્રકારના ખડકોથી પહાડો બનેલા છે. તે નબળા ગણાય છે એટલે વિશેષ કાળજી લઈને ભોંયરું બનાવવું જોઈએ.
આ ટનલ બંને બાજુથી બનાવવાનું શરૂ થયું છે. ભાગીરાથી નદીની ખીણમાં આવેલા સિલક્યારાથી પણ ભોંયરું આગળ વધ્યું હતું અને સામા છેડે બડકોટના દંડલગામ પાસેથી પણ કામ ચાલતું થયું છે. સાડા ચાર કિમી લાંબી આ ટનલ બનવાની છે, પણ અત્યારે આખો પ્રોજેક્ટ હવે વિલંબમાં પડશે. કામદારોને બચાવી લેવાશે તે રાહતની વાત છે, પણ તે પછી સમગ્ર બનાવની તપાસ કરવી જરૂરી છે. અહીં જે બેદરકારી દાખવવામાં આવી છે તેની નોંધ લઈને ચાર ધામ યાત્રા માટે કામ ચાલી રહ્યું છે ત્યાં પણ કાળજી લેવી જરૂરી છે. જોષીમઢમાં જમીનો બેસવા લાગી ત્યારે ઉહાપોહ થયો પણ તેમાંથી કોઈ બોધપાઠ લેવાયો હોય તેવું લાગતું નથી. વધારે એક દુર્ઘટના થઈ ગઈ. જાનહાની ના થઈ એટલા સદ્દભાગ્ય…

You Might Also Like

ભારતમાં ક્રિપ્ટોનો ધંધો 90 ટકા ઘટ્યો

હૂતીઓના ભૂમિ પરના અડ્ડા પર હુમલો

કેનેડા નહીં તો ક્યાંય પણ ચાલશે!

જાપાનમાં અર્થક્વેક અને અમદાવાદ-સુરતનું હવામાન

2024ના વર્ષમાં અર્થતંત્રની અપેક્ષાઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લીમડાના પાનનું સેવન બીમારી રાખશે દૂર, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક
હેલ્થ

લીમડાના પાનનું સેવન બીમારી રાખશે દૂર, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક

By 3 days ago
નાગપંચમી : પૌરાણિક મહત્ત્વ અને પૂજાવિધિ
Health Tips : બજારમાં મોટાપાયે નકલી પનીરનું ધૂમ વેચાણ, આ ટ્રીકથી જાણી શકશો પનીર અસલી કે નકલી
Heart Attack : હાર્ટએટેકના જોખમને દૂર રાખવા આ આહારનું સેવન ફાયદાકારક, હેલ્થ એક્સપર્ટ
Delhi : આતંકવાદ, સરહદી સુરક્ષાથી લઈ ટેક્નોલોજી સુધી, રાષ્ટ્રીય સુરક્ષા પર અમિત શાહે યોજી મોટી બેઠક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?