- સરકારના મંત્રીઓ સાથે મુલાકાત બાદ મનોજ જરાંગેનો નિર્ણય
- મંત્રીઓએ જરાંગેને 9 દિવસના ઉપવાસ સમાપ્ત કરવા આગ્રહ કર્યો
- 25 ઓક્ટોબરથી અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર હતા જરાંગે
મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગેએ શિંદે સરકારના મંત્રીઓને મળ્યા બાદ ઉપવાસ આંદોલન સમેટી લીધું છે. સરકારે તેમને બે મહિનામાં આ સમસ્યાનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું છે. મંત્રીઓના સમજાવ્યા બાદ જરાંગે કહ્યું કે જ્યાં સુધી તમામ મરાઠાઓને આરક્ષણ નહીં મળે ત્યાં સુધી તેઓ તેમના ઘરમાં પ્રવેશશે નહીં. જો બે મહિનામાં કોઈ નિર્ણય નહીં લેવાય તો હું મુંબઈમાં મરાઠા આરક્ષણ આંદોલનનું નેતૃત્વ કરીશ. આ પહેલા મહારાષ્ટ્રના ચાર મંત્રીઓ મનોજ જરાંગેને મળ્યા હતા. તેમણે તેમને તેમના નવ દિવસના ઉપવાસને સમાપ્ત કરવા આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા આરક્ષણને લઈને 8 ડિસેમ્બર ના રોજ ચર્ચા કરવામાં આવશે.
હાઈકોર્ટના નિવૃત્ત જજ સાથે કરી મુલાકાત
આ પહેલા, હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો સંદીપ શિંદે, ન્યાયમૂર્તિ એમજી ગાયકવાડ અને અન્ય અધિકારીઓનું પ્રતિનિધિમંડળ જરાંગેને મળ્યું હતું. આ મુલાકાત જરાંગેના ગામમાં થઈ. સત્તારૂઢ ગઠબંધનના સહયોગી ધારાસભ્ય બચ્ચુ કડુ પણ આ મુલાકાત દરમિયાન હાજર રહ્યા હતા.
પ્રતિનિધિમંડળના સભ્યોએ તેમને આશ્વાસન આપતા કહ્યું હતું કે આરક્ષણ એક-બે દિવસમાં ન આપી શકાય, પરંતુ મરાઠા સમુદાયને તે ચોક્કસ મળશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. ઉતાવળે લીધેલો નિર્ણય ન્યાયિક તપાસમાં ટકી નહીં શકે.
25 ઓક્ટોબરથી અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર હતા જરાંગે
જણાવી દઈએ કે, મનોજ જરાંગે મરાઠા આરક્ષણની માંગ સાથે 25 ઓક્ટોબરથી જાલના જિલ્લાના પોતાના ગામ અંતરવાલી સરતીમાં અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર છે. તેમણે બુધવારે સાંજે કહ્યું હતું કે હવેથી તે પાણી પણ નહિ પીવે. જો કે, તેના એક દિવસ અગાઉ સર્વપક્ષીય બેઠકમાં અનામતની માંગને સમર્થન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરવામાં આવી હતી.
મનોજ જરાંગેની આ હટી માંગણીઓ
- મરાઠા સમુદાયના આર્થિક અને સામાજિક પછાતપણાના સર્વેક્ષણ માટે પૂરતું ભંડોળ પૂરું પાડવું
- સર્વે માટે અનેક ટીમો કામે લગાડવામાં આવે
- મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપતો સરકારી આદેશ પસાર થવો જોઈએ
- આદેશમાં મહારાષ્ટ્ર શબ્દનો સમાવેશ થવો જોઈએ