વડોદરાના હરણી તળાવમાં હચમચાવી નાંખનારી ઘટના બની છે. જેમાં હરણી તળાવમાં બોટ ડૂબતા 12 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં વડોદરાની જાનવી હોસ્પિટલમાં 9 ના મોત થયા છે જ્યારે સયાજી હોસ્પિટલમાં 3 ના મોત થયા છે. જેમાં 10 બાળકો, 2 ટીચર હોવાની વિગતો સામે આવી રહી છે. NDRF ની એક ટીમ વડોદરા માટે રવાના કરવામાં આવી છે. જ્યારે આ ઘટના પર મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યું છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવા રવાના થયા છે. તેમજ કોટીયા કન્સ્ટ્રકશનને કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ ઘટનામાં છાયા પટેલ અને ફાલ્ગુની સુરતી નામની શિક્ષિકાના મોત થયા છે. એટલું જ નહીં 1 થી લઇને 5 ધોરણ સુધીના બાળકો બોટમાં હતા. તેમજ આ બોટમાં 16ની ક્ષમતાવાળી બોટમાં 27 લોકોને બેસાડ્યા હતા.
અંગેનો વધુ એક ખુલાસો સામે આવ્યો છેકે, વાલીઓ અજાણ હતા અને શિક્ષકો પ્રવાસે લઇને ઉપડ્યા હતા. તેમજ વાલીઓને જાણ કર્યા વગર જ સ્કૂલે પ્રવાસનું આયોજન કર્યું હતું. તેમજ ઘટનાની જાણ થતાં NDRF ની એક ટીમ વડોદરા માટે રવાના કરવામાં આવી છે.
આ દુર્ઘટના અંગે CM ભૂપેન્દ્ર પટેલે વડોદરા દુર્ઘટનામાં સંવેદના વ્યક્ત કરી છે. તેમજ નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના છે. બાળકોના પરિવાર પ્રત્યે સંવેદના છે. તંત્ર દ્વારા હાલ બચાવ કામગીરી ચાલુ છે. ભોગ બનનારને રાહત સારવાર માટે સૂચના અપાઈ છે.
કેવી રીતે અને ક્યાં બની દુર્ઘટના
આ અંગેની માહિતી અનુસાર, વાઘોડિયા રોડની સનરાઈઝ સ્કુલના વિદ્યાર્થીઓ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ અંગેનો સૌથી મોટો ચોંકવાનારો ખુલાસો સામે આવી રહ્યો છે જેમાં બોટમાં 20 થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. તેમજ બોટિંગ સમયે લાઈફ જેકેટ પહેર્યા ન હતા.
દુર્ઘટનાની જાણ થતાં જ મેયર સહિતના આગેવાનો ઘટનાસ્થળે પહોંચ્યા છે. તેમજ ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત ફાયર સહિત સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. તેમજ 13 બાળકો અને 2 ટીચરને બચાવી લેવાયા હોવાની માહિતી મળી રહી છે.
કલેક્ટરે આપી માહિતી
વડોદરાના કલેક્ટર એ.બી ગોરે જણાવ્યું હતું કે, હાલમાં 23 ભુલકાઓ અને 4 શિક્ષકો હતા. તેમાંથી 11ને બચાવી લેવામાં આવ્યા છે. સાત બાળકો હોસ્પિટલમાં છે અને સુરક્ષિત છે. આ તરફ અહેવાલ અનુસાર 5 થી વધુ વિદ્યાર્થીઓ હજૂ લાપતા હોવાની વિગતો સામે આવી છે. તેમજ 9 વિદ્યાર્થીને જ્હાનવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની માહિતી અનુસાર, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી ગઈ હોવાની વિગતો સામે આવી છે. બોટિંગ સમયે દુર્ધટના બની હતી. એટલું જ નહીં બોટિંગ સમયે લાઈફ જેકેટ પહેર્યા ન હોવાની પણ માહિતી સામે આવી છે. આ સાથે જ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી છે.
અત્યાર સુધીમાં 12 લોકોના મોત
તેમજ દુર્ઘટનામાં કુલ 12 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. બોટમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. તેમજ ક્રેનથી વિદ્યાર્થીઓની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. સૌથી મોટો ચોંકવાનારો ખુલાસોએ છેકે, બાળકોને લાઇફ જેકેટ ન્હોતા પહેરાવ્યા હતા.