- ઈજાગ્રસ્તો સુરતની સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા
- માલેગામ પાસે ટેમ્પોને ઓવરટેક કરવા જતા બની ઘટના
- લક્ઝરીનાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ખીણમાં પડી હતી
સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અક્સ્માત સર્જાયો હતો. જેમાં પ્રવાસે આવેલા લોકોની લકઝરી બસ ઘાટમાં ખાબકી ગઈ હતી. જેથી ઘણા લોકો લકઝરી નીચે દબાયા હતા. જેમાં સુરતના રહેવાસી સગા ભાઈ-બહેનના મોત થયા હતા. જ્યારે 28 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સર્જાયો ગંભીર અકસ્માત
જેમાંથી 6ની હાલત ગંભીર હોવાથી 2ને આહવા સિવિલમાં અને 4ને સુરત સિવિલમાં રિફર કરાયા છે. ઉલ્લેખનીય છે કે, બસમાં કુલ 66 લોકો સવાર હતા.સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અક્સ્માત સર્જાયો હતો. જેમાં પ્રવાસે આવેલા લોકોની લકઝરી બસ ઘાટમાં ખાબકી ગઈ હતી. જેથી ઘણા લોકો લકઝરી નીચે દબાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ આખી ઉંધી વળી ગઈ હતી. જો કે ઘટનાને પગલે પોલીસ અને ફાયરની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાટ નીચે દબાયેલા લોકોને રેસ્ક્યુ કર્યા હતા.
બસમાં ડ્રાઈવર સહિત કુલ 66 લોકો સવાર હતા
પ્રવાસ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે, બસવાળાએ ટેમ્પાચાલકને ઓવરટેક કર્યો હતો. જે દરમિયાન અચાનક જ ગાડી ઘાટમાં ઉતરી ગઈ હતી. કુલ 18 લોકો ફરવા આવ્યા હતા. જો કે બસમાં કુલ 65 લોકો સવાર હતા.બસમાં સવાર કુલ 66 લોકોમાંથી 57 પ્રવાસીઓ હતા. જેમાંથી સુરતના એક જ પરિવારના 2 સગા ભાઈ-બહેનના મોત થયા હતા. જ્યારે 28 લોકો ઘાયલ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 6 લોકોની હાલત ગંભીર છે.
જાણો આ અંગે DYSPએ શું કહ્યું
આ સમગ્ર ઘટના અંગે DYSP એસ.જી. પાટીલે જણાવ્યું હતું કે, આજે લગભગ 5:30 વાગ્યાના સમયગાળામાં સાપુતારાથી એક લક્ઝરી બસ નીકળી હતી. જેમાં સુરત, નાનપુરા અને હિમાળાના પેસેન્જરો સવાર હતા. જેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે માલેગાવ ઘાટ પાસે બસ એક વાહનને ઓવરટેક કરવા જતાં સ્લીપ થતાં ખાઈમાં નીચે ઉતરી ગઈ હતી. બસમાં બે આયોજકો, એક ડ્રાઈવર અને એક રસોયા સહિત કુલ 66 લોકો બેઠા હતા.
મૃતકના નામ
1-અતીફા અસ્ફાક શેખ (ઉં.વ.7, રહે. ગોપીપૂરા સુરત મોમના વાડ)
2-ઉમર અસ્ફાક શેખ (ઉં.વ.3, રહે. ગોપીપૂરા સુરત મોમના વાડ)


