- બ્રિટનના નવા બનવા જઈ રહેલા વડાપ્રધાન કીર સ્ટાર્મર સામે ભારે પડકારો છે
- સ્ટાર્મરને આરોગ્ય, સ્થળાંતર, યુક્રેન-રશિયા, વધતી મોંઘવારી જેવા મુદ્દાઓ પર કામ કરવું પડશે
- ઋષિ સુનક બાદ કીર સ્ટાર્મર બ્રિટનની સુકાન સંભાળ્યા બાદ આર્થિક નીતિઓ પર વધુ કામ કરવું પડશે
બ્રિટનમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. મતગણતરીમાં લેબર પાર્ટી વિજેતા જાહેર થઈ છે જ્યારે વર્તમાન વડાપ્રધાન ઋષિ સુનકની પાર્ટી કંઝર્વેટિવ પાર્ટી કારમી રીતે હારી ગઈ છે. જો કે સુનકે ફોન કરી કીર સ્ટાર્મરને ફોન પર શુભેચ્છા પણ આપી છે. બ્રિટનના આગામી વડાપ્રધાન બનવા જઈ રહેલા કીર સ્ટાર્મરને નવા પડકારો અને નીતિઓને લઈ ભારે સંઘર્ણ કરવો પડે તેવી નોબત આવી છે.
આર્થિક વિકાસ સૌથી કથળેલી સ્થિતિમાં
યુકેમાં ગત 15 વર્ષમાં આ સમયે આર્થિક વિકાસ સૌથી ખરાબ સ્થિતિમાં છે. ગરીબથી લઈ ધનિક અને યુવાનથી લઈ વૃદ્ધ સુધી સૌ માટે દેશમાં આર્થિક વિકાસ દર ઘણા સુસ્ત રહ્યો છે. આનો અર્થ છે કે દેશમાં જ્યાં આર્થિક અસમાનતા યથાવત્ છે. જ્યારે ગરીબી ઓછી કરવાની ઝડપ ખૂબ ધીમી છે. ગત 16 વર્ષમાં 46 ટકાની સરખામણીમાં આ સમયે બ્રિટનનો જીડીપી માત્ર 4.3 ટકાથી વધી રહ્યો છે. આને વર્ષ-1826 પથી સૌથી સુસ્ત વિકાસ દર ગણાવવામાં આવી રહ્યો છે.
આરોગ્ય સેવામાં વેઈટિંગ વધ્યું
બ્રિટનમાં આરોગ્ય સેવાઓને લઈ સ્થિતિ ખૂબ ખરાબ છે. આ સમયે 10માંથી ચાર લોકો આરોગ્ય સેવાઓનો લાભ લેવા વાટ જોઈ રહ્યા છે. ચૂંટણીમાં પણ આ મુદ્દો બન્યો અને બંને પાર્ટીઓએ કંઝર્વેટિવ પાર્ટી અને લેબર પાર્ટીએ તબીબી સેવાઓ માટે લોકોને વાટ જોવાનું સમાપ્ત કરવાનો વાયદો કર્યો હતો. આ વર્ષે એપ્રિલમાં દેશમાં તબીબી સારવાર માટે પ્રતીક્ષા કરનારા લોકોની યાદીમાં 7.6 મિલિયન લોકો સામેલ હતા.
યુકે છોડનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે
યુકેમાં લાંબા ગાળાના નેટ માઈગ્રેશનની સ્થિતિ પણ બહુ સારી નથી. આનો અર્થ એ થયો કે યુકે છોડનારા અને અહીં આવતા લોકો વચ્ચેનું અંતર ઘણું વધી ગયું છે. વર્ષ-2023ના અંત સુધીમાં, યુકેમાં લાંબા ગાળાના સ્થળાંતરનો આંકડો 6.85 લાખ સુધી પહોંચી ગયો હતો. એટલે કે અહીંથી જતા લોકોની સંખ્યા અહીં આવતા લોકો કરતા ઘણી વધારે હતી. જે છેલ્લા દાયકાના આંકડા કરતા ત્રણ ગણા વધુ હોવાનું કહેવાય છે. લાંબા ગાળા માટે યુકેમાં આવનારા ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે અને આ યાદીમાં અઢી લાખ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પછી 1.41 લાખ નાઈજીરિયન, 90 હજાર ચીની અને 83 હજાર પાકિસ્તાની સામેલ છે.
જનતાના ઘરખર્ચમાં વધારો
ભારતની જેમ યુકે પણ મોંઘવારી સામે ખરાબ રીતે ઝઝૂમી રહ્યું છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાંના લોકોના જીવન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ફુગાવો છેલ્લા 41 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે અને ઓક્ટોબર-2022માં 11.1 ટકા નોંધાયો હતો. તેનું કારણ કોવિડ અને યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન સપ્લાય સંબંધિત સમસ્યાઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે, તાજેતરના ડેટા દર્શાવે છે કે વાર્ષિક ફુગાવાનો દર મે-2024માં બે ટકા ઘટ્યો છે અને એક મહિના પહેલા તે ત્રણ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો હતો.
ઘરની કિંમતો અને ભાડામાં ભારે વધારો
યુકેમાં રહેવું પણ ઘણું મોંઘું બની રહ્યું છે. ઘર ખરીદવું હવે સામાન્ય લોકોની પહોંચની બહાર છે. ત્યાં મકાનોની સરેરાશ કિંમત આવક કરતાં 8.3 ગણી વધારે છે, જે 2010માં 6.8 ગણી વધારે હતી. આ કારણે યુકેમાં ઘરમાલિકોની સંખ્યા પણ ઘટી રહી છે.
બ્રિટનમાં વર્ષ-2010ની સરખામણીમાં, 45થી 59 વર્ષની વય જૂથમાં મકાનમાલિકોની સંખ્યામાં 7.1 ટકાનો ઘટાડો થયો છે. તે જ સમયે, 35થી 44 વર્ષની વયજૂથમાં પોતાનું ઘર ખરીદનારા લોકોની સંખ્યામાં પણ 6.5 ટકાનો ઘટાડો થયો છે. જો કે, 25 થી 34 વર્ષની વયજૂથમાં પોતાનું ઘર ખરીદનારા લોકોની સંખ્યામાં થોડો વધારો થયો છે. યુકેમાં ભાડાના દરોમાં પણ ઝડપથી વધારો થયો છે અને જાન્યુઆરી 2024માં 6.2 ટકા સુધી પહોંચી ગયો છે. જાન્યુઆરી 2016માં ભાડા દરના ડેટા જાહેર થયા પછી આ સૌથી વધુ છે.
આ પડકારોનો પણ સામનો કરવો પડશે
આ સિવાય યુકેની નવી સરકાર સામે કેટલાક અન્ય પડકારો પણ હશે. તેમાં શિક્ષણ પર સરકારી ખર્ચમાં સતત ઘટાડો, સંરક્ષણ પરના વિદેશી ખર્ચમાં વધારો, સરકારમાં વિશ્વાસમાં ઘટાડો અને કેટલાક ક્ષેત્રોમાં ગુનાઓનું વધતું સ્તરનો સમાવેશ થાય છે. એક અહેવાલ અનુસાર, યુકેમાં 2010-11થી શિક્ષણ પરના સરકારી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને 2022-23માં શિક્ષણ પરના કુલ જાહેર ખર્ચમાં આઠ ટકા અથવા 10 અબજ પાઉન્ડનો ઘટાડો થશે. સંરક્ષણ અને વિદેશી બાબતો પણ નવી સરકાર માટે ચિંતાનું મહત્વનું કારણ બનશે. તેમાં યુક્રેનને રશિયા અને ગાઝામાં યુદ્ધનો સામનો કરવામાં મદદ કરવાના ખર્ચનો પણ સમાવેશ થાય છે.
અત્યાર સુધી, યુકે પણ યુક્રેનની મદદમાં યુનાઈટેડ સ્ટેટ્સ અને જર્મનીની સાથે ઉભું હોવાનું જણાય છે. આ માટે તેણે 12.5 બિલિયન પાઉન્ડની સહાય આપી છે, જેમાં માત્ર 7.6 બિલિયન પાઉન્ડની સૈન્ય મદદ સામેલ છે. જ્યાં સુધી ગાઝા સંઘર્ષનો સંબંધ છે, યુકેના સામાન્ય લોકો તેને વધુ આગળ વધે તે જોવા માંગતા નથી. આ વર્ષે મેમાં એક અહેવાલમાં જણાવાયું હતું કે યુકેના 70 ટકા લોકો ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ ઇચ્છે છે. આવી સ્થિતિમાં આ પડકારોનો સામનો કરવાની જવાબદારી પણ નવી સરકારની રહે છે.


