- બ્રિટન કેબિનેટમાં નવી જોગવાઈ અંગેનો રિપોર્ટ મુકવામાં આવશે
- ગ્રેજ્યુએટ રૂટ વીઝાથી હવે માત્ર 39 હજાર વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવી શકશે
- આ જોગવાઈથી બ્રિટનને દર વર્ષે ફીના બે લાખ કરોડ રૂપિયા મળવાના બંધ થઈ જશે
વિદેશમાં ભણવા જવાનું અને ખૂબ પૈસા કમાવાનું દરેક ભારતીયનું સપનું હોય છે. જો કે આ સપના પર પાણી ફરે તો નવાઈ નહિ. કારણ કે બ્રિટનના ઋષિ સુનક સરકારે ભારતીય વિદ્યાર્થીઓને મોટો આંચકો આપ્યો છે. સરકારની માઈગ્રેશન એડવાઈઝરી કમિટીએ ગ્રેજ્યુએઠ વીઝા રૂટ બંધ કરવાનો રિપોર્ટ તૈયાર કરી દીધો છે. મળતી માહિતી અનુસાર, મંગળવા સુનક સરકાર કેબિનેટમાં રજૂ કરશે. જો આ જોગવાઈ બ્રિટનમાં લાગુ થઈ જશે તો દર વર્ષે આશરે 91 હજાર વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન રૂટથી વીઝા એન્ટ્રી નહિ મળે.
અત્યારે દર વર્ષે આશરે એક લાખ 30 હજાર ભારતીય વિદ્યાર્થીઓ આનાથી એન્ટ્રી કરતા હોય છે. કાપ મુકાયા બાદ માત્ર 39 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ-2021માં શરૂ થયેલા ગ્રેજ્યુએશન વીઝા રૂટથી ભારતીય અને અન્ય આંતરારાષ્ટ્રીય વિદ્યાર્થીઓના માસ્ટર્સનું ભણતર પૂર્ણ થયાના બે વર્ષ સુધી બ્રિટનમાં રહેવા અને જોબ કરવાની મંજૂરી મળે છે.
25 લાખ ભારતીય રોષમાં
સરકારના આ આયોજન પછી વિપક્ષી લેબર પાર્ટીના પ્રમુખ કીથ સ્ટ્રેમરનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય ચૂંટણી વર્ષમાં મોંઘો પડશે. જેના કારણે બ્રિટનમાં રહેતા 25 લાખ ભારતીય મતદારો નારાજ છે. સ્ટુડન્ટ્સને ગ્રેજ્યુએશન વીઝા મળવાથી તેમનો ઈમિગ્રેશન ક્લેઈમ મજબૂત બને છે, કારણ કે બે વર્ષના અભ્યાસ માટે રોકાવાની છૂટ મળવાથી આ વિદ્યાર્થીઓને સ્કીલ્ડ વર્કરની કેટેગરી મળે છે. લગભગ 80 ટકા ભારતીય વિદ્યાર્થીઓ અહીં મેડિસિન, એન્જિનિયરિંગ અથવા કાયદાનો અભ્યાસ કરવા આવે છે. અભ્યાસ પછી, તેઓ તેમના વિસ્તૃત રોકાણ દરમિયાન કુશળ કામદારનો પગાર મેળવે છે. બ્રિટનના ગૃહમંત્રી જેમ્સ ક્લેવરલીનું કહેવું છે કે એવું જોવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ આ વીઝાનો ઉપયોગ ઈમિગ્રેશન મેળવવા માટે કરે છે.
બ્રિટનને આનાથી બે લાખ કરોડ રૂપિયાનો ફટકો પડશે
ત્રણ વર્ષ અગાઉ છ લાખ વિદ્યાર્થીઓને અહીં એન્ટ્રી મળતી હતી. આની પર પૂર્વ શિક્ષણ પ્રધાન નિક્કી મોર્ગને જણાવ્યું કે દર વર્ષે ફીના બે લાખ કરોડ રૂપિયા મળવાના બંધ થઈ જશે. અર્થતંત્ર પર આની અસર પડશે. સેંટ એંડ્રૂઝ યુનિવર્સિટીના ચાંસેલર સેલી મેપસ્ટનનું કહેવું છે કે ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જિનિયરિંગની જોબમાં પોતાનું યોગદાન આપે છે. વર્ષ-2021માં બ્રિટન જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 87045 હતી, જે વર્ષ-2022માં વધીને 139700 થઈ. જ્યારે વર્ષ-2023માં 13 હજાર વિદ્યાર્થીઓ બ્રિટન ભણવા પહોંચ્યા હતા.
ગ્રેજ્યુએટ રૂટ વીઝા શું છે?
ગ્રેજ્યુએટ રૂટ વીઝા હેઠળ બ્રિટનથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજયુએશન પૂર્ણ કરનાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દેશમાં કામ કરવા અને રહેવાની શોધ કરવા અરજી કરી શકે છે. આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી બે વર્ષ સુધી બ્રિટનમાં રહેવા માટે અરજી કરી શકે છે. જ્યારે પીએચડી કરનાર વિદ્યાર્થી ત્રણ વર્ષ સુધી અરજી કરી શકે છે. ગ્રેજ્યુએટ રૂટ વીઝાને જુલાઈ 2021માં તત્કાલીન ગૃહપ્રધાન પ્રીતિ પટેલે લાગુ કર્યું હતું. 1,76000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઈશ્યૂ કરાયેલ ગ્રેજ્યુએટ રૂટ વીઝામાં 42 ટકાના ભારતીય નાગરિક છે. આ વર્ગમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ભારતીય વિદ્યાર્થીઓ પર ઘણો પડશે.


