By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    5 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    7 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    2 weeks ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading:  ગણવેશ પર્યાપ્ત નથી, ગુણવેશ પણ જરૂરી છે: મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

 ગણવેશ પર્યાપ્ત નથી, ગુણવેશ પણ જરૂરી છે: મોરારિબાપુ

Editor
Last updated: 2026/01/23 at 3:34 PM
2 weeks ago
Share
 ગણવેશ પર્યાપ્ત નથી, ગુણવેશ પણ જરૂરી છે: મોરારિબાપુ
SHARE

ગણવેશ પર્યાપ્ત નથી, ગુણવેશ પણ જરૂરી છે: મોરારિબાપુ

હું ત્યાં સુધી જીવીશ જયાં સુધી હું ગાતો રહીશ, તમે સૌ આશિર્વાદ આપજો

નિષ્કામ એ જ હોય છે જે પૂર્ણકામ છે

ગાંધીબાપુ છેવાડાના માણસ સુધી ગયા છે એ પરમ ધર્મ છે

 

ભારત દેશના પાટનાગર દિલ્હીના ભારતમંડપમના વિશાળ સંવાદગૃહમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ સનાતન ધર્મ‘ ગઇકાલે-ગુરૂવાર-છઠ્ઠા દિવસમાં પ્રવેશી હતી. વિશ્વ અહિંસા ભારતી-વિશ્વ શાંતિ કેન્દ્રના જૈનાચાર્ય લોકેશમુનિ ‘સનાતની‘ના વૈશ્વિક વિચારને જન-જન સુધી પહોંચાડવાના શુભ હેતુમાં સમાજ અને રાષ્ટ્રના અનેક મહાનુભાવો આ કથામાં હાજરી આપી રહયાં છે. વિશેષ વાત તો એ છે કે આ કથા સમિતીના અધ્યક્ષ તરીકે ભારતરાષ્ટ્રના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સેવા અને માર્ગદર્શન આપી રહયાં છે. કથા પ્રારંભના ઉપક્રમમાં ગઇકાલે પ્રિયબાપુની યવતમલ (મહારાષ્ટ્ર)માં યોજાયેલી રામકથા (મનોરથી વિજય દરડા પરિવાર)ના ગ્રંથનું વ્યાસપીઠ પરથી પ્રેમાર્પણ થયું હતું. ‘લોકમત‘ અખબારના સુત્રધાર વિજય દરડા દ્વારા ‘રામ રસાયણ-રામાયણ‘ ગ્રંથનું સંપાદન થયું છે. એ ગ્રંથ બાપુના ચરણોમાં અને વ્યાસપીઠના શરણે અર્પણ થયું હતું. આ ક્ષણે કથાના નિમીત માત્ર મનોરથી અને ગ્રંથના સંપાદક વિજય દરડાજીએ પ્રાસંગીક પ્રસન્નતા પ્રગટ કરી હતી અને પ્રિય બાપુને નમ્ર નિવેદન કર્યુ હતું કે-બાપુ આપની એકહજારમી ૧૦૦૦મી કથાની સેવા અમારા દરડા પરિવારને આપશો એવી આપને અરજ કરૂ છું. ત્યારબાદ બાપુની પ્રત્યેક રામકથાઓનું સંકલાન-સંપાદન ‘રામકથા‘ પુસ્તિકા રૂપે પ્રકાશન થઇ રહયું છે. એ પ્રકાશન શ્રેણી અંતર્ગત બાપુ દ્વારા રામવનગમનના સ્થાનો પર યોજાયેલી રામયાત્રા (ટ્રેઇન દ્વારા) રામજી વનવાસ દરમયાન જે જે સ્થાનો પર ગયા તે સ્થાનો પર એક-એક દિવસ રામકથાનું ગાન થયું હતું. એ ‘રામકથા‘ (સં.જતિન વડગામા) પુસ્તીકાનું પ્રેમાર્પણ થયું હતું. ત્યારબાદ બાપુના કૈલાસ ગુરૂકુળ-મહુવાના સુત્રધાર અને મૂકસેવક જયદેવ માંકડ સંપાદીત ‘દ્રષ્ટાંત કી દીપમાલા‘ (પ્રભાત પ્રકાશન-દિલ્હી) ગ્રંથનું પ્રેમાર્પણ પણ બાપુની વ્યાસપીઠ પરથી કરવામાં આવ્યું હતું.

રામકથાના સંયોજક લોકેશમુની ‘સનાતની‘એ બાપુને અરજ કરી હતી કે બાપુ આપની ૧૦૦૮ (એકહજાર આઠમી) રામકથાની સેવા અમને આપશો એવી નમ્ર અરજ છે. કથામા ઉપસ્થિત સ્વામી અભયદાસજીએ લોકેશમુનિના વિશ્વ શાતિ કેન્દ્ર (ગુડગાંવ)ને રૂપીયા એક કરોડની ધનરાશી અર્પણ કરવાની જાહેરાત કરી હતી. બાપુએ પણ ચિત્રકુટધામ-તલગાજરડાની શ્રી હનુમાનજીના પુલસીપત્રરૂપ એકલાખ રૂપીયા (રોકડ) વ્યાસપીઠ પરથફ લોકેશમુનિ ‘સનાતની‘ની ઝોલીમાં અર્પણ કર્યા હતાં. ઉપરાંત રામકથા અને બાપુના સુખી સંપન્ન બે ફલાવર્સ દ્વારા પ૦-પ૦ લાખ વિશ્વ શાંતિ કેનદ્રને અર્પણ કર્યા હતાં.

કથાના પ્રેમ સંવાદને આગળ ધપાવતા પ્રિયબાપુએ કહયું હતુ કે-તુલસીજીના માનસમાં સનાતન પ્રવાહને પરમ ધર્મ ગણ્યો છે. આ પરમધર્મ પ્રવાહિત છે. સનાતન ધર્મના પ્રવાહનું નામ ગંગા છે. સનાતન ધર્મનો પર્વત કૈલાસ છ, સનાતન પરમધર્મનું વૃક્ષ કલ્પવૃક્ષ છે, એની શીતલતા ચન્દ્ર છે, અને એની ઉર્જા ભગવાના ભાસ્કર (સુર્ય) છ, અને સનાતન ધર્મનો ગ્રંથ્ વેદ છે.

સનાતન એ પરમ ધર્મ, પ્રવાહિત પરમ ધર્મ રૂપી ગાયના ચાર આંચળ કયાં છે? નીજધર્મ, સ્વધર્મ,કુલધર્મ અને જાતધર્મ આ ધર્મરૂપી ગાયનું દુધ એ પરમધર્મ છે.

સનાતન પરમ ધર્મ પંચસુત્રીય છે. બાપુએ એ પાંચ સુત્રો પૈકી બે સુત્રો વિશે વિસ્તારપુર્વક સમજ આપી હતી. પરમધર્મનું પ્રથમસુત્ર સત્ય-પરમસત્ય છે. જયારે બીજુ સુત્ર આપણા ઇષ્ટદેવની આજ્ઞાનો સ્વીકાર તે પરત ધર્મ છે. ઇષ્ટનો આદેશ એનો સ્વીકાર બાપુએ સાધુ સંદર્ભે  એક શ્લોકની સમજણ આપણા કહયું હતું કે-‘સર્વ શાસ્ત્ર પરોદક્ષ: સર્વ શાસ્ત્ર સુવાય‘ આ શ્લોકમાં પરમ સાધુના લક્ષણો દર્શાવ્યા છે. સુંદર કુલીનામ્, શુભદર્શન, જીતેન્દ્રીય સત્યવાદી, બ્રાહમણત્વ, શાંત, મન, સગુણ અને સમ્યકજ્ઞાન વગેરે જેવા તત્વો જે બુધ્ધપુરૂષમાં આપણને જોવા મળે તો એ સાધુ છે. સમગ્ર જગતની કોઇપણ સાધના પધ્ધતિ જે વિશ્વ માટે મંગલકારક હોય એ તમામ સાધન પધ્ધતિ, સર્વ શાસ્ત્રોનો સાધુ સ્વીકારક હોય છે. સાધુ માટે માત્ર ગણવેશ પર્યાપ્ત નથી ગુણવેશ પણ જરૂરી છે. આપણી પરંપરામાં ચારમતનો સ્વીકાર થયો છે. આધુમત, લોકમત, રાજનીતિજ્ઞમત અને વેદમત. આ ચારમતમાં પ્રથમ મત સાધુમત છે.

રામકથાના સમાપન સમયે દિલ્હીના મુખ્યમંત્રીશ્રી સુશ્રી રેખા ગુપ્તા ઉપસ્થિત રહયાં હતાં અને પોતાના પ્રાસંગિક પ્રવચનની પ્રસન્નતા પ્રગટ કરતા એમણે ખુબ ભાવપુર્ણ રીતે કહયું કે-હું આજે કથામા આવી ત્યારે મને થયું કે હું બાપુ જેવા સંતને શું આપી શકું? મનમાં વિચારતી હતી કે યમુનાજીના શુધ્ધીકરણ અંગે બાપુને કહીશ અને કેવો યોગ? બાપુએ મારી સામે જોયુ અને એમણે પણ યમુના વિશે જ કહયું!! યમુનાની પવિત્રતા માટે હું બધુ કરી છુટીશ, એ માર્ગમાં ઘણા રાવણ છે પણ યમુનાની પવિત્રતા માટે કાર્ય થશે જ એવો વિશ્વાસ બાપુને આપું છું. મુખ્યમંત્રીશ્રી રેખાજીએ રામકથાની આરતીનો પણ લ્હાવો લીધો હતો.

કથામૃત

(૧) ધર્મ છોડવો પડે છે, કયારેક-કયારેક એવી સ્થિતી થાય ત્યારે ધર્મ છોડવો પણ પરમધર્મ કદી ન છુટે.

(ર) સાધુ એ છે કે જે સત્યવાદી અને સગુણ હોય છે.

(3) ‘દરડા‘ અને ‘તલગાજરડા‘માં અંતર શું છે?

(‘દરડા‘ પરિવાર યવતપાલ)

You Might Also Like

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

 પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ

 સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ

ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કણસાગરા મહિલા કોલેજમાં ઇનોવેટર્સમાં ઇમોશનલ રિઝિલિયન્સ વિષય પર વર્કશોપ
રાજકોટ

કણસાગરા મહિલા કોલેજમાં ઇનોવેટર્સમાં ઇમોશનલ રિઝિલિયન્સ વિષય પર વર્કશોપ

Editor By Editor 5 days ago
 હિરાસર એરપોર્ટ માત્ર નામનું જ આંતરરાષ્ટ્રીય છે, બે વર્ષમાં એક પણ ફલાઇટ શરૂ નથી થઇ
વિંછીયાના નાના માત્રામાં કાર નીચે કચડી યુવકની નિર્મમ હત્યા, 10 વર્ષની દીકરી ગંભીર
ઉત્કર્ષ સ્કૂલમાં મોતને આમંત્રણ આપતી ઘટના
ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ બાદ વિદેશી દારૂની પ્રિમીયમ બ્રાન્ડની બોટલો મળી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?