વૈશ્વિક સ્ટેજ પર ભારતને બદનામ કરવાનો એક પણ મોકો ન ચૂકનાર પાકિસ્તાન ફરી એકવાર વિશ્વ સ્તરે ઉઘાડુ પડી ગયુ છે. વોશિંગ્ટનમાં પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીની નેતૃત્વમાં પાકિસ્તાની ડેલિગેશન સાથે અમેરિકી સાંસદ બ્રૈજ શેરમેનએ મુલાકાત કરી હતી. તે દરમિયાન અમેરિકી સાંસદે બિલાવલના ડેલિગેશનને ખરી ખોટી સંભળાવી દીધી.
આતંકીઓ સામે એક્શન લેવા જોઇએ- અમેરિકી સાંસદ
અમેરિકી સાંસદે કડક શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાને જૈશએ મોહમ્મદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઇએ. તે આતંકી સંગઠનને ઘાતકી જણાવીને કહ્યું કે 2002માં વોલ સ્ટ્રીલ જર્નલના પત્રકાર ડેનિયલ પર્લની હત્યા સહિત અનેક જઘન્ય અપરાધો માટે તે જવાબદાર છે.
જૈશ એ મહોમ્મદ સામે એક્શન લે પાકિસ્તાન- અમેરિકી સાંસદ
આ સાથે જ તેમણે જણાવ્યું કે પાકિસ્તાને આવા આતંકી સંગઠનોને સંપૂર્ણ રીતે નાશ કરવા માટે દરેક સંભવિત પ્રયાસ કરવા જોઇએ. અને આતંકવાદ સામે મજબૂતીથી લડવુ જોઇએ. ઉલ્લેખનીય છે કે વૉશિંગ્ટનમાં કોંગ્રેસ સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં એક ભારતીય પ્રતિનિધિ મંડળ પણ ત્યાં જ છે. જેઓ પહલગામ આતંકી હુમલાને લઇને લઇને અમેરિકી અધિકારીઓને જાણકારી આપી રહ્યા છે. આ આતંકી હુમલા માટે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા છે. સીમા પર આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ હોવાનું જણાવી રહ્યા છે.
અમેરિકી સાંસદે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ લખ્યું કે મે પાકિસ્તાની પ્રતિનિધિમંડળને આતંકવાગ વિરુદ્ધ લડવાની શું જરૂર છે તે જણાવ્યું ખાસ કરીને જૈશ એ મહોમ્મદ સામે. મારા મત વિસ્તારના એક નિવાસી ડેનિયલ પર્લની હત્યા 2002 કરી હતી.તેનો પરિવાર કેલિફોર્નિયામાં રહે છે. પર્લની હત્યા અને અપહરણ માટે આતંકવાદી ઓમર સઇદ શેખને દોષી ઠેરવાયો હતો.
અલ્પસંખ્યકોને લઇને વ્યક્ત કરી ચિંતા
અમેરિકી સાંસદે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેઓને ડર વિના પોતાની આસ્થાનું પાલન કરવા અને લોકતાંત્રિક વ્યવસ્થામાં ભાગ લેવાની સ્વતંત્રતા મળવી જોઇએ. આ સાથે જ સાંસદે ડૉ. શકીલ આફરીદીને જેલમુક્ત કરવાની માગ કરી. કે જેની પર કથિત રીતે સીઆઇએની મદદથી ઓસામા બિન લાદેનને શોધવા માટે નકલી પોલિયો વેક્સિનેશન અભિયાન ચલાવ્યુ હતું, તેની 2011માં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 33 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. અમેરિકી સાંસદે કહ્યું કે તેને જેલમુક્ત કરવાથી 9/11ના પીડિતોને ન્યાય અને ક્લોઝરની દિશામાં મોટુ પગલુ ગણાશે.