અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં આવી ગયા છે, તેમને ઘણા કઠિન નિર્ણયો લીધા છે. એક તરફ, તેમને મેક્સીકન સરહદ પર કટોકટી જાહેર કરી છે, તો બીજી તરફ, તેમને હવે ભારતના પડોશી દેશ બાંગ્લાદેશને આપવામાં આવતી સહાય બંધ કરી દીધી છે. પરંતુ ટ્રમ્પના નિર્ણયોની અસર હવે ભારત પર પણ થવા લાગી છે. ત્યાં પણ અનેક પ્રકારના પડકારો ઉભા થયા છે.
ટ્રમ્પનો નવો આદેશ શું છે?
એક કપલ તેમના બાળકોને મળવા માટે B1/B2 વિઝિટર વિઝા પર અમેરિકા આવ્યું હતું, પરંતુ તેમને એરપોર્ટ પરથી જ પાછા મોકલી દેવામાં આવ્યા હતા. અમેરિકન અધિકારીઓએ દલીલ કરી હતી કે 2025 માટેના અમેરિકાના ઈમિગ્રેશન નિયમોમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જો કોઈ મુલાકાતી વિઝા પર તેમના દેશમાં આવે છે, તો તેને એરપોર્ટ પર રિટર્ન ટિકિટ પણ બતાવવી પડશે અને એવું માનવામાં આવે છે કે આ કપલે રિટર્ન ટિકિટ બતાવી હતી. તેમને ટિકિટ બુક કરાવી ન હતી અને આ કારણોસર, તેને કડકાઈથી ભારત પાછા મોકલી દેવામાં આવ્યા.
ટ્રમ્પના નવા આદેશ પર ભારત સરકારે શું કહ્યું?
સમજવા જેવી વાત એ છે કે અમેરિકામાં આટલો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ ભારતીયોમાં હજુ પણ જાગૃતિનો અભાવ છે. રિટર્ન ટિકિટ અંગેના નિર્ણયની માહિતી દરેક સુધી પહોંચી નથી અને તેથી જ મૂંઝવણ જોવા મળી રહી છે. ભારત સરકારે પણ સમજી લીધું છે કે અમેરિકામાં ઈમિગ્રેશન નિયમો સતત બદલાતા રહેશે, તેથી જ સરકારે મુસાફરોને સલાહ આપી છે કે તેઓ નવા ઈમિગ્રેશન નિયમો વિશેની બધી માહિતી સરકારી વેબસાઈટ પરથી મેળવતા રહે. આ સિવાય ટ્રાવેલ એજન્ટના સતત સંપર્કમાં રહો.
ટ્રમ્પે લીધા અનેક મોટા નિર્ણયો
પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ અહીં જ અટક્યા નહીં, થોડા દિવસ પહેલા તેમને એક મોટી જાહેરાત કરી હતી કે જન્મથી મેળવેલી નાગરિકતા નાબૂદ કરવામાં આવશે. આ નિર્ણયથી ભારતીયોની ચિંતા ઘણી વધી ગઈ છે. આ સિવાય ટ્રમ્પે HI B વિઝા વિશે એમ પણ કહ્યું છે કે અમેરિકામાં ફક્ત કુશળ લોકોને જ તક આપવી જોઈએ, આ કારણે એવું પણ માનવામાં આવે છે કે આગામી સમયમાં ભારતીયોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


