અકસ્માતમાં બસે ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં એક પરિવારના છ સભ્યોના મોત થયા હતા.
એક પરિવારના છ સભ્યોના મોત
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં દિલ્હી-લખનૌ હાઇવે પર અકસ્માતમાં એક પરિવારના છ સભ્યોના મોત થયા છે. મેરઠ ડેપોની બસે રિક્ષાને ટક્કર મારી હતી. જેના કારણે લગ્નની ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો હતો. કાટઘર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ઓટોને ચકનાચૂર કરી હતી. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. એક ઘાયલ યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ચાર અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યુ છે.
અકસ્માતની સંખ્યામાં વધારો
મુરાદાબાદ-લખનૌ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયેલો અકસ્માત દુ:ખદ અને આઘાતજનક છે. કુંદરકી વિસ્તારના અબ્દુલ્લાપુર ગામનો રહેવાસી સંજુ, તેની ઓટો-રિક્ષામાં પરિવારના 11 અન્ય સભ્યો લગ્ન વિધિમાં હાજરી આપવા માટે કટઘરના રફતપુરા ગામમાં ધર્મવીરના ઘરે જઈ રહ્યા હતા. ઓટો-રિક્ષામાં સવાર લોકોમાં સંજુ, કરણ સિંહની પત્ની સીમા, મુરારીની પુત્રી આરતી, ઓમવીરનો પુત્ર અભય, હરદીપની પત્ની સુમન અને કરણ સિંહની પુત્રી અનન્યાનો સમાવેશ થાય છે.
હાઇવે પર બસે ટક્કર મારી
જેમ જેમ તેમની ઓટો-રિક્ષા દિલ્હી-લખનૌ હાઇવે પર કાટઘર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચી, તેમ તેમ પાછળથી આવતી મેરઠ ડેપોની એક અનિયંત્રિત રોડવેઝ બસે તેને ટક્કર મારી. સંજુ, સીમા, આરતી, અભય અને સુમનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે ગંભીર રીતે ઘાયલ છ લોકોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અનન્યાએ પણ સારવાર દરમિયાન દમ તોડી દીધો. આ અકસ્માતમાં એક જ પરિવારના છ સભ્યોના મોત થયા છે, જેના કારણે સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
આ પણ વાંચોઃ World News: રાષ્ટ્રપતિ Donald Trumpના સપનાના ઘરની કરાશે હરાજી, શું છે કારણ?, જાણો


