- એકજ વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી
- વડિયા મંદિર પાસે નાળાનું બાઉન્ડિંગ ધસડી પડયું
- પરંતુ એક વર્ષ પહેલા થયેલા કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે
ઝઘડિયા પંથકમાં ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફેડી બની ઝઘડિયા તાલુકામાં અશા માલસર બ્રિજ બનવાથી વડોદરા, ડભોઇ તરફ્ જતા વાહન ચાલકો ને મોટી રાહત થઇ છે.
પરંતુ એક વર્ષ પહેલા થયેલા કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે આ માર્ગ અત્યંત બિસ્માર બનતા ઠેર ઠેર ખાડા પડી જતાં વાહન ચાલકોને અગવડ પડી રહે છે .આ માર્ગ ઉપર ઓવર લોડ વાહનો ને લઈ માર્ગ બિસ્માર બન્યા ના આક્ષેપ લોકો એ કર્યા હતા. અને આજ માર્ગ પર આવેલ તાલુકાના વડીયા મંદિર પાસે નાળા ની બાજુમાં રસ્તો રોડની ખરાબ કામગીરી ના પગલે ઢસડી પડયો છે .જેના પગલે મોટો ખાડો પડી ગયેલ છે જેને લઇ કોઈ વાહન ચાલક આ ખાડા મા ખાબકે તો મોટો અકસ્માત થઈ શકે છે .માર્ગ અને મકાન વિભાગ દ્વારા બેદરકારી છોડી આ માર્ગ પર પડેલ ખાડા તેમજ વડીયા મંદિર પાસે નાળાનું બાઉન્ડીંગ ધસડી પડયું છે તેનું સમારકામ કરવામાં આવશે? કે પછી કોઈ મોટા અકસ્માત થવાની વાટ જોવામાં આવશે તેવી ચર્ચા લોકોમાં ચર્ચાઈ રહી છે!


