- GEB કચેરી ખાતે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી
- છેલ્લા પાંચ દિવસથી વીજ કનેક્શન અપાતા નથી – સ્થિાનિક
- પાંચ દિવસ બાદ પણ એનઓસીના નામે વીજ પુરવઠો બંધ
વડોદરામાં જાંબુબેટ ખાતેના શ્રી રામ વે પ્લાઝામાં આગ લાગવાના પાંચ દિવસ બાદ પણ એનઓસીના નામે વીજ પુરવઠો બંધ છે. જેમાં સ્થાનિક રહીશો અને વેપારીઓએ GEBનો વિરોધ કરી હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા છે. રહીશો અને વેપારીઓએ જો વીજ પુરવઠો પૂર્વવત નહિ કરી આપવામાં આવે તો આગામી સમયમાં GEB કચેરી ખાતે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
છેલ્લા પાંચ દિવસથી વીજ કનેક્શન અપાતા નથી – સ્થિાનિક
શહેરના દાંડિયા બજારના જાંબુબેટ ખાતેના શ્રી રામ વે પ્લાઝામાં આગ લાગવાના પાંચ દિવસ બાદ પણ એનઓસીના નામે વીજ પુરવઠો પૂર્વવત ન કરાતા સ્થાનિક રહીશોના દુકાનદારોને હાલાકી પડી રહી છે. ત્યારે વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જાંબુબેટ ખાતે શ્રી રામ વે પ્લાઝામાં ગત શુક્રવારના રોજ આગ લાગી હતી. રાત્રિના સમયે મીટરોમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ પછી હવે જીઇબી દ્વારા ફાયર એનઓસી લાવવાનું કારણ રજૂ કરી છેલ્લા પાંચ દિવસથી વીજ કનેક્શન અપાતા નથી.
GEB કચેરી ખાતે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી
એક તરફ ગરમીનો પારો 45 ડીગ્રીએ પહોચ્યો છે. જેને લઇને નાગરિકો ત્રસ્ત બન્યા છે. તો બીજી તરફ GEB દ્વારા વીજ પુરવઠો પૂર્વવત નહિ કરાતા સ્થાનિક રહીશો અને વેપારીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. સ્થાનિક રહીશો અને વેપારીઓએ આજે GEBનો વિરોધ કરી હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક રહીશો અને વેપારીઓએ જો વીજ પુરવઠો પૂર્વવત નહિ કરી આપવામાં આવે તો આગામી સમયમાં GEB કચેરી ખાતે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.


