બ્રિટિશ વકીલોએ ટ્રાયલને અન્યાયી ગણાવી કહ્યુ હતુ કે, સિદ્દીકીને કાનૂની સહાય અને ન્યાયી ટ્રાયલ વિશે માહિતી મેળવવાનો અધિકાર નકારાયો હતો.
ટ્રાયલમાં છેતરપિંડી અને બનાવટીઃ વકીલ
યુકે લેબર પાર્ટીના સાંસદ અને ભૂતપૂર્વ શહેર મંત્રી ટ્યૂલિપ સિદ્દીકી વિરુદ્ધ બાંગ્લાદેશમાં ચાલી રહેલા ટ્રાયલ વિવાદમાં ફસાયેલા છે. તેમની ગેરહાજરીમાં ચુકાદો અને સજા જાહેર કરવામાં આવશે. સિદ્દીકીને આજીવન કેદની સજાની માંગ કરવામાં આવી છે. સિદ્દીકી બાંગ્લાદેશના ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાની ભત્રીજી છે. ચુકાદા પહેલા, બાંગ્લાદેશ પર બ્રિટનનું દબાણ વધી રહ્યું છે. ઘણા બ્રિટિશ વકીલોએ જણાવ્યું છે કે, ટ્રાયલમાં છેતરપિંડી અને બનાવટી છે.
રાજકીય ઉથલપાથલ
બ્રિટિશ વકીલોએ બાંગ્લાદેશમાં યુકેના હાઈ કમિશનર આબિદા ઇસ્લામને લખેલા પત્રમાં પોતાની ચિંતા વ્યક્ત કરી છે. ટ્યૂલિપે જાન્યુઆરીમાં બ્રિટિશ સરકારના નાણામંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ગયા વર્ષે વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો પર તેમના કડક કાર્યવાહીના સંદર્ભમાં શેખ હસીનાને તાજેતરમાં માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આને બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલના ભાગ રૂપે જોવામાં આવી રહ્યું છે.
ટ્યૂલિપ સિદ્દીકીને નથી કરાઇ આરોપોની જાણઃ વકીલ
પત્ર લખનારા બ્રિટિશ વકીલોમાં રોબર્ટ બકલેન્ડ કેસી, ડોમિનિક ગ્રીવ, ચેરી બ્લેર કેસી, ફિલિપ સેન્ડ્સ કેસી અને જ્યોફ્રી રોબર્ટસન કેસીનો સમાવેશ થાય છે. તેઓ કહે છે કે સિદ્દીકીને તેમની સામેના આરોપોની જાણ પણ કરવામાં આવી ન હતી. તેમને વકીલ રાખવાનો અધિકાર નકારવામાં આવ્યો હતો. તેમણે જે વકીલને રાખ્યો હતો તેને નજરકેદ કરવામાં આવ્યો હતો, અને તેમની પુત્રીને ધમકી આપવામાં આવી હતી, જેના કારણે તેણીને કેસમાંથી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી.


