રાજસ્થાન પોલીસ ટૂંક સમયમાં તેમને પૂછપરછ માટે ઉદયપુર લઈ જશે. વિક્રમ ભટ્ટ પર ફિલ્મોના નામે ઉદયપુરના ડોક્ટર સાથે ₹30 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે.
₹200 કરોડના વળતરનું અપાયુ હતુ લાલચ
લગભગ 20 દિવસ પહેલા, ઉદયપુરમાં ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના સ્થાપક ડૉ. અજય મુરડિયાએ વિક્રમ ભટ્ટ, તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટ અને અન્ય છ આરોપીઓ વિરુદ્ધ ₹30 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. ભૂપાલપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, આરોપીઓએ ડૉ. મુરડિયાને ફિલ્મોમાં રોકાણ કરવા પર ₹200 કરોડના નોંધપાત્ર વળતરનું વચન આપીને લલચાવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે ડૉ. અજય મુરડિયાએ તેમની સ્વર્ગસ્થ પત્નીની યાદમાં એક ફિલ્મ પ્રોજેક્ટ માટે વિક્રમ ભટ્ટની કંપની સાથે સોદો કર્યો હતો.
આઠ આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ
તબીબે વધુમાં જણાવ્યુ હતુ કે, ચાર ફિલ્મો માટે કરાર કરવામાં આવ્યો હતો. પરંતુ ફક્ત બે જ થઈ હતી, અને ડૉક્ટરને ફિલ્મોના અધિકારો આપવામાં આવ્યા ન હતા. કેટલાક અહેવાલો અનુસાર, નકલી અને વધુ પડતા મૂલ્યવાળા બિલ બનાવીને ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. મામલાનું ગંભીરતા જોતાં, ઉદયપુર પોલીસે સાત દિવસ પહેલા વિક્રમ ભટ્ટ, તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટ અને તમામ આઠ આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી હતી.
પોલીસે ટ્રાન્ઝિટ રિમાન્ડ કેમ માંગી ?
વિક્રમ ભટ્ટની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કેસ રાજસ્થાનમાં નોંધાયેલ હતો. જ્યારે કોઈ આરોપી ગુના સ્થળની બહાર બીજા રાજ્ય કે શહેરમાં ધરપકડ કરવામાં આવે છે, ત્યારે તેને કાયદેસર રીતે પાછો લાવવા માટે સ્થાનિક કોર્ટ પાસેથી ટ્રાન્ઝિટ રિમાન્ડની પરવાનગી મેળવવી આવશ્યક છે. પોલીસને આશા છે કે તેને ઉદયપુર લઈ જવાથી અને તેની પૂછપરછ કરવાથી આ સમગ્ર ₹30 કરોડના છેતરપિંડીના માસ્ટરમાઇન્ડ અને વ્યવહારો સંબંધિત અન્ય મહત્વપૂર્ણ વિગતોનો ખુલાસો થઈ શકે છે.
આ પણ વાંચોઃ India US Trade Deal: વેપાર સોદાના અંતિમ સ્વરૂપ અને ટેરિફ મામલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યુ?, જાણો


