બેંગ્લુરુમાં 4 જૂનના રોજ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભાગદોડ થઇ હતી. જે મામલે હવે વિરાટ કોહલી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિરાટ કોહલી સામે પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહીની માંગ કરાઇ છે. આ ફરિયાદ બેંગ્લુરુના કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. બેંગ્લુરુમાં રોયલ ચેલેંજર્સ બેંગ્લુરુની વિક્ટ્રી પરેડ દરમિયાન એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભાગદોડ થઇ હતી. જેમાં 11 લોકોના મૃત્યુ થયા હતા.
બેંગ્લુરુ ઘટનામાં કાર્યવાહીની માંગ
RCBના જીતના જશ્ન દરમિયાન ફેન્સે ભાગદોડ કરી હતી. જેમાં 11 લોકોના મૃત્યુ થયા હતા. હવે આ દુર્ધટના મામલે વિરાટ કોહલી સામે ફરિયાદ દાખલ કરી તપાસની માગ કરાઇ છે. આ ફરિયાદ બેંગ્લુરુના કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. કર્ણાટક સરકારે આ દુર્ઘટના માટે RCBનું મેનેજમેન્ટ, કર્ણાટક ક્રિકેટ સંઘ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની DNAને જવાબદાર ઠેરવ્યા છે. જે બાદ બેંગ્લુરુના કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. અને 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. પરંતુ હવે એચ.એમ.વ્યંકટેશ નામના વ્યક્તિએ વિરાટ કોહલી સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. અને કાર્યવાહી કરવા માગ કરી છે.
જીતનો જશ્ન માતમમાં ફેરવાયો
3 જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આઇપીએલ 2025ની ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં બેંગ્લુરુ અને પંજાબ વચ્ચે ટક્કર થઇ હતી. આ મેચમાં 18 વર્ષ બાદ RCBએ ટ્રોફી જીતી હતી. બસ આ જીતની ઉજવણી માટે બેંગ્લુરુમાં ટીમની વિક્ટ્રી પરેડ યોજાઇ હતી. અને એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ખેલાડીઓનો સત્કાર સમારંભ યોજાયો હતો. આ જશ્નમાં ભાગીદાર બનવા માટે RCBના ફેન્સ રસ્તાઓ પર નિકળી આવ્યા હતા. અને પોતાના ફેવરેટ ખેલાડીઓને જોવા એકત્ર થયા હતા. પરંતુ આ ઉજવણી દરમિયાન ભાગદોડ થતા 11 લોકોના મોત થયા હતા.