ગુજરાતના અનેક રેલ્વે સ્ટેશનોના અમૃત ભારત સ્કીમ હેઠળ રેલ્વે સ્ટેશનને અનેક સુવિધાથી સજ્જ કરવા પુનઃવિકાસના કામોની મંજૂરી આપવામાં આવી છે તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ બધા કામોનું એકસાથે વર્ચ્યુલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેમાં મોરબી જીલ્લાના મોરબી સહીત ત્રણ રેલ્વે સ્ટેશનોનું પુનઃનિર્માણના કામોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ ઉદ્ઘાટન પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા જણાવાયું હતું કે આજરોજ મોરબી જીલ્લાના મોરબી સહિતના ત્રણ રેલ્વે સ્ટેશનનું પુનઃવિકાસના કામોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીનુ રેલ્વે સ્ટેશન જે મોરબી સ્ટેટ દ્વારા બનાવેલું હતું તે સ્ટેશનને અતિઆધુનિક સુવિધાજનક બનાવવા આશરે 9 કરોડના ખર્ચે વિકાસના કામ થઇ રહ્યા છે ત્યારે 60 ટકા જેટલું કામ પૂર્ણ થઇ ગયું છે બાકીનું 40 ટકા કામ ચાલુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રેલ્વેના 4100 કરોડના કામોમાં જેમાં રેલ્વે સ્ટેશનોના પુનઃ વિકાસ, નવનિર્માણ, સ્ટેશન બિલ્ડીંગમાં પાર્કિંગ, વેઇટિંગ રૂમ, અન્ડરબ્રીઝ, અંડરપાસ વિગેરે જેવા કામોનું વર્ચુયલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેમાં મોરબી જીલ્લામાં મોરબી, હળવદ તથા વાંકાનેર રેલ્વે સ્ટેશનોનું પુનઃવિકાસના કામો ચાલુ છે. વધુમાં કાંતિભાઈ દ્વારા જણાવ્યું હતું કે મોરબી રેલ્વે સ્ટેશનમાં કેન્દ્ર દ્વારા વધુ ટ્રેનો મળી રહે તે માટેના પ્રયત્નો ચાલુ છે ત્યારે સપ્તાહમાં એકવાર કે બેવાર મોરબીથી મુમે સીધી ટ્રેન મળે તે માટે પણ દસ્તાવેજી તથા લેખિત રજૂઆતો ચાલુ છે.
રાજકોટ ડિવિઝનના ગતિશક્તિ પ્રોજેક્ટ ચીફ સુધીર દુબે દ્વારા જણાવ્યું કે અમૃત ભારત સ્કીમ 2022 દ્વારા રેલ્વે સ્ટેશનોને અતિઆધુનિક બનાવવા સ્ટેશનોના પુનઃનિર્માંણની સરકાર દ્વારા યોજના અમલમાં મુકવામાં આવી છે તે મુજબ રેલ્વે સ્ટેશનોની સર્ક્યુલેટિંગ એરિયા મોટા બનાવવા તેમજ પેસેન્જરો માટે વેઇટિંગ રૂમ, સરફેસિંગ, કવર શેડ, કોન્ફોર્સ હોલ વગેરે બનાવવા આ અમૃત ભારત સ્કીમ હેઠળ પુનઃનિર્માંણ કામો ચાલુ છે. જે અંતર્ગત મોરબી રેલ્વે સ્ટેશનમાં જે આવબા જવા માટે અલગ અલગ જે મેઈન ગેટ હતા તે નાના હતા જ હવે એકદમ પહોળા કરવામાં આવ્યા છે તથા સ્ટેશનની આગળ જે ગાર્ડન હતું તે મોટું કરવામાં આવ્યું છે તથા પેસેન્જરો માટે વેઇટિંગ રૂમ તથા સરફેસ તેમજ કવરશેડ વધારી દેવામાં આવ્યો છે. તદુપરાંત મોરબી રેલ્વે સ્ટેશન જ મોરબી સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યા છે ત્યારે તેના પુનઃ વિકાસના કામમાં તેની બિલ્ડીંગ સ્ટ્રક્ચરમાં કોઈ સુધારો વધારો કરવામાં આવ્યો નથી તેને તે રીતે જ હેરિટેજ સ્થળ જેવા દેખાવે છે તેવી રીતે જ રાખવાનો પ્રયત્ન કરી રિડેવલોપીંગ કરવામાં આવ્યું છે.