- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય
- વિષ્ણુદેવે કોંગ્રેસના યૂડી મિંજને હરાવ્યા હતા
- કુંકરી વિધાનસભાના છે ધારાસભ્ય
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ જોરદાર જીત નોંધાવી છે. આજે છત્તીસગઢ સીએમના નામની પણ જાહેરાત થઇ ગઇ છે. પાર્ટીએ રાજ્યની કમાન વિષ્ણુ દેવ સાંઈને સોંપી છે. સાય કુંકુરી વિધાનસભા સીટના ધારાસભ્ય છે. તેઓ આ વિધાનસભા ચૂંટણીમાં તેમણે તેમના નજીકના હરીફ કોંગ્રેસના યુડી મિંજને 25541 મતોના માર્જિનથી હરાવીને 87604 મતથી જીત્યા હતા.
પ્રદેશ અધ્યક્ષની કમાન સંભાળી ચૂક્યા છે
કુંકુરીથી આવેલા વિષ્ણુદેવ સાંય આદિવાસી સમુદાયમાંથી આવે છે. ભાજપે વર્ષ 2020માં તેમને પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપી હતી. છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બનનાર વિષ્ણુદેવ સાંય ચાર વખત સાંસદ, બે વખત ધારાસભ્ય, બે વખત કેન્દ્રીય રાજ્ય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમને સંસ્થામાં કામ કરવાનો નોંધપાત્ર અનુભવ છે. સાંઈની ગણતરી સંઘના નજીકના નેતાઓમાં પણ થાય છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહના પણ ખૂબ નજીકના માનવામાં આવે છે. 2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ તેમને કેન્દ્રીય મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. તેઓ અજીત જોગી પછી આદિવાસી સમુદાયમાંથી આવનારા બીજા મુખ્યમંત્રી બન્યા છે.
સાય પૂર્વ સીએમ બઘેલ કરતા 3 વર્ષ નાના
વિષ્ણુદેવ સાયનો જન્મ 21 ફેબ્રુઆરી 1964ના રોજ જશપુરના બગિયા ગામમાં થયો હતો. તેમનો જન્મ રામપ્રસાદ સાય અને જસ્મિની દેવીના ઘરે થયો હતો. તેઓ પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ કરતા 3 વર્ષ નાના છે. ખેડૂત પરિવારમાંથી આવતા, વિષ્ણુદેવે લાંબી રાજકીય યાત્રા કરીને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું. રાજ્ય અને દેશના રાજકારણમાં સક્રિય રહ્યા.
ખેડૂત પરિવારમાં થયો છે જન્મ
વિષ્ણુ દેવ સાંયનો જન્મ 21 ફેબ્રુઆરી 1964ના રોજ જશપુર જિલ્લાના બગિયા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. વિષ્ણુદેવ સાયનું પ્રાથમિક શિક્ષણ કુંકુરીમાં જ થયું હતું. આ પછી, તેમણે ત્યાંથી 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો, પરંતુ પછી તેમણે શાળા છોડી દીધી. પિતાને ખેતીમાં મદદ કરનાર સાયે 25 વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમના પરિવારના અન્ય લોકો શરૂઆતથી જ જનસંઘ સાથે જોડાયેલા હતા.
બે વખત પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે
વિષ્ણુ દેવ સાંયને વર્ષ 2006માં છત્તીસગઢના ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2011 માં પણ તેમને ફરીથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 8 જુલાઈ 2023 ના રોજ, તેમને ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા. રાજ્યના મોટા આદિવાસી ચહેરાઓમાં તેમની ગણના થાય છે. તેઓ આદિવાસી સમુદાયમાં પણ સારો પ્રભાવ ધરાવે છે.
સરપંચ તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત
છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંયએ 1990માં તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. ત્યારબાદ તેઓ 1998 સુધી ધારાસભ્ય રહ્યા હતા. 1999 માં તેઓ તેમની પ્રથમ લોકસભા ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. વર્ષ 2004માં વિષ્ણુદેવ સાંય ફરી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ 2009 અને 2014માં લોકસભા ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા હતા. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં તેમને સ્ટીલ અને ખાણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ કોંગ્રેસ સરકારમાં વિવિધ સમિતિઓના સભ્ય પણ રહી ચૂક્યા છે. મહત્વનું છે કે વિષ્ણુદેવ સાંયે રાજકારણમાં તેમની કારકિર્દી સરપંચ તરીકે શરૂ કરી હતી.
સંપત્તિના મામલામાં સાય ભૂપેશથી પાછળ
વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચને આપેલી એફિડેવિટ મુજબ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની સંપત્તિ 6.5 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિષ્ણુદેવ સાયની સંપત્તિ 2.98 કરોડ રૂપિયા છે. આમાં તેમની ખેતી, જમીન અને મકાનો પણ સામેલ છે.


