આજ રોજ રાજકોટ રેંજના વડા પોલીસ મહાન નિરીક્ષક અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબ ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ડિવિજન ના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ સારડા તથા વાંકાનેર સીટી ના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.ઘેલા તથા વાંકાનેર તાલુકાના ઇન્ચાર્જ પી.એસ.આઇ એમ.જે.ધાંધલ દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જાતિના આગેવાનો અને સભ્યો સભ્યોને આમંત્રીને સંમેલનનું આયોજન કરતા અત્રેના પ્રાંગણમાં આગેવાનો પૈકી જી.કે.વરીયા રસિક વોરા,પ્રેમજી જેપાર અરવિંદ આંબલીયા,ગોવિંદ મકવાણા, હેમુ ચાવડા,મનુ સારેશા ,સોલંકી મોહન વિનોદભાઈ ચાવડા, પ્રેમજી પરમાર વિગેરે તથા વાકાનેર તાલુકાના આગેવાનો સાથે સંમેલનમાં કાયદો વ્યવસ્થા અંગે ચર્ચાઓ થઈ હાલે કાયદો વ્યવસ્થાના કોઈ પ્રશ્ન જણાય આવેલ નથી નશા મુક્તિ અને કેરિયર કાઉન્સિલિંગમાં કાર્યક્રમ કરવા અને તે અંગે નક્કર પગલા લેવાની રજૂઆત કરી દરેક સભ્યોની રજૂઆત અને આવકાર સાંભળીને અન્ય ખાતાના પ્રશ્નો પૈકી અનુ જાતિ વિસ્તાર જેવા કે આંબેડકર નગર ૩,૪,૫ તથા અન્ય વિસ્તારોમાં રોડ રસ્તાની હાલત સુધારવા ની જરૂરત જણાયેલ જો રસ્તાની હાલત સુધરશે તો નાના-મોટા એકસીડન્ટથી મુક્તિ મળશે મોબાઈલ ના ઉપયોગ અને યુવાનોમાં સાયબર ક્રાઇમ ની જાગૃતિ ,કેરિયર કાઉન્સિલિંગ અને વ્યવસાયલક્ષી તાલીમ તેમજ શૈક્ષણિક તાલીમ પુરી પાડવાનો કાર્યક્રમ કરવાની તૈયારી બતાવી સંમેલન પૂર્ણ જાહેર કર્યું