- ઈશાન કિશન છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે
- ઈશાને બરોડામાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા સાથે પ્રેક્ટિસ શરૂ કરી
- ટીમમાં જીતેશ શર્માની પસંદગીથી નાખુશ હતો ઇશાન કિશન
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસની મધ્યમાં ઇશાન કિશને માનસિક થાકને કારણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ પછી, તેને અફઘાનિસ્તાન સિરીઝ અને ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ માટે પણ પસંદ કરવામાં આવ્યો ન હતો. પ્રથમ બે મેચ રમાઈ ચૂકી છે અને હવે છેલ્લી ત્રણ મેચોમાં પણ તેના પુનરાગમનની આશા ઓછી છે. હાલમાં ઈશાને બરોડામાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા સાથે પ્રેક્ટિસ શરૂ કરી છે. દરમિયાન, તેમના સંબંધમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ અંગે અપડેટ પ્રાપ્ત થયું છે. માહિતી મળી છે કે ટીમમાં જીતેશની પસંદગીથી કિશન નારાજ હતો.
જીતેશ શર્માની પસંદગીથી નારાજ હતો ઈશાન કિશન?
તમને જણાવી દઈએ કે ઓડીઆઈ વર્લ્ડકપ 2023 ટીમનો હિસ્સો રહેલા ઈશાન કિશનને તરત જ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પાંચ મેચની ટી-20 સીરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. છેલ્લા દોઢ વર્ષમાં કિશનની હાલત એવી હતી કે તે ટીમમાં હોવા છતાં પ્લેઇંગ 11માં તેનું સ્થાન નિશ્ચિત નહોતું. ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાં પણ આ જ વાત જોવા મળી હતી. શરૂઆતમાં ઈશાન સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપવાળી ટીમમાં રમ્યો હતો પરંતુ ત્યારબાદ અચાનક જિતેશ શર્માને તેની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો હતો.
કિશને ટેસ્ટમાંથી નામ પાછુ લીધુ
દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. ત્યારબાદ ટેસ્ટ સિરીઝ પહેલા જ ઈશાન કિશને અચાનક પોતાનું નામ પાછું લઈને બધાને ચોંકાવી દીધા હતા. હવે માહિતી મળી રહી છે કે ટીમમાં જીતેશ શર્માની પસંદગીથી ઈશાન ખુશ નહોતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ જ કારણ હતું કે તે માનસિક રીતે થાકી ગયો હતો અને તેણે આ નિર્ણય લીધો હતો. જો કે આ અત્યાર સુધીના અહેવાલો છે, પરંતુ આ અંગે કોઈ અપડેટ પ્રાપ્ત થયું નથી.
શું આ કારણે ટીમની બહાર છે ઈશાન કિશન?
હવે જ્યારે મીડિયા રિપોર્ટ્સમાં આ માહિતી સામે આવી છે, ત્યારે અટકળો શરૂ થઈ ગઈ છે કે ઈશાન કિશનને કદાચ આ કારણોસર ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવી રહ્યો નથી. ટીમ મેનેજમેન્ટ અને બોર્ડ આ બાબતથી વાકેફ હશે. કદાચ તેના આગમનથી ડ્રેસિંગ રૂમ અથવા ટીમની અંદરનું વાતાવરણ બગડી શકે છે, તેથી જ તેને ટીમની બહાર રાખવામાં આવી રહ્યો છે. એવા અહેવાલ હતા કે તેને રણજી પણ રમવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ તેણે રણજી ટ્રોફી પણ રમી ન હતી.
એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે ટીમમાંથી નામ પાછું ખેંચ્યા બાદ કિશને કેટલીક ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો અને બોર્ડ પણ તેનાથી નારાજ હતું. તેના સંદર્ભમાં, ગયા મહિને મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ટીમ મેનેજમેન્ટ અથવા ઇશાન કિશન સાથે બોર્ડની નારાજગીના અહેવાલોને ફગાવી દીધા હતા.


