- બીજેપી બૂથ સમિતિ સંમેલનમાં અમિત શાહનું સંબોધન
- મધ્યપ્રદેશના ખજૂરાહોમાં કર્યુ સંબોધન
- અમે 10 વર્ષમાં આપેલા તમામ વચનો પુરા કર્યા- અમિતશાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આજે મધ્યપ્રદેશના પ્રવાસે છે. તેઓએ અહીં બીજેપી બૂથ સમિતિ સંમેલનને સંબોધન કર્યુ હતું. તેઓએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવા અને રામમંદિરને લઇને વિવિધ મુદ્દાને લઇને વાત કરી હતી.
અમે વચનો પૂર્ણ કર્યા- અમિતશાહ
અમિતશાહના સંબોધનની મુખ્ય વાતો વિશે વાત કરીએ તો તેમણે સંબોધન કરતા જણાવ્યું કે અમે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવીને રહીશુ તે વચન અમે પૂર્ણ કર્યું. અમે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું વચન આપ્યું હતું, જે અમે પૂરું કર્યું. મોદીજીના 10 વર્ષમાં અમે અમારા તમામ વચનો પૂરા કર્યા છે. અમે સેના માટે વન રેન્ક, વન પેન્શનનું વચન આપ્યું હતું અને અમે તેને પૂરું કર્યું.
કોંગ્રેસે સનાતન ધર્મનું અપમાન કર્યુ- અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસે હંમેશા સનાતન ધર્મનું અપમાન કર્યું છે. તેમના નેતાઓ પણ ઘણીવાર સનાતન ધર્મ વિરુદ્ધ નિવેદનો આપે છે. જ્યારે મોદીજીએ સમગ્ર વિશ્વમાં સનાતનને આગળ વધારવાનું કામ કર્યું છે. આવનારી ચૂંટણી એ ભારતને મહાન બનાવવાની આપણી ચૂંટણી છે. આગામી ચૂંટણી ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે સ્થાપિત કરવાની છે. એટલા માટે અમારે એમપીની તમામ સીટો પર કમળ ખીલવવાનું છે.
400 નેતાઓ-કાર્યકરો સાથે બેઠક યોજી
મહત્વનું છે કે મધ્યપ્રદેશની ચાર લોકસભા બેઠકો, મોરેના, ભીંડ, ગુના અને ગ્વાલિયર-ચંબલ ક્લસ્ટરની બૂથ મેનેજમેન્ટ કમિટીના લગભગ 400 નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી. બેઠકમાં હાજર રહેલા ભાજપના એક સ્થાનિક નેતાએ શાહને ટાંકીને કહ્યું કે દરેક મત પાર્ટી માટે મહત્ત્વપૂર્ણ છે. તેમણે કાર્યકર્તાઓને છેલ્લી ચૂંટણીની સરખામણીમાં દરેક બૂથ પર 370 વધારાના મતોની ખાતરી કરવા જણાવ્યું છે.
નેતાઓ સાથે વન ટુ વન ચર્ચા કરી
એક અહેવાલ દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્રીય મંત્રીએ જમીનની સ્થિતિ જાણવા માટે પાર્ટીના કેટલાક નેતાઓ અને કાર્યકરો સાથે વન-ટુ-વન બેઠક પણ કરી હતી અને લોકસભા ચૂંટણીમાં વિજય સુનિશ્ચિત કરવા માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. નેતાએ કહ્યું કે કેન્દ્રીય મંત્રીએ કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણીમાં પાર્ટીના વોટ 10 ટકા વધારવા માટે પ્રયાસો કરવા પણ વિનંતી કરી.


