By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

agragujaratnews
Last updated: 2024/08/20 at 8:06 PM
12 months ago
Share
આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા  પણ હલ નથી કરી શકતાં!
SHARE

દિવસે દિવસે પરિસ્થિતિ બગડતી જાય છે : વિકાસના નામે પ્રજાના કરવેરાનું આંધણ થાય છે

પ્રજાની આજ કાલ બરાબરની ફિરકી લેવાઇ રહી છે. તેમને સમશ્યાના નવા નવા ચક્રવ્યુહમાં ફસાવી વહિવટી તંત્ર અને સતાધાર પક્ષ ભાજપ જુદા જ નશામાં રાજ ચલાવે છે. ગઇ કાલે રાજકોટમાં લોકો પોતાના વાહનો લઇને બહાર નિકળ્યા હશે તેમને ખબર પડી ગઇ હશે કે દોઝખ અને આ ટ્રાફિક સમશ્યા બન્નેમાં કોઇ પણ પસંદ કરો સજા ઓછી નથી. શહેરના તમામ માર્ગો ઉપર બેફામ દબાણ,રસ્તાઓ ઉપર આડેધડ પાર્કિંગ અને શહેરના તમામ માર્ગો ખાડા ખબડા અને તુટેલા હોવાથી વધારાની પરેશાનીનો લોકોને અનુભવ થયો. ટ્રાફિક પોલીસ પરસેવો પાડે તો પણ પહોંચી ન શકે તેવું ટાઉન પ્લાનીંગ.કર્ટસી સાગઠિયા એન્ડ કંપની.

કેટલાક પાયાના સવાલ થાય. પ્રથમ સવાલ એ ઉભો થાય કે શહેરની વસતિ વધી ગઇ અને લોકો મોટી માત્રામાં બહાર નિકળે છે અને વાહનો લઇને નિકળે છે એટલે આ સમશ્યા થાય છે ? તેનો જવાબ એ છે કે જયાર શહેરનો વિકાસ કરો ત્યારે તમારે વસતિ વધારાને અને શહેરના વિકાસને ધ્યાને લઇને અર્બન પ્લાનીંગ કરવાનું હોય છે. બીજો સવાલ ઉભો થાય કે શું મોટા શહેરોમાં રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ અપનાવી પડે તે આપણે અપનાવી છે. તેનો જવાબ પણ ના છે. ત્રીજો સવાલ એ છે કે માસ ટ્રાન્સપોર્ટેશન માટેના વિકલ્પો છે.? તેનો જવાબ પણ અડધો છે. શહેરની અડધા રીંગ રોડ ઉપર બસો દોડે છે. તેને કનેકટ કરી મુંબઇ અમદાવાદની માફક ઇન્ટરનલ ટ્રાફિક સિસ્ટમ હજુ નથી ગોઠવાઇ.

રાજકોટમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરની સંખ્યા ખુબ વધી ગઇ છે ? તેનો જવાબ હા છે. લગભગ એક ઘર દોડ જેટલા એડલ્ટ લોકો છે તેમની પાસે એક ફોર વ્હીલ અથવા એક ટુ વ્હીલર છે. કારણ કે મુંબઇ અમદાવાદ જેવી માસ ટ્રાન્સોપોર્ટેશન વ્યવસ્થા આપણે ગોઠવી નથી શકયા. માત્ર સસ્તી પ્રસિધ્ધી અને મનોરંજનના ગતકડાના જોરે શહેરનો વિકાસ ન થાય. મેયર તમારે દ્વારે કાર્યક્રમ કરો તો લોકોનો ફરિયાદોનો ઢગલો થાય તે જ તમારી નિષ્ફળતા બતાવે છે.

 તંત્ર પાછળ કરોડો રૂપિયાનું આંધણ થતું હોય. એ પણ પ્રજાના પરેસવાના પૈસાનું આંધણ થતું હોય ત્યારે પ્રજા દોઝખમાં ટળવળે ત્યારે તંત્રની નિષ્ફળતા સાબિત થાય છે આ નિષ્ફળતાથી આ મહાનુભાવો વાકેફ નથી એવું નથી. તેમને કોઠે પડી ગયુ છે. આ બધું. લોકોને વિવિધ ધાર્મિક અને અન્ય ભાવનાત્મક બાબતોમાં ભડકાવીને ચૂંટણીઓમાં વિજય મેળવવાની એક પરંપરા ચાલી છે. પ્રજાએ આ રીતે મતદાન કરી તેમના પરિણામો ચાખી લીધા છે. પ્રજાને વધુ લાંબા સમય સુધી નજરઅંદાજ ન કરી શકાય. લોકસભાના પરિણામોઅ ને ઉતર પ્રદેશના પરિણામો બતાવે છે કે જનમાનસ હવે બદલાઇ રહયુ છે. સ્થાનિક ચૂંટણીઓમાં પણ હવે પરિણામો બદલાઇ રહયા છે.

લોકોને સારો વહિવટ આપવાની વાત તો ઠીક ભ્રષ્ટાચારીઓને છાવરવાની એક પરંપરા હવે ભાજપ માટે જ પડકાર બની ગઇ છે સાગઠિયાને પકડે તો ઠેબા ઉભો થાય. ઠેબાને પકડે તો મારૂ પહેલાં દિવસથી જ ખંડણીની દુકાન ખોલે. ભ્રષ્ટાચારને હવે એકસટોર્શનની વ્યાખ્યામાં લેવો જોઇએ. કોઇ અરજદાર અમલદારોને સામેથી લાંચ આપવા નથી જતો. તેમને ફરજ પડે છે. ફરજ નાણા ચુકવવાની આ પધ્ધતિને ઇરાદા પૂર્વક લાંચની વ્યાખ્યામાં કાયદામાં લેવામાં આવી છે. જો સરકારની ઇચ્છા શકિત હોય તો અમલદારો કે સરકારી કર્મચારીઓ દ્વારા લાંચ આપવા ફરજ પાડવામાં આવે તેને ખંડણી(એકસટોર્શન)ની વ્યાખ્યામાં લઇ એ મુજબ ગુનો નોંધી સજા થાય તો મારૂઓ મરે. બાકી પ્રજાનો જ મરો થાય છે. રાજકિય ઇચ્છા શકિતના અભાવે જ આવી લાલિયાવાડી ચાલે છે.

ટ્રાફિકની સમશ્યા હોય કે રસ્તાની સમશ્યા તેને ઉકેલવાની શકિત ન હોવી તે પણ સતા ઉ૫ર બેસવા માટેની અયોગ્યતા છે. આવા નેતાઓને જાહેર જીવન છોડી દેવું જોઇએ. પ્રજાને વહિવટી કુશળતા અને લોકસેવાની ભેખ ધરાવતાં સેવકોની જરૂર છે. નહિ કે અહંકારમાં રાચતાં અને સતાના માર્ગે માલેતુજાર બનતાં નેતાઓની. જો આવા નેતાઓને પ્રજા વેંઢારે છે અને બાદમાં ફરિયાદો કરે છે તો પ્રજાને પણ આવી સમશ્યાઓ કાયમી ભોગવવી પડશે.

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

જીવન વિમા ઉપર ૧૮ ટકા જીએસટી હટાવો: ગડકરીએ કુકરી ગાંડી કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
ધર્મ

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
દુ:ખ સાથે રહો
નાડીનો અર્થ, મર્મ અને…
Health Tips : એલ્યુમિનિયમના વાસણમાં ખોરાક રાંધતા હોવ તો સાવધાન, આ ગંભીર બીમારીનું વધશે જોખમ
લીમડાના પાનનું સેવન બીમારી રાખશે દૂર, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?