By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: શાબાશ! પરીક્ષામાં પાસ…
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

શાબાશ! પરીક્ષામાં પાસ…

agragujaratnews
Last updated: 2024/01/18 at 8:03 PM
2 years ago
Share
શાબાશ! પરીક્ષામાં પાસ…
SHARE

ભગવાનના પુણ્યને આપણું પુણ્ય બનાવવા રોજ એની પાસે જઈને આશીર્વાદ મેળવવાના

ગજપુર નામનું એક નગર હતું. એમાં શ્રીધર નામનો એક વણિક રહેતો હતો. સીધોસાદો અને ભલોભોળો. એ ભગવાનનો પરમ ઉપાસક હતો. એના મનમાં એક દૃઢ વિશ્વાસ હતો કે ભગવાનની આરાધના-ઉપાસના કરવાથી જ આપણું પુણ્ય વધે છે અને આપણાં બધાં કાર્યો પણ એનાથી જ સંપન્ન થાય છે. માનવું એક અલગ વાત છે અને કરવું એ અલગ વાત હોય છે. આની પરીક્ષા તો અવસરે જ થતી હોય છે. જ્યારે અવસર આવે ત્યારે એણે પોતાની દૃઢતા બતાવવાની હોય.

એક દિવસ એના ગામમાં ગુરુ ભગવંત પધારેલા. ગુરુ ભગવંત ગામમાં આવે એટલે આખો દિવસ એમની સેવામાં જ રહેવાનું. વ્યવસાય તો રોજ કરવાનો જ હોયને! ગુરુ ભગવંત ઓછા રોજ આવવાના છે? ગુરુને ગૌચરી કરવાની હોય, આહાર ગ્રહણ કરવા જવાનું હોય ત્યારે ગુરુદેવની પાસે આવીને બેસવાનું, એમને કંઈ કામ હોય તો કરવાનું, બાકી એ આપણને ઉપદેશ આપે એનો સ્વીકાર કરવાનો.

શ્રીધર ગુરુ મહારાજ પાસે બેઠો છે. ગુરુદેવ પણ પોતાની ક્રિયાથી નિવૃત્ત થઈ ગયા છે અને શ્રીધરે એમની સેવાસુશ્રૂષા સારી કરેલી છે તો આપણે પણ એના માટે કંઈક કરવું જોઈએ. આવા વિચારને શાસ્ત્રોમાં ભાવદયા કહેવાય. સાધુ મહાત્મા પાસે આપવાનું તો બીજું શું હોય? એમના આત્માનું કલ્યાણ થાય એવો ઉપદેશ આપવાનો હોય. એમાંથી જેટલો એ ગ્રહણ કરે એટલો એને લાભ થાય.

એમણે શ્રીધરને કહ્યું, ભાગ્યશાળી જીવનમાં સુખી થવા માટે પુણ્યકર્મની આવશ્યક્તા હોય છે. એમાં પણ ગૃહસ્થના જીવનમાં પુણ્ય વગર ચાલતું નથી. બીજાની પાસે માંગીને લાચારી બતાવવા કરતાં સ્વમાનીજન મરવાનું પસંદ કરશે, પણ બીજાની પાસે હાથ ફેલાવવાનું પસંદ નહીં કરે. આવી સ્થિતિ ન સર્જાય એના માટે પુણ્ય કરવામાં વિશેષ ધ્યાન આપવું જોઈએ અને પુણ્યકર્મ કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે પરમાત્માની ભક્તિ, કારણ કે જગતમાં સર્વશ્રેષ્ઠ પુણ્ય જો કોઈનું હોય તો અરિહંત પરમાત્માનું એટલે આપણે એમના પુણ્યમાં ભાગ કરવા માટે એમની ભક્તિ કરવી જોઈએ. અરિહંત પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવાથી તમારા મનોરથો તો ફળે જ છે, પણ સાથેસાથે પરમપદ સુધી પણ આપણને લઈ

જાય છે.

ગુરુ ભગવંત એને સમજાવે છે. એના પોતાના અંતરમાં ગડમથલ ચાલુ છે, શું કરવું? આંતરમને જવાબ આપ્યો, ગુરુદેવ, ભલે આજ્ઞા કરતા ન હોય, પણે જ્યારે આ રીતની સ્પષ્ટ વાત આત્મવિશ્વાસ સાથે કરતા હોય ત્યારે, આપણે એનો ભાવપૂર્વક સ્વીકાર જ કરવાનો હોય. એને પોતાને પણ પૂ. ગુરુની વાત સારી અને સાચી લાગે છે. એણે ગુરુદેવને પ્રણામ કરીને આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કરતાં કહ્યું, ભગવન, આપની વાત સાચી છે. ભગવાનના પુણ્યને આપણું પુણ્ય બનાવવા શું કરવું જોઈએ?

ગુરુદેવે એને જવાબ આપ્યો, ભગવાનના પુણ્યને આપણું પુણ્ય બનાવવા માટે એક તો રોજ એની પાસે જઈને આશીર્વાદ મેળવવાના અને બીજા નંબરમાં એને જે ગમે તે જ કરવાનું. ભગવાનને ન ગમે એવાં કામો કરવાનાં નહીં.

સીધી વાત છે, ભગવાનને હંમેશાં સારાં કામો જ ગમે. તમે કોઈની સાથે પ્રેમ કરો એ ગમે – કોઈનો તિરસ્કાર કરો-ગુસ્સો કરો તો એ એને ક્યાંથી ગમે?

આ બે વાતમાં તો બધું આવી ગયું. એની પાસે રોજ પ્રેરણા લેવા જવાનું. રોજ એનો સ્પર્શ કરવાનો. એનાથી એના શુભ પરમાણુઓ આપણામાં આવે. ગુરુદેવની વાત એના અંતરને ઉઘાડવાવાળી બની. એણે પણ હવે નક્કી કરી લીધું છે કે એને રીઝવવા માટે મારે પ્રયત્ન કરવો છે. એને જો રીઝવવો છે તો હવે પછી ખોટાં કામો કરવાનો ત્યાગ.

એ તો રોજ ભગવાનની પાસે પ્રેરણા લેવા પહોંચી જાય, વિધિપૂર્વક એની પૂજા કરે અને પછી થોડી વાર માટે આંખો બંધ કરી ભગવાનનું ધ્યાન કરે. એમ કરતાં ઘણો સમય પસાર થઇ ગયો છે. સારાં કામો કરવાના કારણે એની એક વિશિષ્ટ વ્યક્તિ હોવાની ઇમ્પ્રેેશન ઊભી થઇ છે.

એક દિવસ એ ભગવાનના મંદિરમાં દર્શન કરવા ગયો હતો. ભગવાનની સેવાપૂજા વગેરે બધી વિધિ પૂર્ણ કરીને એ તો ધ્યાનમાં જ બેસી ગયો.

ધૂપ-અગરબત્તી સળગી રહેલાં. એને જોઈ એણે વિચાર કર્યો છે જ્યાં સુધી આ અગરબત્તી સમાપ્ત ન થાય ત્યાં સુધી મારે ભગવાનના ધ્યાનમાં રહેવું. અગરબત્તી લાંબી-મોટી હતી. એની સુગંધ પણ સરસ આવી રહી હતી, પણ એમને એની સુગંધનો વિચાર પણ આવતો ન હતો. એને માત્ર ભગવાનના નૈસર્ગિક સ્વભાવનો જ વિચાર કરવો હતો. ભગવાનની સામે કેવા કેવા ઉપસર્ગો આવ્યા અને છતાં પણ ભગવાને કેવા સમભાવથી સહન કરેલું. શું આવી એકાગ્રતા આપણે ન લાવી શકીએ? જો ભગવાન લાવી શકતા હોય તો આપણે કેમ ન લાવી શકીએ. શ્રીધરના મનમાં આવી વિચારધારા ચાલી રહેલી હતી. એ જ સમયે અચાનક ક્યાંકથી એક લાંબો, કાળો ભયંકર સર્પ ત્યાં આવ્યો. જે માણસની નજરોમાં આવે તો પણ ગભરાટથી એ સ્થાન છોડી દે- કોઈને પકડી લે, પણ આ તો શ્રીધર છે. એણે આવું કશું કર્યું નહીં. એ તો ધ્યાનમાં ઊભો છે. સર્પ આવશે અને એને કરડશે તો શું થશે? આવો કોઈ વિચાર કરવાના બદલે એ એવો વિચાર કરે છે આ સર્પ અત્યારે જો મને કરડશે તો હું શુભ ભાવોમાં હોઈશ અને શુભ ભાવો સાથેનું મરણ મારી ઉચ્ચ ગતિનું કારણ બનશે. મારે બીજી કોઈ ચિંતા કરવાનું કારણ ક્યાં છે?

સાપ પણ જાણે શ્રીધરના મનના ભાવ સમજતો હોય એમ થોડી વાર ત્યાં જ સ્થિર રહ્યો. માથું એક ફૂટ જેટલું ઊંચું કરેલું છે અને શ્રીધરને કંઇક કહી રહ્યો હોય એવું એ સમયના દૃશ્ય ઉપરથી આપણે વિચારી શકીએ. સાપ થોડી વાર ત્યાં રહ્યો અને પછી જતો રહ્યો. પછી તરત જ ત્યાં એક દેવી આવી. એણે આવીને શ્રીધરની પ્રશંસા કરી.

આવી ધીરજ બહુ ઓછા માણસોમાં જોવા મળે છે. તારી ધીરજ જોઈએ મને પ્રસન્નતા થઇ છે. હું તને વરદાન આપવા માગું છું. તારે જે જોઈએ એ માંગી લે! શ્રીધરે કહ્યું, આપ કોણ છો એની મને ખબર નથી, પણ મને એટલી ખબર છે કે મારી પાસે જે છે એ પૂરતા પ્રમાણમાં છે. વધારે મેળવવાની મારે કોઈ જરૂર નથી. વધારે ભેગું કરીને પાપ કરવા કરતાં જે છે એમાં મને સંતોષ છે.

દેવી કંઈ એમ માને? એણે કહ્યું, તારી જગ્યાએ તું ભલે સાચો હોય, પણ હું કંઈ પણ આપ્યા વગર ખાલી હાથે જઇશ નહીં. એમ કહીને એણે પોતાની પાસે રહેલો એક દૈવી મણિ આપ્યો કે જ અત્યંત પ્રભાવશાળી હતો. કેટલીક વખત જડ વસ્તુની પણ તાકાત જોરદાર હોય છે. જેના કારણે જીવ એનો મહત્તમ પ્રભાવ અનુભવતો હોય છે, એમાં પણ પાછો આ તો પ્રસન્ન થયેલી દેવીએ આપેલો મણિ હોય પછી એની તો વાત જ શું થઇ શકે?

આ મણિ શ્રીધરના હાથમાં આવ્યો એ પછી એના જીવનમાં જોરદાર પલટો આવ્યો. પહેલાં એ સુખી તો હતો જ, પણ હવે તો એની પાસે અઢળક સંપત્તિ આવી છે. આટલી સંપત્તિ હોવા છતાં એ ભગવાનને ભૂલતો નથી. એ સમજે છે, આજે મારી જે સ્થિતિ છે તે માત્ર ને માત્ર ભગવાનને જ આભારી છે.

એક વખત એના ઘરમાં ચોર આવ્યા. એના ઘરમાં રહેલો બધો જ સામાન એ લોકો લઈ ગયા. એના માટે કશું બાકી રાખ્યું નહીં. શ્રીધર બિચારો થઈ ગયો. જે હતું એ બધું જ ચોરો ઉપાડી ગયા છે. પોતાની જરૂરિયાતની વસ્તુઓ પણ હવે રહી નથી. એના માટે પોક મૂકીને રડવા સિવાય કોઈ રસ્તો રહ્યો નથી.

માણસની મુશ્કેલી એ છે એની પાસે ન હોય તો એને ચલાવી લેવાની આદત પડી જાય છે, પણ પોતાને મળ્યા પછી ચાલી જાય ત્યારે એને ઘણો અફસોસ થતો હોય છે. શ્રીધર પાસે ઓછું હતું ત્યારે એ વધારે સુખી હતો, પણ મળ્યા પછી બધું ચાલી ગયું ત્યારે હવે એના અફસોસનો કોઈ પાર નથી.

હવે એને ઘણી ચિંતા થયા કરે છે. એને એવો પણ વિચાર આવે છે કે મારી સાથે જ કુદરતે આવો વહેવાર કેમ કર્યો? આવા વિચારોમાં એ વધારે દુઃખી થઈ રહ્યો છે. એને ક્યાંય ચેન પડતું નથી. અભાવની પીડા અસહ્ય થઈ રહી છે. આ પીડાથી બચવા માટે એણે હવે ઘણા પ્રયત્નો કર્યા પણ જ્યારે એક પણ પ્રયત્નમાં એને સફળતા ન મળી ત્યારે એ ફરીને પાછો ભગવાનના શરણે જાય છે. ભગવાનને ભાવપૂર્વક ભજે છે, ભક્તિ કરે છે. પરમાત્માની ભક્તિમાં એકાકાર થઇ જાય છે.

એ સમયે એના અંતરમાં પ્રકાશ થાય છે. જાણે ભગવાન એને સમજાવી રહ્યા છે : સુખનાં સાધનો હોય તો જ માણસ સુખી થઈ શકે એવું માનવાની જરૂર નથી. સુખનાં સાધનોના અભાવમાં પણ જો માણસ સંતોષ રાખે તો સુખી થઈ શકે. તારે સુખી થવું છે તો સંતોષ રાખ. જે મળ્યું છે અથવા તારી પાસે જે છે એમાં આનંદ માણ.

શ્રીધરને જ્ઞાનનો પ્રકાશ મળ્યો. હવે દુઃખી થવાની જરૂર નથી. આપણે સુખી થવું છે? આપણા માટે પણ માર્ગ તો એ જ છે.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
રાજકોટ

રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી

Editor By Editor 1 day ago
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?